ગુજરાત વિધાનસભા ચૂંટણીની મોટી વાતો જાણવા આ વાંચો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:56:37

આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાથી ચૂંટણી પંચ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યું છે. તેવામાં આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તાએ લોકો સમક્ષ આ ચૂંટણીની ખાસ વિગતો સામે રાખી હતી. આવો જાણીએ આ ચૂંટણી શા માટે ખાસ છે...  


મતદાન કરવા મુખ્ય ચૂંટણી કમિશનરની અપીલ 

વિધાનસભા ચૂંટણીમાં તમામ મતદારોને મતદાન કરવા માટે રાજીવ ગુપ્તાએ અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભામાં પોતાના મતદાનની શક્તિનો ઉપયોગ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં વાક્ય બોલતા કહ્યું હતું કે "આવ્યો ચૂંટણીનો અવસર રડિયામણો, મતદાન કરવાનું ચૂકશો નહીં." ચૂંટણી પંચે બે દિવસ દરમિયાન તમામ કલેક્ટર અને ગૃહવિભાગના અધિકારીઓ સહિત પોલીસ વિભાગ સાથે બેઠકો કરી મતદાન સુવ્યવસ્થિત રીતે કરવા માટે સૂચનો આપ્યા હતા. ચૂંટણી પંચે મતદાન કરવાની તક ન ચૂકવા અપીલ કરી હતી. 

પત્રકાર પરિષદ સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તા

થોડો આંકડાકીય ખેલ સમજીએ

ગુજરાતમાં 33 જિલ્લા છે અને 6 કરોડથી વધુની જનસંખ્યા ધરાવતું રાજ્ય છે. 12 ફેબ્રુઆરીના દિવસે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે. 6 કરોડથી વધુ જનસંખ્યામાંથી 2.5 કરોડ પુરુષ મતદારો છે અને 2.37 કરોડ સ્ત્રી મતદારો છે. ગુજરાતની આ વિધાનસભા ચૂંટણીમાં 4 લાખથી વધુ દિવ્યાંગો મતદાન કરશે. આ સિવાય 11 હજાર 842 લોકો એવા છે જેની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ ચૂંટણીમાં 1,291 મતદારો થર્ડ જેન્ડરના હશે જેમનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 17 સીટ અનુસૂચિત જાતિના લોકો માટે અનામત રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જનજાતિના લોકો માટે 13 બેઠકો અનામત રાખવામાં આવી છે. ગુજરાતમાં દર 1 હજાર પુરુષો પર 934 મહિલાઓ છે, એટલે કે સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ ગુજરાતમાં 934 છે. ગુજરાતમાં 51 હજાર 782 મતદાન બુથ રહેશે જેમાંથી 34 હજાર 276 મતદાન બુથ ગ્રામ્ય વિસ્તારમાં રહેશે. 


આ વિધાનસભા ચૂંટણીમાં શું ખાસ છે...

ચૂંટણી પંચે દિવ્યાંગો, નવા મતદારો અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધા આપવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ચૂંટણી પંચે શતાયુ લોકો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવાની સૂચના આપી હતી. શતાયુ લોકો માટે કલેક્ટર ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવશે જેથી શતાયુ લોકો ચૂંટણીમાં મતદાન કરી શકે. શતાયુ લોકો મતદાન કરે ત્યાર બાદ તેમનું વિશેષ રીતે અભિનંદન કરવામાં આવશે. દરેક વિધાનસભામાં એક મોડલ ચૂંટણી મથક રહેશે, ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે પણ બેઠકો કરી હતી અને તેમના મંતવ્યો સાંભળ્યા હતા. આ સમયે મતદાન ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવશે જેથી દિવ્યાંગો અને શતાયુ લોકોને મતદાન કરવામાં કોઈ તકલીફ ના પડે. ચૂંટણીમાં ખાસ વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચૂટણી લડવાનો સૌનો અધિકાર છે પણ કોઈ ઉમેદવારનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમના પર ક્રિમિનલ એક્ટિવિટી હોય તેનો એફિડેવિટ કરવામાં આવશે અને તેને ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. તમામ ઉમેદવારોનું કેવાયસી કરવામાં આવશે. ચૂંટણી પંચે આયોજન કર્યું છે કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં સાત બુથ એવા હશે જેમાં મહિલા સંચાલકો પૂરા બુથનું સંચાલન કરશે. 





સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"