ભારત મંડપમની આ વાતો તમારે જાણવી જોઈએ, G20માં ભારતીય ધરોહર અને ઈતિહાસની ઝાંકી


  • Published By :
  • Published Date : 2023-09-09 14:39:44

ભારતમાં જી 20ના પહેલા સત્રનો પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ કરાવી દીધો છે. બધા મહેમાન નેતાઓએ દેશના પ્રધાનમંત્રી સાથે ફોટો પણ પડાવ્યો. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પાડવામાં આવ્યો તેની પાછળ અમુક ફોટો મૂકવામાં આવ્યા છે જે ભારતની સંસ્કૃતિ અને ભારતના ઈતિહાસને યાદ અપાવે છે. આ ફોટોમાં એક વિશાળ ચક્ર દેખાડવામાં આવ્યું છે જે કોર્ણાક મંદિરનું છે તેના વિશે વિગતવાર વાત કરીએ,

Image


ફોટોમાં દેખાતું આ ચક્ર ત્યાં શા માટે છે?

વિશ્વના અનેક મોટા નેતા આજે ભારતમાં વૈશ્વિક સમસ્યાઓ મામલે ચિંતન-મનન કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે બેઠક પણ થઈ જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આજ સવારના જ્યારે દેશના દિગ્ગજ નેતાઓ મળ્યા ત્યારે દિલ્લીમાં બનેલા જી ટ્વેન્ટીના ભારત મંડપમમાં અનેક વસ્તુ પર નજર દોડાવવા જેવી છે. દેશના નાગરિક તરીકે આપણને આપણો વારસો ખબર હોવી જોઈએ. ભારત મંડપમની બહાર એક વિશાળ અને સુંદર નટરાજની પ્રતિમા લગાવામાં આવી હતી, મંડપમમાં અંદર કોર્ણાકનું ચક્ર પણ લગાવામાં આવ્યું હતું જ્યાં વિશ્વના મોટા નેતાએ પ્રધાનમંત્રી સાથે ફોટો પડાવ્યો હતો. આ જગ્યા પર જી ટ્વેન્ટીનો લોગો અને બાજુમાં લખ્યું હતું વસુધૈવ કુટુમ્બકમ. વસુધૈવ કુટુમ્બકમ સનાતન ધર્મનો મૂળ સંસ્કાર અને વિચાર છે. તેનો અર્થ થાય છે સંપૂર્ણ ધરતી એક પરિવાર છે. લોગો અને વસુધૈવ કુટુમ્બક લખ્યું છે તેની વચ્ચે એક ચક્ર પણ છે. આ ચક્ર ઓડિશાના પૂરી જિલ્લામાં આવેલા કોર્ણાકના સૂર્ય મંદિરનું છે. કોર્ણાકનું આ ચક્ર 13મી સદીમાં બનાવામાં આવ્યું હતું. રાજા નરસિંહદેવ પહેલાના શાસન કાળમાં આ ચક્ર બનાવામાં આવ્યું હતું. ભારતના ઝંડામાં જે ચક્ર છે તેના જેવું જ આ ચક્ર છે. આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, સુસંસ્કૃત સભ્યતા અને વાસ્તુકલાનું ઉત્તમ પ્રતિક છે. આ ચક્ર સમયનું પ્રતિક છે. યુનેસ્કોએ 1984માં કોર્ણાકના સૂર્ય મંદિરને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું હતું. 

Image


G20 નેતાઓના આજે શું કાર્યક્રમો?

Image

વિશ્વના શક્તિશાળી નેતાઓ ભારતમાં પહોંચી ગયા છે અને આજે જી ટ્વેન્ટીમાં અનેક કાર્યક્રમો થવાના છે. આજે બપોરે બધા નેતા ભોજન લેશે. સવારે પહેલી બેઠક તો થઈ ગઈ છે હવે ફરી દોઢ વાગ્યાથી 3 વાાગ્યા સુધી દ્વિપક્ષીય બેઠકો પણ થષે પછી 3 વાગ્યાથી 4.45 સુધી એક પરિવાર નામનું બીજુ સત્ર પણ યોજાવાનું છે. વૈશ્વિક નેતાઓ સાંજે સાત વાગ્યાથી 8 વાગ્યા સુધી રાત્રિ ભોજન લેવાના છે. પછી રાત્રે દિગ્ગજ નેતાઓ ભેગા થશે અને મુલાકાતો કરવાના છે. પછી હોટલ રવાના થશે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.