ગુજરાત વિધાનસભા ચૂંટણીની મોટી વાતો જાણવા આ વાંચો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:56:37

આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાથી ચૂંટણી પંચ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યું છે. તેવામાં આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તાએ લોકો સમક્ષ આ ચૂંટણીની ખાસ વિગતો સામે રાખી હતી. આવો જાણીએ આ ચૂંટણી શા માટે ખાસ છે...  


મતદાન કરવા મુખ્ય ચૂંટણી કમિશનરની અપીલ 

વિધાનસભા ચૂંટણીમાં તમામ મતદારોને મતદાન કરવા માટે રાજીવ ગુપ્તાએ અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભામાં પોતાના મતદાનની શક્તિનો ઉપયોગ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં વાક્ય બોલતા કહ્યું હતું કે "આવ્યો ચૂંટણીનો અવસર રડિયામણો, મતદાન કરવાનું ચૂકશો નહીં." ચૂંટણી પંચે બે દિવસ દરમિયાન તમામ કલેક્ટર અને ગૃહવિભાગના અધિકારીઓ સહિત પોલીસ વિભાગ સાથે બેઠકો કરી મતદાન સુવ્યવસ્થિત રીતે કરવા માટે સૂચનો આપ્યા હતા. ચૂંટણી પંચે મતદાન કરવાની તક ન ચૂકવા અપીલ કરી હતી. 

પત્રકાર પરિષદ સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તા

થોડો આંકડાકીય ખેલ સમજીએ

ગુજરાતમાં 33 જિલ્લા છે અને 6 કરોડથી વધુની જનસંખ્યા ધરાવતું રાજ્ય છે. 12 ફેબ્રુઆરીના દિવસે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે. 6 કરોડથી વધુ જનસંખ્યામાંથી 2.5 કરોડ પુરુષ મતદારો છે અને 2.37 કરોડ સ્ત્રી મતદારો છે. ગુજરાતની આ વિધાનસભા ચૂંટણીમાં 4 લાખથી વધુ દિવ્યાંગો મતદાન કરશે. આ સિવાય 11 હજાર 842 લોકો એવા છે જેની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ ચૂંટણીમાં 1,291 મતદારો થર્ડ જેન્ડરના હશે જેમનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 17 સીટ અનુસૂચિત જાતિના લોકો માટે અનામત રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જનજાતિના લોકો માટે 13 બેઠકો અનામત રાખવામાં આવી છે. ગુજરાતમાં દર 1 હજાર પુરુષો પર 934 મહિલાઓ છે, એટલે કે સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ ગુજરાતમાં 934 છે. ગુજરાતમાં 51 હજાર 782 મતદાન બુથ રહેશે જેમાંથી 34 હજાર 276 મતદાન બુથ ગ્રામ્ય વિસ્તારમાં રહેશે. 


આ વિધાનસભા ચૂંટણીમાં શું ખાસ છે...

ચૂંટણી પંચે દિવ્યાંગો, નવા મતદારો અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધા આપવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ચૂંટણી પંચે શતાયુ લોકો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવાની સૂચના આપી હતી. શતાયુ લોકો માટે કલેક્ટર ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવશે જેથી શતાયુ લોકો ચૂંટણીમાં મતદાન કરી શકે. શતાયુ લોકો મતદાન કરે ત્યાર બાદ તેમનું વિશેષ રીતે અભિનંદન કરવામાં આવશે. દરેક વિધાનસભામાં એક મોડલ ચૂંટણી મથક રહેશે, ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે પણ બેઠકો કરી હતી અને તેમના મંતવ્યો સાંભળ્યા હતા. આ સમયે મતદાન ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવશે જેથી દિવ્યાંગો અને શતાયુ લોકોને મતદાન કરવામાં કોઈ તકલીફ ના પડે. ચૂંટણીમાં ખાસ વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચૂટણી લડવાનો સૌનો અધિકાર છે પણ કોઈ ઉમેદવારનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમના પર ક્રિમિનલ એક્ટિવિટી હોય તેનો એફિડેવિટ કરવામાં આવશે અને તેને ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. તમામ ઉમેદવારોનું કેવાયસી કરવામાં આવશે. ચૂંટણી પંચે આયોજન કર્યું છે કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં સાત બુથ એવા હશે જેમાં મહિલા સંચાલકો પૂરા બુથનું સંચાલન કરશે. 





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.