મણિપુર હિંસાને લઈ ભાજપના આ નેતા થયા નારાજ! પીએમ મોદીએ કાર્યવાહી ના કરી એટલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું! જાણો


  • Published By :
  • Published Date : 2023-07-28 10:06:52

મણિપુરમાં અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિપક્ષ દ્વારા સતત મણિપુરને લઈ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ સત્તાપક્ષ દ્વારા એટલે કે મણિપુરની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પ્રધાનમંત્રીએ તો જાણે આ મામલે ન બોલવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ મામલે તો અન્ય કોઈ પણ કેન્દ્રીય મંત્રી બોલવા નથી માગતા. સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે દ્રશ્યો તો આપણે જોયા છે. એવો હોબાળો થાય કે કાર્યવાહી જ સ્થગિત કરવી પડે છે. વાત સંસદની નહી પરંતુ બિહારના એક ભાજપના નેતાની કરવી છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. 

જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો સંસદમાં ઉઠે છે ત્યારે થાય છે હોબાળો 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસા ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. અનેક વખત એકાએક હિંસા ત્યાં ફાટી નીકળતી હોય છે. અનેક લોકોએ પોતાના જીવને ગુમાવ્યા છે જ્યારે લોકોએ પોતાનું સ્વર્સ્વ ગુમાવી દીધું છે. મણિપુરમાં ફાટી નિકળેલી હિંસાની નોંધ વિદેશી મીડિયાએ લીધી છે પરંતુ કેન્દ્ર સરકારને જાણે મણિપુરમાં થતી હિંસા દેખાતી જ નથી એવું લાગે છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરને લઈ ચર્ચાઓ ઉઠે છે ત્યારે હોબાળો થાય છે અને કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ સંસદમાં નિવેદન આપ્યું છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ આ મામલે ચર્ચા કરવા તૈયાર નથી. આ વાત માનવામાં આવે? શું હજી સુધી કાર્યવાહી કરવા માટે ચોમાસા સત્રની રાહ જોવાઈ રહી હતી? આટલા મહિનાઓ સુધી પીએમને તેમજ અનેક મંત્રીઓને મણિપુરમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ધ્યાન જ ન હતું? 

બિહારના ભાજપના નેતાએ આપ્યું પાર્ટીમાંથી રાજીનામું  

પીએમ મોદીને મળવા અનેક વખત મણિપુરના સાંસદોએ સમય માગ્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયથી તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બધા વચ્ચે મણિપુરની હિંસાને જોતા અને કેન્દ્ર સરકાર દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈ બિહારમાં ભાજપના નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિનોદ શર્માએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળ કામ કરવું તેમને કલંકિત લાગે છે. જે.પી. નડ્ડાને રાજીનામું સોંપતા તેમણે લખ્યું કે "I have resigned from BJP with a heavy heart. Manipur situation has defamed India," મીડિયા સમક્ષ વાત કરતા વિનોદ શર્માએ કહ્યું કે જો પીએમ મોદીમાં થોડી પણ માનવતા છે તો તે તરત મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું લઈ શકે છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .