MahipalSinh Valaની શહાદત પેઢી સુધી યાદ રહે તે માટે લેવાયો આ નિર્ણય, આ શાળાને અપાયું મહિપાલસિંહનું નામ


  • Published By :
  • Published Date : 2023-08-15 13:28:35

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસે આપણે વીર શદીહોને યાદ કરતા હોઈએ છીએ. અનેક વીર શહીદો એવા હોય છે જેમના શહીદીના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવતા નથી. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે બોર્ડર પર લડતા લડતા ગુજરાતના મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. અમદાવાદમાં તેમની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે મહિપાલસિંહની શહીદી લોકોને યાદ રહે તે માટે લીલાનગર પ્રાથમિક શાળાનું નામ બદલી તે શાળાને મહિપાલસિંહ નામ આપવામાં આવ્યું છે. 

શહીદ મહિપાલસિંહ અમર રહો, અંતિમ સફરે વીર જવાન, CM ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ  પાઠવવા અમદાવાદ પહોંચ્યા | cm pays tribute to jawan mahipal sinh vala who  was martyred in jammu ...

સરહદ પર વીર જવાનો તૈનાત છે એટલે આપણે ઘરમાં સુરક્ષિત છીએ

સરહદ પર અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. રાષ્ટ્ર તહેવારના દિવસે આપણે એ વીર જવાનોને યાદ કરતા હોઈએ છીએ. ઘણા વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું જે આજે પણ આપણા રૂંવાડા ઉભા કરી દે તેવા છે. પર મત ભૂલો સીમા પર, વીરોં ને હૈ પ્રાણ ગઁવાએ, કુછ યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ન આએ.... કોઈ સિખ કોઈ જાટ મરાઠા, કોઈ ગુરખા કોઈ મદરાસી, સરહદ પે મરને વાલા, હર વીર થા ભારતવાસી....


મહિપાલસિંહના નામ પર રખાયું પ્રાથમિક શાળાનું નામ   

સરહદ પર આપણા વીર હાજર છે, તેના કારણે જ આપણે પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકીએ છીએ. ત્યારે ગુજરાતથી સેનામાં ગેયલા મહિપાલસિંહ વાળા શહીદ થઈ ગયા હતા. અશ્રુભીની આંખે લોકોએ અને તેમના પરિવારના સભ્યોને તેમને અંતિમવિદાય આપી હતી. શહીદ થયે થોડા દિવસો બાદ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો જેને વિરલબા નામ આપવામાં આવ્યું. લોકોએ કહ્યું વીરના ઘરે વિરાંગના જ જન્મ લે. મહિપાલસિંહની શહીદીની વાત અનેક પેઢીઓ સુધી યાદ રહે તે માટે પ્રાથમિક શાળાના નામને બદલવામાં આવ્યું છે. 



રાષ્ટ્રીય પર્વ સિવાય આપણે નથી યાદ કરતા વીર શહીદોને!

લીલાનગર પ્રાથમિક શાળાને મહિપાલસિંહ વાળાનું નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ , વીર શહીદોના પરિવારને સન્માન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ત્યાં લીલાનગર પ્રાથમિક શાળાનું નામ પણ શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આપણે વીર જવાનોને, તેમના બલિદાનોને આવા રાષ્ટ્રીય પર્વ પર જ યાદ કરીએ છીએ. પરંતુ અન્ય દિવસો દરમિયાન આપણે વીર શહીદોને યાદ નથી કરતા.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.