ભારત મંડપમની આ વાતો તમારે જાણવી જોઈએ, G20માં ભારતીય ધરોહર અને ઈતિહાસની ઝાંકી


  • Published By :
  • Published Date : 2023-09-09 14:39:44

ભારતમાં જી 20ના પહેલા સત્રનો પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ કરાવી દીધો છે. બધા મહેમાન નેતાઓએ દેશના પ્રધાનમંત્રી સાથે ફોટો પણ પડાવ્યો. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પાડવામાં આવ્યો તેની પાછળ અમુક ફોટો મૂકવામાં આવ્યા છે જે ભારતની સંસ્કૃતિ અને ભારતના ઈતિહાસને યાદ અપાવે છે. આ ફોટોમાં એક વિશાળ ચક્ર દેખાડવામાં આવ્યું છે જે કોર્ણાક મંદિરનું છે તેના વિશે વિગતવાર વાત કરીએ,

Image


ફોટોમાં દેખાતું આ ચક્ર ત્યાં શા માટે છે?

વિશ્વના અનેક મોટા નેતા આજે ભારતમાં વૈશ્વિક સમસ્યાઓ મામલે ચિંતન-મનન કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે બેઠક પણ થઈ જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આજ સવારના જ્યારે દેશના દિગ્ગજ નેતાઓ મળ્યા ત્યારે દિલ્લીમાં બનેલા જી ટ્વેન્ટીના ભારત મંડપમમાં અનેક વસ્તુ પર નજર દોડાવવા જેવી છે. દેશના નાગરિક તરીકે આપણને આપણો વારસો ખબર હોવી જોઈએ. ભારત મંડપમની બહાર એક વિશાળ અને સુંદર નટરાજની પ્રતિમા લગાવામાં આવી હતી, મંડપમમાં અંદર કોર્ણાકનું ચક્ર પણ લગાવામાં આવ્યું હતું જ્યાં વિશ્વના મોટા નેતાએ પ્રધાનમંત્રી સાથે ફોટો પડાવ્યો હતો. આ જગ્યા પર જી ટ્વેન્ટીનો લોગો અને બાજુમાં લખ્યું હતું વસુધૈવ કુટુમ્બકમ. વસુધૈવ કુટુમ્બકમ સનાતન ધર્મનો મૂળ સંસ્કાર અને વિચાર છે. તેનો અર્થ થાય છે સંપૂર્ણ ધરતી એક પરિવાર છે. લોગો અને વસુધૈવ કુટુમ્બક લખ્યું છે તેની વચ્ચે એક ચક્ર પણ છે. આ ચક્ર ઓડિશાના પૂરી જિલ્લામાં આવેલા કોર્ણાકના સૂર્ય મંદિરનું છે. કોર્ણાકનું આ ચક્ર 13મી સદીમાં બનાવામાં આવ્યું હતું. રાજા નરસિંહદેવ પહેલાના શાસન કાળમાં આ ચક્ર બનાવામાં આવ્યું હતું. ભારતના ઝંડામાં જે ચક્ર છે તેના જેવું જ આ ચક્ર છે. આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, સુસંસ્કૃત સભ્યતા અને વાસ્તુકલાનું ઉત્તમ પ્રતિક છે. આ ચક્ર સમયનું પ્રતિક છે. યુનેસ્કોએ 1984માં કોર્ણાકના સૂર્ય મંદિરને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું હતું. 

Image


G20 નેતાઓના આજે શું કાર્યક્રમો?

Image

વિશ્વના શક્તિશાળી નેતાઓ ભારતમાં પહોંચી ગયા છે અને આજે જી ટ્વેન્ટીમાં અનેક કાર્યક્રમો થવાના છે. આજે બપોરે બધા નેતા ભોજન લેશે. સવારે પહેલી બેઠક તો થઈ ગઈ છે હવે ફરી દોઢ વાગ્યાથી 3 વાાગ્યા સુધી દ્વિપક્ષીય બેઠકો પણ થષે પછી 3 વાગ્યાથી 4.45 સુધી એક પરિવાર નામનું બીજુ સત્ર પણ યોજાવાનું છે. વૈશ્વિક નેતાઓ સાંજે સાત વાગ્યાથી 8 વાગ્યા સુધી રાત્રિ ભોજન લેવાના છે. પછી રાત્રે દિગ્ગજ નેતાઓ ભેગા થશે અને મુલાકાતો કરવાના છે. પછી હોટલ રવાના થશે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .