મણિપુર હિંસાને લઈ ભાજપના આ નેતા થયા નારાજ! પીએમ મોદીએ કાર્યવાહી ના કરી એટલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું! જાણો


  • Published By :
  • Published Date : 2023-07-28 10:06:52

મણિપુરમાં અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિપક્ષ દ્વારા સતત મણિપુરને લઈ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ સત્તાપક્ષ દ્વારા એટલે કે મણિપુરની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રધાનમંત્રીએ તો જાણે આ મામલે ન બોલવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ મામલે તો અન્ય કોઈ પણ કેન્દ્રીય મંત્રી બોલવા નથી માગતા. સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે દ્રશ્યો તો આપણે જોયા છે. એવો હોબાળો થાય કે કાર્યવાહી જ સ્થગિત કરવી પડે છે. વાત સંસદની નહી પરંતુ બિહારના એક ભાજપના નેતાની કરવી છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. 

જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો સંસદમાં ઉઠે છે ત્યારે થાય છે હોબાળો 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસા ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. અનેક વખત એકાએક હિંસા ત્યાં ફાટી નીકળતી હોય છે. અનેક લોકોએ પોતાના જીવને ગુમાવ્યા છે જ્યારે લોકોએ પોતાનું સ્વર્સ્વ ગુમાવી દીધું છે. મણિપુરમાં ફાટી નિકળેલી હિંસાની નોંધ વિદેશી મીડિયાએ લીધી છે પરંતુ કેન્દ્ર સરકારને જાણે મણિપુરમાં થતી હિંસા દેખાતી જ નથી એવું લાગે છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરને લઈ ચર્ચાઓ ઉઠે છે ત્યારે હોબાળો થાય છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ સંસદમાં નિવેદન આપ્યું છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ આ મામલે ચર્ચા કરવા તૈયાર નથી. આ વાત માનવામાં આવે? શું હજી સુધી કાર્યવાહી કરવા માટે ચોમાસા સત્રની રાહ જોવાઈ રહી હતી? આટલા મહિનાઓ સુધી પીએમને તેમજ અનેક મંત્રીઓને મણિપુરમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ધ્યાન જ ન હતું? 

બિહારના ભાજપના નેતાએ આપ્યું પાર્ટીમાંથી રાજીનામું  

પીએમ મોદીને મળવા અનેક વખત મણિપુરના સાંસદોએ સમય માગ્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયથી તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બધા વચ્ચે મણિપુરની હિંસાને જોતા અને કેન્દ્ર સરકાર દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈ બિહારમાં ભાજપના નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિનોદ શર્માએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળ કામ કરવું તેમને કલંકિત લાગે છે. જે.પી. નડ્ડાને રાજીનામું સોંપતા તેમણે લખ્યું કે "I have resigned from BJP with a heavy heart. Manipur situation has defamed India," મીડિયા સમક્ષ વાત કરતા વિનોદ શર્માએ કહ્યું કે જો પીએમ મોદીમાં થોડી પણ માનવતા છે તો તે તરત મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું લઈ શકે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.