ઘી લેતા પહેલા વિચારજો, Deesaમાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે-બે ફેક્ટરીઓ પકડાઈ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 17:03:30

નકલીની સીઝન વચ્ચે નકલી ઘી બનાવતી એક નહિ બે બે ફેક્ટરીઓ ઝડપાઇ છે. આ મિલાવટ સામે જમાવટ જરૂરી છે કારણ કે આ મિલાવટીયાઓ અને આ માનવજાતના દુશ્મનો તમને મને અને આપણા પરિવારને રોજ સ્વીટ પોઇઝન પીરસે છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી.


ઘીમાં ભેળસેળ કરવાની બાતમી મળ્યા બાદ કરવામાં આવી તપાસ!   

બિન્દાસ્ત રીતે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતા લોકો આખી ફેકટરીઓ ખોલીને બેસી જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. અંદાજે 9 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં પદમનાથ ફુડ પ્રોડકટસ પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે. 

તપાસ કરતા ફેક્ટરીમાંથી મળી આવ્યું વનસ્પતિ ઘી!  

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલી બીજી પેઢી, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા શંકાસ્પદ ઘીના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘીનો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમુના લેવામાં આવ્યા જ્યારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

મોડી રાત્રે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા ફૂડ વિભાગ ને જાણ કરાઇ હતી જે બાદ સેમ્પલ લઇ અન્ય મુદ્દામાલ સીઝ કરાયો છે. સેમ્પલનુ રિઝલ્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેવું ફૂડ વિભાગે જણાવ્યું છે. 


પૈસા કમાવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે કરે છે ચેડા

આ મિલાવટ કરનારાઓ સામે અમે જમાવટ કરતા જ રહીશું પણ તમારે પણ આ મિલાવટીયાઓને ઓળખવા પડશે. કારણ કે આ લોકો રૂપિયા કમાવવાની લાહ્યમાં લોકોના જીવ લેવા બેઠા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.