અમદાવાદના આ યુવાનો તમારું મન હળવું કરી દેશે!, તમે સ્પાઈડર મેન, સુપર મેન તો જોયા હશે પણ લિસનર મેન જોયા?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:10:33


હાલના સમયમાં આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણાં જીવનમાં કે આપણી આસપાસ અને આપણાં નજીકના લોકો જોડે પણ શું થાય છે તેમના જીવનમાં શું ચાલે છે તે જાણવાની પણ તસતી નથી લેતા તેવા સમયમાં એક વ્યક્તિ છે જેની પાસે લોકોનું દુખ દૂર કરવાનું જાદુ છે .  અત્યાર સુધીમાં આપણે ટીવીમાં કે મુવીમાં સ્પાઈડર મેન, સુપર મેન, બેટ મેનને લોકોની મદદ કરતા જોયા છે. પરંતુ શું તમે ક્યારેય લિસનર મેનને લોકોની મદદ કરતા જોયા છે ખરી?



આ છે અમદાવાદમાં રહેતા પ્રફુલ પરમાર જે લિસનર મેન તરીકે જાણીતા છે.  લિસનર મેન  સાંભડીને તમને થશે કે આ શું કરતાં હશે કે તેમને આવું નામ આપ્યું? તો પ્રફુલ ભાઈ તેમના નામની જેમ જ લોકોને સાંભળવાનું કામ કરે છે દર શનિ રવિ લિસનર મેન અમદાવાદના અલગ અલગ જગ્યા એ જઈને લોકોને સાંભળે છે. અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને આ વિચાર કયાથી આવ્યો તો પ્રફુલભાઈએ કહ્યું કે " થોડા સમય પહેલા હું પોતે ડિપ્રેશનમાં હતો હું ધીરે ધીરે એમાથી બહાર આવી ગયો પણ ઘણા એવા લોકો છે જે તેનાથી બહાર નથી આવી શકતા એટલે અમે આ કામ કરીને લોકોનું મન હળવું કરવા માંગીએ છીએ કારણકે અત્યારે બધા નાની નાની વાતમાં ટેન્શનમાં જતાં રહે છે અને ખાસ કરીને યુવાનોમાં  સ્વજાગૃતિની કમી છે એટલે એ લોકો જલ્દી હતાશ થઈ જાય છે અમારો ઉપદેશ એ જ છે કે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ"

પ્રફુલએ વધુ વાત કરતાં કહ્યું કે"હાલમાં લોકોને ડિપ્રેસન અને એનસાઈટી જેવી બીમારીઓ પણ થઈ રહી છે. જેમાં લોકો પોતાની વાત બીજાને રજુ નથી કરી શકતા. પોતાની વાત ફેમિલી કે ફ્રેન્ડ્સને નથી કરી શકતા. જેના લીધે અંદર ને અંદર ગૂંગળાય છે અને ભવિષ્યમાં મોટી બીમારીઓનો શિકાર થાય છે. અંતે થેરેપીસ્ટ કે સાયકોલોજિસ્ટ જોડે જવું પડે છે. એટલે આ પહેલ અમે શરૂ કરી."



તો આ લોકો કઈ રીતે કામ કરે છે?

તો લિસનરમેન અને તેમની ટીમ રિવરફ્રન્ટ પર જાય અને લોકોને ફ્રી હગ્સ, હાઈ ફાઈ જેવી ઘણી બધી એક્ટિવિટી કરે જેનાથી લોકો થોડી ખૂલીને વાત કરી શકે છેલ્લા 3 મહિનાથી આ લોકો આવી પ્રવૃતિ કરી રહ્યા છે અત્યારે લિસનર સાથે 5 લોકો જોડાયેલ છે અને આ આખી ટીમ અત્યાર સુધી 200\300 લોકોને મળી ચૂકી છે અને 100થી વધુ વધુ લોકોની સ્ટોરી સાંભળી ચૂક્યા છે 


હ્રદયસ્પર્શી સ્ટોરી કઈ?

અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને કઈ અને કોની સ્ટોરી હ્રદયસ્પર્શી લાગી તો તેમણે કહ્યું કે" અમે લોકો અમદાવાદના કાંકરિયામાં હતા ત્યારે મારી પાસે એક અંકલ આવ્યા અને મને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. ત્યારે મેં તેમને બધી વાત કરી પછી તેમણે તેમની સ્ટોરી કહી. તેમની વાત સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગયો. કારણ કે તે અંકલ 11 વર્ષથી એકલા રહેતા હતા. તેમના દીકરા-દીકરીઓ તેમને છોડીને વિદેશ જતા રહ્યા હતા. અને હાલમાં તેઓ નિવૃત હતા. એટલે કઈ કામ પણ કરતા નથી અને આખો દિવસ એકલા જ રહે છે.તેમણે મારી સાથે તેમના ફેમેલીની, તેમના દીકરા-દીકરીઓની બધી વાતો શેર કરી. એ દિવસે મને ખુબ સારું ફીલ થયું કે જે માણસ જોડે કોઈ વાત કરવાવાળું નથી, જેનું કોઈ સાંભળવાવાળું નથી. એની માટે હું છું તો એ અનુભવ ખુબ જ અદ્ભુત હતો."




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .