સરકારી નોકરી માટે તરસતા યુવાનોએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું કર્યું અનોખું અભિયાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-31 19:48:10

રાજ્યના બેરોજગાર યુવાનો માટે સરકારની નોકરી એ જાણે જીવનનું અંતિમ ધ્યેય બની ગયું છે. ચૂંટણીઓની મોસમ આવે એટલે દરેક સરકાર પોતાના મેનીફેસ્ટોમાં આટલી નોકરીઓ આપીશું તેની જાહેરાત કરતી સરકાર ખરેખર તો ચૂંટણી પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ પણ ભરતી નથી. આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે અને આજે જ PM મોદીનું હોમસ્ટેટ ગુજરાત આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચર્ચામાં છે. સરકારી નોકરી માટે તરસતા બેરોજગાર યુવાનો એ સોશિયલ મીડિયા પર #Guj_ govt_declares_Recruitment  ટ્રેન્ડ શરૂ કર્યો છે. 


સરકાર ક્યારે જાગશે?


સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ગુજરાતના બેકાર યુવાનો પ્લેટફોર્મ X પર ગુજરાત સરકારની  વિવિધ ખાલી પડી રહેલી જગ્યાઓની નોટિફિકેશન જાહેર કરવા ઉપરાંત કેલેન્ડર જાહેર કરવા માંગણી કરી રહ્યા છે . આ પ્રકારની ઘટના ગુજરાતના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બની અને આ ટ્રેન્ડ પર 1 લાખ 7 હજાર કરતા વધુ ટવિટ થઈ ચુકી છે. આ ટ્રેન્ડ પ્લેટફોર્મ X પર ઉમેદવારોની એકતાનું પ્રતીક બની ચૂક્યું છે. રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે જયારે નોકરીની જાહેરાતમાં મોડું થાય, ડમી ઉમેદવાર પકડાય તદુપરાંત કૌભાંડ બહાર આવે ત્યારે પરીક્ષાઓ રદ્દ થતી હોય છે તેથી યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આથી સરકારે પણ હવે મુદ્દે સક્રિય થવાની જરૂર છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.