અમદાવાદના આ યુવાનો તમારું મન હળવું કરી દેશે!, તમે સ્પાઈડર મેન, સુપર મેન તો જોયા હશે પણ લિસનર મેન જોયા?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:10:33


હાલના સમયમાં આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણાં જીવનમાં કે આપણી આસપાસ અને આપણાં નજીકના લોકો જોડે પણ શું થાય છે તેમના જીવનમાં શું ચાલે છે તે જાણવાની પણ તસતી નથી લેતા તેવા સમયમાં એક વ્યક્તિ છે જેની પાસે લોકોનું દુખ દૂર કરવાનું જાદુ છે .  અત્યાર સુધીમાં આપણે ટીવીમાં કે મુવીમાં સ્પાઈડર મેન, સુપર મેન, બેટ મેનને લોકોની મદદ કરતા જોયા છે. પરંતુ શું તમે ક્યારેય લિસનર મેનને લોકોની મદદ કરતા જોયા છે ખરી?



આ છે અમદાવાદમાં રહેતા પ્રફુલ પરમાર જે લિસનર મેન તરીકે જાણીતા છે.  લિસનર મેન  સાંભડીને તમને થશે કે આ શું કરતાં હશે કે તેમને આવું નામ આપ્યું? તો પ્રફુલ ભાઈ તેમના નામની જેમ જ લોકોને સાંભળવાનું કામ કરે છે દર શનિ રવિ લિસનર મેન અમદાવાદના અલગ અલગ જગ્યા એ જઈને લોકોને સાંભળે છે. અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને આ વિચાર કયાથી આવ્યો તો પ્રફુલભાઈએ કહ્યું કે " થોડા સમય પહેલા હું પોતે ડિપ્રેશનમાં હતો હું ધીરે ધીરે એમાથી બહાર આવી ગયો પણ ઘણા એવા લોકો છે જે તેનાથી બહાર નથી આવી શકતા એટલે અમે આ કામ કરીને લોકોનું મન હળવું કરવા માંગીએ છીએ કારણકે અત્યારે બધા નાની નાની વાતમાં ટેન્શનમાં જતાં રહે છે અને ખાસ કરીને યુવાનોમાં  સ્વજાગૃતિની કમી છે એટલે એ લોકો જલ્દી હતાશ થઈ જાય છે અમારો ઉપદેશ એ જ છે કે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ"

પ્રફુલએ વધુ વાત કરતાં કહ્યું કે"હાલમાં લોકોને ડિપ્રેસન અને એનસાઈટી જેવી બીમારીઓ પણ થઈ રહી છે. જેમાં લોકો પોતાની વાત બીજાને રજુ નથી કરી શકતા. પોતાની વાત ફેમિલી કે ફ્રેન્ડ્સને નથી કરી શકતા. જેના લીધે અંદર ને અંદર ગૂંગળાય છે અને ભવિષ્યમાં મોટી બીમારીઓનો શિકાર થાય છે. અંતે થેરેપીસ્ટ કે સાયકોલોજિસ્ટ જોડે જવું પડે છે. એટલે આ પહેલ અમે શરૂ કરી."



તો આ લોકો કઈ રીતે કામ કરે છે?

તો લિસનરમેન અને તેમની ટીમ રિવરફ્રન્ટ પર જાય અને લોકોને ફ્રી હગ્સ, હાઈ ફાઈ જેવી ઘણી બધી એક્ટિવિટી કરે જેનાથી લોકો થોડી ખૂલીને વાત કરી શકે છેલ્લા 3 મહિનાથી આ લોકો આવી પ્રવૃતિ કરી રહ્યા છે અત્યારે લિસનર સાથે 5 લોકો જોડાયેલ છે અને આ આખી ટીમ અત્યાર સુધી 200\300 લોકોને મળી ચૂકી છે અને 100થી વધુ વધુ લોકોની સ્ટોરી સાંભળી ચૂક્યા છે 


હ્રદયસ્પર્શી સ્ટોરી કઈ?

અમે જ્યારે પ્રફુલભાઈને પૂછ્યું કે તમને કઈ અને કોની સ્ટોરી હ્રદયસ્પર્શી લાગી તો તેમણે કહ્યું કે" અમે લોકો અમદાવાદના કાંકરિયામાં હતા ત્યારે મારી પાસે એક અંકલ આવ્યા અને મને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. ત્યારે મેં તેમને બધી વાત કરી પછી તેમણે તેમની સ્ટોરી કહી. તેમની વાત સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગયો. કારણ કે તે અંકલ 11 વર્ષથી એકલા રહેતા હતા. તેમના દીકરા-દીકરીઓ તેમને છોડીને વિદેશ જતા રહ્યા હતા. અને હાલમાં તેઓ નિવૃત હતા. એટલે કઈ કામ પણ કરતા નથી અને આખો દિવસ એકલા જ રહે છે.તેમણે મારી સાથે તેમના ફેમેલીની, તેમના દીકરા-દીકરીઓની બધી વાતો શેર કરી. એ દિવસે મને ખુબ સારું ફીલ થયું કે જે માણસ જોડે કોઈ વાત કરવાવાળું નથી, જેનું કોઈ સાંભળવાવાળું નથી. એની માટે હું છું તો એ અનુભવ ખુબ જ અદ્ભુત હતો."




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.