Amreli લોકસભા બેઠક માટે આ હોઈ શકે છે BJPના સંભવિત ઉમેદવાર, શા માટે બીજેપીએ હજી સુધી નથી કરી ઉમેદવારના નામની જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-03-14 17:11:20

BJPએ ગઈકાલે ૭ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી તેમાંની એક બેઠક છે અમરેલી. અમરેલી બેઠક માટે ના તો કોંગ્રેસે ના તો ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે અમરેલી બેઠક પરથી દિલીપ સંઘાણી બીજેપીના ઉમેદવાર હોઈ શકે છે. તો કોંગ્રસના ઉમેદવાસ તરીકે પરેશ ધાનાણીના નામની ચર્ચા થઈ રહી છે.    

Company Directors, Leadership Team - IFFCO

ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારો નથી કર્યા જાહેર  

ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. તે લિસ્ટમાં ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. સાબરકાંઠા પરથી ઉમેદવાર છે ભીખાજી ઠાકોર, છોટા ઉદેપુરથી જસુભાઈ રાઠવા , અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ, વલસાડથી ધવલ પટેલ, ભાવનગર બેઠક પરથી નિમુબેન બામભણીયા, સુરતથી મુકેશ દલાલ, વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ટિકીટ આપવામાં આવી છે. 22 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ અમરેલી સહિત ચાર બેઠકો એવી છે જેને લઈ નામ જાહેર નથી કરવામાં આવ્યા.

વીમા કંપની ઉંચા હાથ કરે કે નીચા, વીમો તો આપવો જ પડશેઃ દિલીપ સંઘાણી |  Gujcomasol chairman Dilip Sanghani big statement for farmers

દિલીપ સંઘાણી હોઈ શકે છે ભાજપના સંભવિત ઉમેદવાર

અમરેલી બેઠક માટે ભાજપના ઉમેદવાર કોણ હોઈ શકે છે તે અંગે અસમંજસ છે. અનેક લોકોના નામોની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે , અમરેલી બેઠક પરથી દિલીપ સંઘાણી BJPના ઉમેદવાર હોઈ શકે છે. દિલીપ સંઘાણી ૧૯૯૧થી ૨૦૦૪ સુધી અમરેલીના BJP માંથી સાંસદ રહી ચુક્યા છે . હાલમાં દિલીપ સંઘાણી IFFCOના ચેરમેન પદે છે . ૨૦૦૭થી ૨૦૧૨માં અમરેલી વિધાનસભા બેઠક પરથી MLA પણ રહી ચુક્યા છે. આ કાર્યકાળમાં તેઓ કૃષિ વિભાગના મંત્રી પણ રહી ચુક્યા છે, અગાઉ તેઓ ૧૯૮૨ થી ૧૯૯૧ સુધી અમરેલીના MLA પણ રહી ચુક્યા છે . 


અમરેલી લોકસભા બેઠકમાં આ વિધાનસભા બેઠકોનો થાય છે સમાવેશ 

જો અમરેલી લોકસભાની વાત કરીએ તો ૨૦૦૯થી નારણભાઇ કાછડીયા ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ છે. આ અમરેલી લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ ધારી , અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુઆ, ગારિયાધાર. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠકો ગારિયાધાર સિવાયની BJPએ જીતી લીધી હતી.ગારિયાધાર બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીએ જીતી હતી. 



કોંગ્રેસ અમરેલીથી ઉતારી શકે છે પરેશ ધાનાણીને  ચૂંટણી મેદાનમાં

હવે વાત કરીએ આ અમરેલી લોકસભાના જાતિગત સમીકરણોની તો આ અમરેલી લોકસભાની બેઠકએ પાટીદાર સમાજના બહુમતી વાળી બેઠક છે. આપને જણાવી દઈએ કે આ અમરેલી લોકસભા પર કોંગ્રેસના વીરજી ઠુમ્મર માત્ર ૨૦૦૪માં જીત્યા હતા . હવે વાત કરીએ કોંગ્રેસના સંભવિત ઉમેદવારની તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીના વાતની ચર્ચા થઈ રહી છે.   ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં માં પુરષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. આ પછી ૨૦૧૨માં દિલ્લીપ સંઘાણીને હરાવ્યા હતા. અને હવે અમરેલી વિધાનસભા પરથી કૌશિક વેકરીયા BJPના MLA છે . તો જોઈએ ૨૦૨૪ની આ લોકસભાનો આ જંગ કોણ જીતે છે?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.