ઘી લેતા પહેલા વિચારજો, Deesaમાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે-બે ફેક્ટરીઓ પકડાઈ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 17:03:30

નકલીની સીઝન વચ્ચે નકલી ઘી બનાવતી એક નહિ બે બે ફેક્ટરીઓ ઝડપાઇ છે. આ મિલાવટ સામે જમાવટ જરૂરી છે કારણ કે આ મિલાવટીયાઓ અને આ માનવજાતના દુશ્મનો તમને મને અને આપણા પરિવારને રોજ સ્વીટ પોઇઝન પીરસે છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી.


ઘીમાં ભેળસેળ કરવાની બાતમી મળ્યા બાદ કરવામાં આવી તપાસ!   

બિન્દાસ્ત રીતે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતા લોકો આખી ફેકટરીઓ ખોલીને બેસી જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. અંદાજે 9 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં પદમનાથ ફુડ પ્રોડકટસ પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે. 

તપાસ કરતા ફેક્ટરીમાંથી મળી આવ્યું વનસ્પતિ ઘી!  

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલી બીજી પેઢી, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા શંકાસ્પદ ઘીના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘીનો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમુના લેવામાં આવ્યા જ્યારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

મોડી રાત્રે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા ફૂડ વિભાગ ને જાણ કરાઇ હતી જે બાદ સેમ્પલ લઇ અન્ય મુદ્દામાલ સીઝ કરાયો છે. સેમ્પલનુ રિઝલ્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેવું ફૂડ વિભાગે જણાવ્યું છે. 


પૈસા કમાવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે કરે છે ચેડા

આ મિલાવટ કરનારાઓ સામે અમે જમાવટ કરતા જ રહીશું પણ તમારે પણ આ મિલાવટીયાઓને ઓળખવા પડશે. કારણ કે આ લોકો રૂપિયા કમાવવાની લાહ્યમાં લોકોના જીવ લેવા બેઠા છે.



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.