C.R.Patilને બદનામ કરવા પાછળ હતા આ લોકો? ધારાસભ્ય સંદીપ દેસાઈએ કોની વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 11:49:05

છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચર્ચામાં છે. જીનેન્દ્ર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમણે સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, નવા નવા અપડેટ આવી રહ્યા છે. આ કેસમાં હવે સંદીપ દેસાઈ સામે આવ્યા છે. સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.  પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મંત્રી અને ધારાસભ્યોને બદનામ કરવાના ઇરાદા સાથે ફરતી કરાયેલી આ પત્રિકામાં સંદીપ દેસાઈએ 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.   

 

ચૂંટણી ફંડને રફેદફે કરવામાં આવ્યો!

આખા મુદ્દાની વાત કરીએ તો, ચૂંટણી પહેલા એક પેન્ડરાઇવ મારફતે અનેક પત્રિકાઓ ફરતી થઈ હતી કે કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલ સહિત બીજા નેતાઓએ ચૂંટણી ફંડનો દુરુપયોગ કરી તે પૈસાને રફેદફે કરી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એ પત્રિકા ગુજરાત ભાજપના નેતાઓ તથા સંગઠનમાં મહત્વના હોદ્દાઓ ધરાવનારાઓને પેન ડ્રાઈવ પહોંચાડવામાં આવી હતી. 


પેનડ્રાઈવમાં હતું સંદીપ દેસાઈનું નામ!

સંદીપ દેસાઇ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા ત્યારે તેમણે ખુલાસો કર્યો કે " ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ વિરોધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં સી આર પાટીલને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પત્રિકામાં સી આર પાટીલ સાથે મારું નામ પણ હતું અને અન્ય ધારાસભ્ય અને મંત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી પેન ડ્રાઈવ મારફતે પહોંચાડવામાં આવેલી આ પ્રકારની પત્રિકા સામે કાર્યવાહી કરવા મેં એક મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવા પહોંચ્યો છું. પેન ડ્રાઈવમાં ઉલ્લેખ કરાયેલા બાકીના તમામ ધારાસભ્ય સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદ નોંધાવા આવ્યો હતો."


સી.આર.પાટીલ તેમજ અનેક ધારાસભ્યોને બદનામ કરવાનો થઈ રહ્યો છે પ્રયાસ! 

હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ સંદીપ દેસાઈની અરજીના આધારે તપાસ કરી રહી હતી. પોલીસે પત્રિકા દ્વારા બદનામી કરવાના કાવતરામાં દિપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહ નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોધી છે.જેમાં રાકેશ સોલંકી એ ગણપત વસાવાના નજીકના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કેસ વધુ ગુંચવતો જાય છે. આ ત્રણેય આરોપીઓએ પત્રિકા બનાવી ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ અન્ય મોટા નેતાઓને અને જુદી જુદી જગ્યાએ મોકલી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે વિવાદિત પેન ડ્રાઈવ જેની અંદર અનેક ડોક્યુમેન્ટ જોવા મળ્યા છે. આ પેન ડ્રાઇવની અંદર સી. આર પાટીલ ,સાંસદ પ્રભુ વસાવા અને સંદીપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને મંત્રીને બદનામ કરવા સાથેના અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. હવે આ પત્રિકા કેસમાં બીજા કેટલા નેતાઓના નામ સામે આવે છે એ જોવાનું રાખ્યું અને આ પત્રિકા વોર ભાજપમાં ભંગાણ લાવશે એ પ્રશ્નાર્થ છે!



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.