સરકારી નોકરી માટે તરસતા યુવાનોએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું કર્યું અનોખું અભિયાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-31 19:48:10

રાજ્યના બેરોજગાર યુવાનો માટે સરકારની નોકરી એ જાણે જીવનનું અંતિમ ધ્યેય બની ગયું છે. ચૂંટણીઓની મોસમ આવે એટલે દરેક સરકાર પોતાના મેનીફેસ્ટોમાં આટલી નોકરીઓ આપીશું તેની જાહેરાત કરતી સરકાર ખરેખર તો ચૂંટણી પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ પણ ભરતી નથી. આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે અને આજે જ PM મોદીનું હોમસ્ટેટ ગુજરાત આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચામાં છે. સરકારી નોકરી માટે તરસતા બેરોજગાર યુવાનો એ સોશિયલ મીડિયા પર #Guj_ govt_declares_Recruitment  ટ્રેન્ડ શરૂ કર્યો છે. 


સરકાર ક્યારે જાગશે?


સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ગુજરાતના બેકાર યુવાનો પ્લેટફોર્મ X પર ગુજરાત સરકારની  વિવિધ ખાલી પડી રહેલી જગ્યાઓની નોટિફિકેશન જાહેર કરવા ઉપરાંત કેલેન્ડર જાહેર કરવા માંગણી કરી રહ્યા છે . આ પ્રકારની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બની અને આ ટ્રેન્ડ પર 1 લાખ 7 હજાર કરતા વધુ ટવિટ થઈ ચુકી છે. આ ટ્રેન્ડ પ્લેટફોર્મ X પર ઉમેદવારોની એકતાનું પ્રતીક બની ચૂક્યું છે. રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે જયારે નોકરીની જાહેરાતમાં મોડું થાય, ડમી ઉમેદવાર પકડાય તદુપરાંત કૌભાંડ બહાર આવે ત્યારે પરીક્ષાઓ રદ્દ થતી હોય છે તેથી યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આથી સરકારે પણ હવે મુદ્દે સક્રિય થવાની જરૂર છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.