અમદાવાદના આ યુવાનો તમારું મન હળવું કરી દેશે!, તમે સ્પાઈડર મેન, સુપર મેન તો જોયા હશે પણ લિસનર મેન જોયા?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:10:33


હાલના સમયમાં આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણાં જીવનમાં કે આપણી આસપાસ અને આપણાં નજીકના લોકો જોડે પણ શું થાય છે તેમના જીવનમાં શું ચાલે છે તે જાણવાની પણ તસતી નથી લેતા તેવા સમયમાં એક વ્યક્તિ છે જેની પાસે લોકોનું દુખ દૂર કરવાનું જાદુ છે .  અત્યાર સુધીમાં આપણે ટીવીમાં કે મુવીમાં સ્પાઈડર મેન, સુપર મેન, બેટ મેનને લોકોની મદદ કરતા જોયા છે. પરંતુ શું તમે ક્યારેય લિસનર મેનને લોકોની મદદ કરતા જોયા છે ખરી?



આ છે અમદાવાદમાં રહેતા પ્રફુલ પરમાર જે લિસનર મેન તરીકે જાણીતા છે.  લિસનર મેન  સાંભડીને તમને થશે કે આ શું કરતાં હશે કે તેમને આવું નામ આપ્યું? તો પ્રફુલ ભાઈ તેમના નામની જેમ જ લોકોને સાંભળવાનું કામ કરે છે દર શનિ રવિ લિસનર મેન અમદાવાદના અલગ અલગ જગ્યા એ જઈને લોકોને સાંભળે છે. અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને આ વિચાર કયાથી આવ્યો તો પ્રફુલભાઈએ કહ્યું કે " થોડા સમય પહેલા હું પોતે ડિપ્રેશનમાં હતો હું ધીરે ધીરે એમાથી બહાર આવી ગયો પણ ઘણા એવા લોકો છે જે તેનાથી બહાર નથી આવી શકતા એટલે અમે આ કામ કરીને લોકોનું મન હળવું કરવા માંગીએ છીએ કારણકે અત્યારે બધા નાની નાની વાતમાં ટેન્શનમાં જતાં રહે છે અને ખાસ કરીને યુવાનોમાં  સ્વજાગૃતિની કમી છે એટલે એ લોકો જલ્દી હતાશ થઈ જાય છે અમારો ઉપદેશ એ જ છે કે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ"

પ્રફુલએ વધુ વાત કરતાં કહ્યું કે"હાલમાં લોકોને ડિપ્રેસન અને એનસાઈટી જેવી બીમારીઓ પણ થઈ રહી છે. જેમાં લોકો પોતાની વાત બીજાને રજુ નથી કરી શકતા. પોતાની વાત ફેમિલી કે ફ્રેન્ડ્સને નથી કરી શકતા. જેના લીધે અંદર ને અંદર ગૂંગળાય છે અને ભવિષ્યમાં મોટી બીમારીઓનો શિકાર થાય છે. અંતે થેરેપીસ્ટ કે સાયકોલોજિસ્ટ જોડે જવું પડે છે. એટલે આ પહેલ અમે શરૂ કરી."



તો આ લોકો કઈ રીતે કામ કરે છે?

તો લિસનરમેન અને તેમની ટીમ રિવરફ્રન્ટ પર જાય અને લોકોને ફ્રી હગ્સ, હાઈ ફાઈ જેવી ઘણી બધી એક્ટિવિટી કરે જેનાથી લોકો થોડી ખૂલીને વાત કરી શકે છેલ્લા 3 મહિનાથી આ લોકો આવી પ્રવૃતિ કરી રહ્યા છે અત્યારે લિસનર સાથે 5 લોકો જોડાયેલ છે અને આ આખી ટીમ અત્યાર સુધી 200\300 લોકોને મળી ચૂકી છે અને 100થી વધુ વધુ લોકોની સ્ટોરી સાંભળી ચૂક્યા છે 


હ્રદયસ્પર્શી સ્ટોરી કઈ?

અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને કઈ અને કોની સ્ટોરી હ્રદયસ્પર્શી લાગી તો તેમણે કહ્યું કે" અમે લોકો અમદાવાદના કાંકરિયામાં હતા ત્યારે મારી પાસે એક અંકલ આવ્યા અને મને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. ત્યારે મેં તેમને બધી વાત કરી પછી તેમણે તેમની સ્ટોરી કહી. તેમની વાત સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગયો. કારણ કે તે અંકલ 11 વર્ષથી એકલા રહેતા હતા. તેમના દીકરા-દીકરીઓ તેમને છોડીને વિદેશ જતા રહ્યા હતા. અને હાલમાં તેઓ નિવૃત હતા. એટલે કઈ કામ પણ કરતા નથી અને આખો દિવસ એકલા જ રહે છે.તેમણે મારી સાથે તેમના ફેમેલીની, તેમના દીકરા-દીકરીઓની બધી વાતો શેર કરી. એ દિવસે મને ખુબ સારું ફીલ થયું કે જે માણસ જોડે કોઈ વાત કરવાવાળું નથી, જેનું કોઈ સાંભળવાવાળું નથી. એની માટે હું છું તો એ અનુભવ ખુબ જ અદ્ભુત હતો."




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.