સમાજવાદી પાર્ટીની વધુ 5 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, શિવપાલ યાદવ આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-20 19:38:03

આગામી લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ તેના વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, આ ત્રીજી યાદીમાં પાંચ ઉમેદવારોમાં અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવનો પણ સમાવેશ થાય છે. શિવપાલ યાદવને સમાજવાદી પાર્ટીએ બદાયું લોકસભા સીટના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ પહેલી યાદીમાં આ સીટ પરથી ધર્મેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત કૈરાના, અને બરેલી જેવી મહત્વની સીટો પરથી પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 


32 બેઠકો માટે ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ પોતાની ત્રીજી યાદીમાં કૈરાનાથી ઇકરા હસન, બદાયૂંથી શિવપાલ સિંહ યાદવ, બરેલી બેઠક પરથી પ્રવીણ સિંહ એરન, હમીરપુરથી અજેન્દ્ર સિંહ રાજપૂત અને વારાણસીથી સુરેન્દ્ર સિંહ પટેલને ટિકિટ આપી છે. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે, જેમાં તેણે લોકસભાની 80માંથી 32 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?