C.R.Patilને બદનામ કરવા પાછળ હતા આ લોકો? ધારાસભ્ય સંદીપ દેસાઈએ કોની વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 11:49:05

છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચર્ચામાં છે. જીનેન્દ્ર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમણે સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, નવા નવા અપડેટ આવી રહ્યા છે. આ કેસમાં હવે સંદીપ દેસાઈ સામે આવ્યા છે. સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મંત્રી અને ધારાસભ્યોને બદનામ કરવાના ઇરાદા સાથે ફરતી કરાયેલી આ પત્રિકામાં સંદીપ દેસાઈએ 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.   

 

ચૂંટણી ફંડને રફેદફે કરવામાં આવ્યો!

આખા મુદ્દાની વાત કરીએ તો, ચૂંટણી પહેલા એક પેન્ડરાઇવ મારફતે અનેક પત્રિકાઓ ફરતી થઈ હતી કે કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલ સહિત બીજા નેતાઓએ ચૂંટણી ફંડનો દુરુપયોગ કરી તે પૈસાને રફેદફે કરી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એ પત્રિકા ગુજરાત ભાજપના નેતાઓ તથા સંગઠનમાં મહત્વના હોદ્દાઓ ધરાવનારાઓને પેન ડ્રાઈવ પહોંચાડવામાં આવી હતી. 


પેનડ્રાઈવમાં હતું સંદીપ દેસાઈનું નામ!

સંદીપ દેસાઇ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે " ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ વિરોધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં સી આર પાટીલને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પત્રિકામાં સી આર પાટીલ સાથે મારું નામ પણ હતું અને અન્ય ધારાસભ્ય અને મંત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પેન ડ્રાઈવ મારફતે પહોંચાડવામાં આવેલી આ પ્રકારની પત્રિકા સામે કાર્યવાહી કરવા મેં એક મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવા પહોંચ્યો છું. પેન ડ્રાઈવમાં ઉલ્લેખ કરાયેલા બાકીના તમામ ધારાસભ્ય સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદ નોંધાવા આવ્યો હતો."


સી.આર.પાટીલ તેમજ અનેક ધારાસભ્યોને બદનામ કરવાનો થઈ રહ્યો છે પ્રયાસ! 

હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ સંદીપ દેસાઈની અરજીના આધારે તપાસ કરી રહી હતી. પોલીસે પત્રિકા દ્વારા બદનામી કરવાના કાવતરામાં દિપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહ નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોધી છે.જેમાં રાકેશ સોલંકી એ ગણપત વસાવાના નજીકના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કેસ વધુ ગુંચવતો જાય છે. આ ત્રણેય આરોપીઓએ પત્રિકા બનાવી ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ અન્ય મોટા નેતાઓને અને જુદી જુદી જગ્યાએ મોકલી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે વિવાદિત પેન ડ્રાઈવ જેની અંદર અનેક ડોક્યુમેન્ટ જોવા મળ્યા છે. આ પેન ડ્રાઇવની અંદર સી. આર પાટીલ ,સાંસદ પ્રભુ વસાવા અને સંદીપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને મંત્રીને બદનામ કરવા સાથેના અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. હવે આ પત્રિકા કેસમાં બીજા કેટલા નેતાઓના નામ સામે આવે છે એ જોવાનું રાખ્યું અને આ પત્રિકા વોર ભાજપમાં ભંગાણ લાવશે એ પ્રશ્નાર્થ છે!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.