ભારત મંડપમની આ વાતો તમારે જાણવી જોઈએ, G20માં ભારતીય ધરોહર અને ઈતિહાસની ઝાંકી


  • Published By :
  • Published Date : 2023-09-09 14:39:44

ભારતમાં જી 20ના પહેલા સત્રનો પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ કરાવી દીધો છે. બધા મહેમાન નેતાઓએ દેશના પ્રધાનમંત્રી સાથે ફોટો પણ પડાવ્યો. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પાડવામાં આવ્યો તેની પાછળ અમુક ફોટો મૂકવામાં આવ્યા છે જે ભારતની સંસ્કૃતિ અને ભારતના ઈતિહાસને યાદ અપાવે છે. આ ફોટોમાં એક વિશાળ ચક્ર દેખાડવામાં આવ્યું છે જે કોર્ણાક મંદિરનું છે તેના વિશે વિગતવાર વાત કરીએ,

Image


ફોટોમાં દેખાતું આ ચક્ર ત્યાં શા માટે છે?

વિશ્વના અનેક મોટા નેતા આજે ભારતમાં વૈશ્વિક સમસ્યાઓ મામલે ચિંતન-મનન કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે બેઠક પણ થઈ જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આજ સવારના જ્યારે દેશના દિગ્ગજ નેતાઓ મળ્યા ત્યારે દિલ્લીમાં બનેલા જી ટ્વેન્ટીના ભારત મંડપમમાં અનેક વસ્તુ પર નજર દોડાવવા જેવી છે. દેશના નાગરિક તરીકે આપણને આપણો વારસો ખબર હોવી જોઈએ. ભારત મંડપમની બહાર એક વિશાળ અને સુંદર નટરાજની પ્રતિમા લગાવામાં આવી હતી, મંડપમમાં અંદર કોર્ણાકનું ચક્ર પણ લગાવામાં આવ્યું હતું જ્યાં વિશ્વના મોટા નેતાએ પ્રધાનમંત્રી સાથે ફોટો પડાવ્યો હતો. આ જગ્યા પર જી ટ્વેન્ટીનો લોગો અને બાજુમાં લખ્યું હતું વસુધૈવ કુટુમ્બકમ. વસુધૈવ કુટુમ્બકમ સનાતન ધર્મનો મૂળ સંસ્કાર અને વિચાર છે. તેનો અર્થ થાય છે સંપૂર્ણ ધરતી એક પરિવાર છે. લોગો અને વસુધૈવ કુટુમ્બક લખ્યું છે તેની વચ્ચે એક ચક્ર પણ છે. આ ચક્ર ઓડિશાના પૂરી જિલ્લામાં આવેલા કોર્ણાકના સૂર્ય મંદિરનું છે. કોર્ણાકનું આ ચક્ર 13મી સદીમાં બનાવામાં આવ્યું હતું. રાજા નરસિંહદેવ પહેલાના શાસન કાળમાં આ ચક્ર બનાવામાં આવ્યું હતું. ભારતના ઝંડામાં જે ચક્ર છે તેના જેવું જ આ ચક્ર છે. આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, સુસંસ્કૃત સભ્યતા અને વાસ્તુકલાનું ઉત્તમ પ્રતિક છે. આ ચક્ર સમયનું પ્રતિક છે. યુનેસ્કોએ 1984માં કોર્ણાકના સૂર્ય મંદિરને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું હતું. 

Image


G20 નેતાઓના આજે શું કાર્યક્રમો?

Image

વિશ્વના શક્તિશાળી નેતાઓ ભારતમાં પહોંચી ગયા છે અને આજે જી ટ્વેન્ટીમાં અનેક કાર્યક્રમો થવાના છે. આજે બપોરે બધા નેતા ભોજન લેશે. સવારે પહેલી બેઠક તો થઈ ગઈ છે હવે ફરી દોઢ વાગ્યાથી 3 વાાગ્યા સુધી દ્વિપક્ષીય બેઠકો પણ થષે પછી 3 વાગ્યાથી 4.45 સુધી એક પરિવાર નામનું બીજુ સત્ર પણ યોજાવાનું છે. વૈશ્વિક નેતાઓ સાંજે સાત વાગ્યાથી 8 વાગ્યા સુધી રાત્રિ ભોજન લેવાના છે. પછી રાત્રે દિગ્ગજ નેતાઓ ભેગા થશે અને મુલાકાતો કરવાના છે. પછી હોટલ રવાના થશે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.