નાની વયે બાળકોને વાહન આપતા પહેલા વિચારજો, અમદાવાદમાં ટુ-વ્હીલર સ્લીપ થતાં સગીરનું થયું મોત, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-15 14:15:39

નાની ઉંમરે બાળકો વાહનો ચલાવાની જીદ કરતા હોય છે. અનેક બાળકોને તો તેમના માતા-પિતા વાહન આપી દેતા હોય છે. વાહનો લઈ બાળકો સ્કુલે જતા હોય છે તો તેમના વાલીઓ આ વાત પર ગર્વ લેતા હોય છે. પરંતુ વાહનો આપી દેવાથી અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. 16 વર્ષની દીકરીને વાહન ચલાવા આપ્યું. સગીરાએ સોસાયટીમાં રહેતા સગીરને વાહન આપ્યું. વાહન સ્લીપ થતાં બંને પડ્યા અને સગીરનું મોત થઈ ગયું. આ મામલામાં સગીરાના પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. 


અમદાવાદમાં બની ઘટના 

આજકાલના છોકરાઓ સગીર વયે ટુ વ્હીલર ચલાવતા થઈ ગયા છે. લાઈસન્સ આવે તે પહેલા વાહનો લઈ ફરતા હોય છે. સ્કુલ જવું હોય કે ટ્યુશનમાં જવું હોય તો આજની પેઢી ટુ વ્હીલર લઈને જતાં હોય છે. માતા પિતા પણ હર્ખાઈને વાહન ચલાવા આપી દેતા હોય છે. જેને કારણે ગંભીર પરિણામ ભોગવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચેતવણીરુપ એક કિસ્સો બન્યો છે.      


સ્લીપ થતાં સારવાર દરમિયાન થયું સગીરનું મોત 

અમદાવાદના કુબેરનગરની 16 વર્ષની સગીરા ટુ-વ્હીલર લઈને સ્કુલે જવા નીકળી હતી. સગીરાએ તેમની સોસાયટીમાં રહેતા સગીરને વાહન ચલાવા આપ્યું. સરદારનગર ભાગ્યોદય સોસાયટી પાસે વાહન  સ્લીપ થઈ જતા બંને પટકાયા હતા. અકસ્માતને પગલે લોકો ભેગા થયા અને બંનેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું. 


સગીરાના પિતા વિરુદ્ધ કરાઈ કાર્યવાહી 

છોકરીની ઉંમર નાની હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું જે બદલ પિતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેમને જાણ થઈ કે સગીરા પાસે લાઈસન્સ ન હોવા છતાંય વાહન આપવામાં આવ્યું હતું. જે બાદ તેઓ પોતે જ આ મામલાના ફરિયાદી બન્યા અને સગીરાના પિતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવા તો અનેક વાલીઓ હશે જે નાની ઉંમરે બાળકોને વાહન ચલાવા આપી દેતા હોય છે. આવા કેસમાં અકસ્માત થાય તો કોણ જવાબદાર?    




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.