C.R.Patilને બદનામ કરવા પાછળ હતા આ લોકો? ધારાસભ્ય સંદીપ દેસાઈએ કોની વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 11:49:05

છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચર્ચામાં છે. જીનેન્દ્ર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમણે સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, નવા નવા અપડેટ આવી રહ્યા છે. આ કેસમાં હવે સંદીપ દેસાઈ સામે આવ્યા છે. સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મંત્રી અને ધારાસભ્યોને બદનામ કરવાના ઇરાદા સાથે ફરતી કરાયેલી આ પત્રિકામાં સંદીપ દેસાઈએ 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.   

 

ચૂંટણી ફંડને રફેદફે કરવામાં આવ્યો!

આખા મુદ્દાની વાત કરીએ તો, ચૂંટણી પહેલા એક પેન્ડરાઇવ મારફતે અનેક પત્રિકાઓ ફરતી થઈ હતી કે કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલ સહિત બીજા નેતાઓએ ચૂંટણી ફંડનો દુરુપયોગ કરી તે પૈસાને રફેદફે કરી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એ પત્રિકા ગુજરાત ભાજપના નેતાઓ તથા સંગઠનમાં મહત્વના હોદ્દાઓ ધરાવનારાઓને પેન ડ્રાઈવ પહોંચાડવામાં આવી હતી. 


પેનડ્રાઈવમાં હતું સંદીપ દેસાઈનું નામ!

સંદીપ દેસાઇ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે " ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ વિરોધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં સી આર પાટીલને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પત્રિકામાં સી આર પાટીલ સાથે મારું નામ પણ હતું અને અન્ય ધારાસભ્ય અને મંત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પેન ડ્રાઈવ મારફતે પહોંચાડવામાં આવેલી આ પ્રકારની પત્રિકા સામે કાર્યવાહી કરવા મેં એક મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવા પહોંચ્યો છું. પેન ડ્રાઈવમાં ઉલ્લેખ કરાયેલા બાકીના તમામ ધારાસભ્ય સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદ નોંધાવા આવ્યો હતો."


સી.આર.પાટીલ તેમજ અનેક ધારાસભ્યોને બદનામ કરવાનો થઈ રહ્યો છે પ્રયાસ! 

હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ સંદીપ દેસાઈની અરજીના આધારે તપાસ કરી રહી હતી. પોલીસે પત્રિકા દ્વારા બદનામી કરવાના કાવતરામાં દિપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહ નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોધી છે.જેમાં રાકેશ સોલંકી એ ગણપત વસાવાના નજીકના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કેસ વધુ ગુંચવતો જાય છે. આ ત્રણેય આરોપીઓએ પત્રિકા બનાવી ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ અન્ય મોટા નેતાઓને અને જુદી જુદી જગ્યાએ મોકલી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે વિવાદિત પેન ડ્રાઈવ જેની અંદર અનેક ડોક્યુમેન્ટ જોવા મળ્યા છે. આ પેન ડ્રાઇવની અંદર સી. આર પાટીલ ,સાંસદ પ્રભુ વસાવા અને સંદીપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને મંત્રીને બદનામ કરવા સાથેના અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. હવે આ પત્રિકા કેસમાં બીજા કેટલા નેતાઓના નામ સામે આવે છે એ જોવાનું રાખ્યું અને આ પત્રિકા વોર ભાજપમાં ભંગાણ લાવશે એ પ્રશ્નાર્થ છે!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.