ઘી લેતા પહેલા વિચારજો, Deesaમાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે-બે ફેક્ટરીઓ પકડાઈ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 17:03:30

નકલીની સીઝન વચ્ચે નકલી ઘી બનાવતી એક નહિ બે બે ફેક્ટરીઓ ઝડપાઇ છે. આ મિલાવટ સામે જમાવટ જરૂરી છે કારણ કે આ મિલાવટીયાઓ અને આ માનવજાતના દુશ્મનો તમને મને અને આપણા પરિવારને રોજ સ્વીટ પોઇઝન પીરસે છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી.


ઘીમાં ભેળસેળ કરવાની બાતમી મળ્યા બાદ કરવામાં આવી તપાસ!   

બિન્દાસ્ત રીતે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતા લોકો આખી ફેકટરીઓ ખોલીને બેસી જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. અંદાજે 9 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં પદમનાથ ફુડ પ્રોડકટસ પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે. 

તપાસ કરતા ફેક્ટરીમાંથી મળી આવ્યું વનસ્પતિ ઘી!  

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલી બીજી પેઢી, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા શંકાસ્પદ ઘીના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘીનો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમુના લેવામાં આવ્યા જ્યારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

મોડી રાત્રે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા ફૂડ વિભાગ ને જાણ કરાઇ હતી જે બાદ સેમ્પલ લઇ અન્ય મુદ્દામાલ સીઝ કરાયો છે. સેમ્પલનુ રિઝલ્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેવું ફૂડ વિભાગે જણાવ્યું છે. 


પૈસા કમાવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે કરે છે ચેડા

આ મિલાવટ કરનારાઓ સામે અમે જમાવટ કરતા જ રહીશું પણ તમારે પણ આ મિલાવટીયાઓને ઓળખવા પડશે. કારણ કે આ લોકો રૂપિયા કમાવવાની લાહ્યમાં લોકોના જીવ લેવા બેઠા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.