Amreli લોકસભા બેઠક માટે આ હોઈ શકે છે BJPના સંભવિત ઉમેદવાર, શા માટે બીજેપીએ હજી સુધી નથી કરી ઉમેદવારના નામની જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-03-14 17:11:20

BJPએ ગઈકાલે ૭ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી તેમાંની એક બેઠક છે અમરેલી. અમરેલી બેઠક માટે ના તો કોંગ્રેસે ના તો ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે એવી માહિતી સામે આવી છે કે અમરેલી બેઠક પરથી દિલીપ સંઘાણી બીજેપીના ઉમેદવાર હોઈ શકે છે. તો કોંગ્રસના ઉમેદવાસ તરીકે પરેશ ધાનાણીના નામની ચર્ચા થઈ રહી છે.    

Company Directors, Leadership Team - IFFCO

ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારો નથી કર્યા જાહેર  

ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. તે લિસ્ટમાં ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. સાબરકાંઠા પરથી ઉમેદવાર છે ભીખાજી ઠાકોર, છોટા ઉદેપુરથી જસુભાઈ રાઠવા , અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ, વલસાડથી ધવલ પટેલ, ભાવનગર બેઠક પરથી નિમુબેન બામભણીયા, સુરતથી મુકેશ દલાલ, વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ટિકીટ આપવામાં આવી છે. 22 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ અમરેલી સહિત ચાર બેઠકો એવી છે જેને લઈ નામ જાહેર નથી કરવામાં આવ્યા.

વીમા કંપની ઉંચા હાથ કરે કે નીચા, વીમો તો આપવો જ પડશેઃ દિલીપ સંઘાણી |  Gujcomasol chairman Dilip Sanghani big statement for farmers

દિલીપ સંઘાણી હોઈ શકે છે ભાજપના સંભવિત ઉમેદવાર

અમરેલી બેઠક માટે ભાજપના ઉમેદવાર કોણ હોઈ શકે છે તે અંગે અસમંજસ છે. અનેક લોકોના નામોની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે , અમરેલી બેઠક પરથી દિલીપ સંઘાણી BJPના ઉમેદવાર હોઈ શકે છે. દિલીપ સંઘાણી ૧૯૯૧થી ૨૦૦૪ સુધી અમરેલીના BJP માંથી સાંસદ રહી ચુક્યા છે . હાલમાં દિલીપ સંઘાણી IFFCOના ચેરમેન પદે છે . ૨૦૦૭થી ૨૦૧૨માં અમરેલી વિધાનસભા બેઠક પરથી MLA પણ રહી ચુક્યા છે. આ કાર્યકાળમાં તેઓ કૃષિ વિભાગના મંત્રી પણ રહી ચુક્યા છે, અગાઉ તેઓ ૧૯૮૨ થી ૧૯૯૧ સુધી અમરેલીના MLA પણ રહી ચુક્યા છે . 


અમરેલી લોકસભા બેઠકમાં આ વિધાનસભા બેઠકોનો થાય છે સમાવેશ 

જો અમરેલી લોકસભાની વાત કરીએ તો ૨૦૦૯થી નારણભાઇ કાછડીયા ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ છે. આ અમરેલી લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ ધારી , અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુઆ, ગારિયાધાર. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠકો ગારિયાધાર સિવાયની BJPએ જીતી લીધી હતી.ગારિયાધાર બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીએ જીતી હતી. 



કોંગ્રેસ અમરેલીથી ઉતારી શકે છે પરેશ ધાનાણીને  ચૂંટણી મેદાનમાં

હવે વાત કરીએ આ અમરેલી લોકસભાના જાતિગત સમીકરણોની તો આ અમરેલી લોકસભાની બેઠકએ પાટીદાર સમાજના બહુમતી વાળી બેઠક છે. આપને જણાવી દઈએ કે આ અમરેલી લોકસભા પર કોંગ્રેસના વીરજી ઠુમ્મર માત્ર ૨૦૦૪માં જીત્યા હતા . હવે વાત કરીએ કોંગ્રેસના સંભવિત ઉમેદવારની તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીના વાતની ચર્ચા થઈ રહી છે.   ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં માં પુરષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. આ પછી ૨૦૧૨માં દિલ્લીપ સંઘાણીને હરાવ્યા હતા. અને હવે અમરેલી વિધાનસભા પરથી કૌશિક વેકરીયા BJPના MLA છે . તો જોઈએ ૨૦૨૪ની આ લોકસભાનો આ જંગ કોણ જીતે છે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.