સમાજવાદી પાર્ટીની વધુ 5 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, શિવપાલ યાદવ આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-20 19:38:03

આગામી લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ તેના વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, આ ત્રીજી યાદીમાં પાંચ ઉમેદવારોમાં અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવનો પણ સમાવેશ થાય છે. શિવપાલ યાદવને સમાજવાદી પાર્ટીએ બદાયું લોકસભા સીટના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ પહેલી યાદીમાં આ સીટ પરથી ધર્મેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત કૈરાના, અને બરેલી જેવી મહત્વની સીટો પરથી પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 


32 બેઠકો માટે ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ પોતાની ત્રીજી યાદીમાં કૈરાનાથી ઇકરા હસન, બદાયૂંથી શિવપાલ સિંહ યાદવ, બરેલી બેઠક પરથી પ્રવીણ સિંહ એરન, હમીરપુરથી અજેન્દ્ર સિંહ રાજપૂત અને વારાણસીથી સુરેન્દ્ર સિંહ પટેલને ટિકિટ આપી છે. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે, જેમાં તેણે લોકસભાની 80માંથી 32 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.