C.R.Patilને બદનામ કરવા પાછળ હતા આ લોકો? ધારાસભ્ય સંદીપ દેસાઈએ કોની વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 11:49:05

છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચર્ચામાં છે. જીનેન્દ્ર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમણે સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, નવા નવા અપડેટ આવી રહ્યા છે. આ કેસમાં હવે સંદીપ દેસાઈ સામે આવ્યા છે. સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મંત્રી અને ધારાસભ્યોને બદનામ કરવાના ઇરાદા સાથે ફરતી કરાયેલી આ પત્રિકામાં સંદીપ દેસાઈએ 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.   

 

ચૂંટણી ફંડને રફેદફે કરવામાં આવ્યો!

આખા મુદ્દાની વાત કરીએ તો, ચૂંટણી પહેલા એક પેન્ડરાઇવ મારફતે અનેક પત્રિકાઓ ફરતી થઈ હતી કે કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલ સહિત બીજા નેતાઓએ ચૂંટણી ફંડનો દુરુપયોગ કરી તે પૈસાને રફેદફે કરી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એ પત્રિકા ગુજરાત ભાજપના નેતાઓ તથા સંગઠનમાં મહત્વના હોદ્દાઓ ધરાવનારાઓને પેન ડ્રાઈવ પહોંચાડવામાં આવી હતી. 


પેનડ્રાઈવમાં હતું સંદીપ દેસાઈનું નામ!

સંદીપ દેસાઇ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે " ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ વિરોધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં સી આર પાટીલને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પત્રિકામાં સી આર પાટીલ સાથે મારું નામ પણ હતું અને અન્ય ધારાસભ્ય અને મંત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પેન ડ્રાઈવ મારફતે પહોંચાડવામાં આવેલી આ પ્રકારની પત્રિકા સામે કાર્યવાહી કરવા મેં એક મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવા પહોંચ્યો છું. પેન ડ્રાઈવમાં ઉલ્લેખ કરાયેલા બાકીના તમામ ધારાસભ્ય સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદ નોંધાવા આવ્યો હતો."


સી.આર.પાટીલ તેમજ અનેક ધારાસભ્યોને બદનામ કરવાનો થઈ રહ્યો છે પ્રયાસ! 

હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ સંદીપ દેસાઈની અરજીના આધારે તપાસ કરી રહી હતી. પોલીસે પત્રિકા દ્વારા બદનામી કરવાના કાવતરામાં દિપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહ નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોધી છે.જેમાં રાકેશ સોલંકી એ ગણપત વસાવાના નજીકના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કેસ વધુ ગુંચવતો જાય છે. આ ત્રણેય આરોપીઓએ પત્રિકા બનાવી ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ અન્ય મોટા નેતાઓને અને જુદી જુદી જગ્યાએ મોકલી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે વિવાદિત પેન ડ્રાઈવ જેની અંદર અનેક ડોક્યુમેન્ટ જોવા મળ્યા છે. આ પેન ડ્રાઇવની અંદર સી. આર પાટીલ ,સાંસદ પ્રભુ વસાવા અને સંદીપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને મંત્રીને બદનામ કરવા સાથેના અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. હવે આ પત્રિકા કેસમાં બીજા કેટલા નેતાઓના નામ સામે આવે છે એ જોવાનું રાખ્યું અને આ પત્રિકા વોર ભાજપમાં ભંગાણ લાવશે એ પ્રશ્નાર્થ છે!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.