નાની વયે બાળકોને વાહન આપતા પહેલા વિચારજો, અમદાવાદમાં ટુ-વ્હીલર સ્લીપ થતાં સગીરનું થયું મોત, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-15 14:15:39

નાની ઉંમરે બાળકો વાહનો ચલાવાની જીદ કરતા હોય છે. અનેક બાળકોને તો તેમના માતા-પિતા વાહન આપી દેતા હોય છે. વાહનો લઈ બાળકો સ્કુલે જતા હોય છે તો તેમના વાલીઓ આ વાત પર ગર્વ લેતા હોય છે. પરંતુ વાહનો આપી દેવાથી અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. 16 વર્ષની દીકરીને વાહન ચલાવા આપ્યું. સગીરાએ સોસાયટીમાં રહેતા સગીરને વાહન આપ્યું. વાહન સ્લીપ થતાં બંને પડ્યા અને સગીરનું મોત થઈ ગયું. આ મામલામાં સગીરાના પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. 


અમદાવાદમાં બની ઘટના 

આજકાલના છોકરાઓ સગીર વયે ટુ વ્હીલર ચલાવતા થઈ ગયા છે. લાઈસન્સ આવે તે પહેલા વાહનો લઈ ફરતા હોય છે. સ્કુલ જવું હોય કે ટ્યુશનમાં જવું હોય તો આજની પેઢી ટુ વ્હીલર લઈને જતાં હોય છે. માતા પિતા પણ હર્ખાઈને વાહન ચલાવા આપી દેતા હોય છે. જેને કારણે ગંભીર પરિણામ ભોગવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચેતવણીરુપ એક કિસ્સો બન્યો છે.      


સ્લીપ થતાં સારવાર દરમિયાન થયું સગીરનું મોત 

અમદાવાદના કુબેરનગરની 16 વર્ષની સગીરા ટુ-વ્હીલર લઈને સ્કુલે જવા નીકળી હતી. સગીરાએ તેમની સોસાયટીમાં રહેતા સગીરને વાહન ચલાવા આપ્યું. સરદારનગર ભાગ્યોદય સોસાયટી પાસે વાહન  સ્લીપ થઈ જતા બંને પટકાયા હતા. અકસ્માતને પગલે લોકો ભેગા થયા અને બંનેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું. 


સગીરાના પિતા વિરુદ્ધ કરાઈ કાર્યવાહી 

છોકરીની ઉંમર નાની હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું જે બદલ પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેમને જાણ થઈ કે સગીરા પાસે લાઈસન્સ ન હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું. જે બાદ તેઓ પોતે જ આ મામલાના ફરિયાદી બન્યા અને સગીરાના પિતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવા તો અનેક વાલીઓ હશે જે નાની ઉંમરે બાળકોને વાહન ચલાવા આપી દેતા હોય છે. આવા કેસમાં અકસ્માત થાય તો કોણ જવાબદાર?    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.