MahipalSinh Valaની શહાદત પેઢી સુધી યાદ રહે તે માટે લેવાયો આ નિર્ણય, આ શાળાને અપાયું મહિપાલસિંહનું નામ


  • Published By :
  • Published Date : 2023-08-15 13:28:35

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસે આપણે વીર શદીહોને યાદ કરતા હોઈએ છીએ. અનેક વીર શહીદો એવા હોય છે જેમના શહીદીના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવતા નથી. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે બોર્ડર પર લડતા લડતા ગુજરાતના મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. અમદાવાદમાં તેમની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે મહિપાલસિંહની શહીદી લોકોને યાદ રહે તે માટે લીલાનગર પ્રાથમિક શાળાનું નામ બદલી તે શાળાને મહિપાલસિંહ નામ આપવામાં આવ્યું છે. 

શહીદ મહિપાલસિંહ અમર રહો, અંતિમ સફરે વીર જવાન, CM ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ  પાઠવવા અમદાવાદ પહોંચ્યા | cm pays tribute to jawan mahipal sinh vala who  was martyred in jammu ...

સરહદ પર વીર જવાનો તૈનાત છે એટલે આપણે ઘરમાં સુરક્ષિત છીએ

સરહદ પર અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. રાષ્ટ્ર તહેવારના દિવસે આપણે એ વીર જવાનોને યાદ કરતા હોઈએ છીએ. ઘણા વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું જે આજે પણ આપણા રૂંવાડા ઉભા કરી દે તેવા છે. પર મત ભૂલો સીમા પર, વીરોં ને હૈ પ્રાણ ગઁવાએ, કુછ યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ન આએ.... કોઈ સિખ કોઈ જાટ મરાઠા, કોઈ ગુરખા કોઈ મદરાસી, સરહદ પે મરને વાલા, હર વીર થા ભારતવાસી....


મહિપાલસિંહના નામ પર રખાયું પ્રાથમિક શાળાનું નામ   

સરહદ પર આપણા વીર હાજર છે, તેના કારણે જ આપણે પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકીએ છીએ. ત્યારે ગુજરાતથી સેનામાં ગેયલા મહિપાલસિંહ વાળા શહીદ થઈ ગયા હતા. અશ્રુભીની આંખે લોકોએ અને તેમના પરિવારના સભ્યોને તેમને અંતિમવિદાય આપી હતી. શહીદ થયે થોડા દિવસો બાદ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો જેને વિરલબા નામ આપવામાં આવ્યું. લોકોએ કહ્યું વીરના ઘરે વિરાંગના જ જન્મ લે. મહિપાલસિંહની શહીદીની વાત અનેક પેઢીઓ સુધી યાદ રહે તે માટે પ્રાથમિક શાળાના નામને બદલવામાં આવ્યું છે. 



રાષ્ટ્રીય પર્વ સિવાય આપણે નથી યાદ કરતા વીર શહીદોને!

લીલાનગર પ્રાથમિક શાળાને મહિપાલસિંહ વાળાનું નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ , વીર શહીદોના પરિવારને સન્માન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ત્યાં લીલાનગર પ્રાથમિક શાળાનું નામ પણ શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આપણે વીર જવાનોને, તેમના બલિદાનોને આવા રાષ્ટ્રીય પર્વ પર જ યાદ કરીએ છીએ. પરંતુ અન્ય દિવસો દરમિયાન આપણે વીર શહીદોને યાદ નથી કરતા.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.