સમાજવાદી પાર્ટીની વધુ 5 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, શિવપાલ યાદવ આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-20 19:38:03

આગામી લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ તેના વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, આ ત્રીજી યાદીમાં પાંચ ઉમેદવારોમાં અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવનો પણ સમાવેશ થાય છે. શિવપાલ યાદવને સમાજવાદી પાર્ટીએ બદાયું લોકસભા સીટના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ પહેલી યાદીમાં આ સીટ પરથી ધર્મેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત કૈરાના, અને બરેલી જેવી મહત્વની સીટો પરથી પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 


32 બેઠકો માટે ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ પોતાની ત્રીજી યાદીમાં કૈરાનાથી ઇકરા હસન, બદાયૂંથી શિવપાલ સિંહ યાદવ, બરેલી બેઠક પરથી પ્રવીણ સિંહ એરન, હમીરપુરથી અજેન્દ્ર સિંહ રાજપૂત અને વારાણસીથી સુરેન્દ્ર સિંહ પટેલને ટિકિટ આપી છે. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે, જેમાં તેણે લોકસભાની 80માંથી 32 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.