અબોલ જીવ સાથે આ હદે ક્રૂરતા? ,જો તમે પ્રાણી પ્રેમી છો તો તમને આ વાંચીને ખરાબ લાગશે પણ તોય આ વાંચજો!


  • Published By : Payal rathod
  • Published Date : 2024-11-25 18:01:03

જો તમે પ્રાણી પ્રેમી છો તો તમને આ વાંચીને ખરાબ લાગશે પણ તોય આ વાંચજો! કારણ કે માણસ કઈ હદે ક્રુર અને અસંવેદનશીલ હોય શકે એ તમને આ વાત પરથી ખબર પડશે 


કુતરાના પગ બાંધ્યા એની પુંછડી બાંધી અને પછી.. 


વાત અમદાવાદના ગોતા વિસ્તારની છે વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે. વીડિયો લાંબા ટાઈમથી ફરતો હતો પણ કશું થયું નહીં પણ એક દિવસ ગોતામાં રહેતા 24 વર્ષિય હરમીત પટેલે આ વીડિયો જોયો એમને થયું થયું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. આ પછી એમણે દર્શના એનિમલ વેલ્ફેર NGOને સાથે રાખીને એક વાર એ ભાઈને મળવાનો પ્રયાસ કર્યો. અને બંને નીલ પટેલ પાસે ગયા, પૂછપરછ કરી બાદમાં આ વીડિયોના આધારે તેમણે ફરિયાદ કરવાનું વિચાર્યું કમનસીબે પહેલા આવી કોઈ ફરિયાદ પોલીસ પાસે આવી ન હતી એટલે ગોતા પોલીસ તેમને હાઇકોર્ટમાં જવાની સલાહ આપી અને બાદમાં એ લોકોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા બીજા રાજ્યોમાં બનેલી ઘટનાઓના ઉદાહરણ આપ્યા અને કાર્યવાહીની વાત કરી અંતે પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી.. 




આ કલમો હેઠળ ગુન્હો નોંધાયો.. 


તંત્રએ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધિત અધિનિયમની કલમ 11 અને 11(1) હેઠળ ગુન્હો નોંધ્યો સાઇબર ક્રાઇમે તરત આ નીલ પટેલ સુધી પહોંચીને એના એકાઉન્ટ બંધ કર્યા અને કાર્યવાહી કરી. આ નીલ પટેલના ID પરથી અનેક આવા ક્રુરતા ભર્યા વીડિયોઝ હતા જેમાં એ કુતરાને મારી નાંખવાની વાત કરે છે એને પુંછડીથી ખેંચે છે અને એ વીડિયો જોઈને લાગે કે આ માણસને કોઈ માનસિક બીમારી છે કાં તો એને બીજી કોઈ સમસ્યા હોય શકે છે એ વીડિયો ડિલીટ કર્યા



ક્રુરતાની પરાકાષ્ઠા!


આ ક્રુરતાની પરાકાષ્ઠા છે! પણ આપણે કઈ સંવેદનાની વાત કરી છીએ અત્યારે તો લોકો બાળકો પર ક્રુરતા આચરે છે એને વેચી દે છે. ઘણા બધા કિસ્સા છે પણ પ્રાણીઓ સાથે થતું આ વર્તન કેમ સહન કરવું એ અબોલ જીવ તમારી સામે બોલી ન શકે એટલે આ ન થવું જોઈએ દિવાળીમાં અનેક એવા વિડિયો આવે કે કુતરાને હેરાન કરવા કે મજાક કરવા માટે એમના પર ફટાકડા ફોડવામાં આવે પણ એના માં પણ જીવ છે એ આપણે કેમ ભૂલી જઈએ છીએ? શું આપણી બધી જ સંવેદનાઓ મરી પરવારી છે કે એક અબોલ પ્રાણી પર આપણે આટલા બધા અત્યાચાર કર્યા રાખીએ. સાવ સામાન્ય લાગતી આવી ઘટનાઓ કોઈના પરનો અસહ્ય અત્યાચાર હોય છે. તમારી આસપાસ પણ આવુ કશું થાય છે તો પ્લીઝ એને રોકો કેમ કે એમાં પણ જીવ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.