અબોલ જીવ સાથે આ હદે ક્રૂરતા? ,જો તમે પ્રાણી પ્રેમી છો તો તમને આ વાંચીને ખરાબ લાગશે પણ તોય આ વાંચજો!


  • Published By : Payal rathod
  • Published Date : 2024-11-25 18:01:03

જો તમે પ્રાણી પ્રેમી છો તો તમને આ વાંચીને ખરાબ લાગશે પણ તોય આ વાંચજો! કારણ કે માણસ કઈ હદે ક્રુર અને અસંવેદનશીલ હોય શકે એ તમને આ વાત પરથી ખબર પડશે 


કુતરાના પગ બાંધ્યા એની પુંછડી બાંધી અને પછી.. 


વાત અમદાવાદના ગોતા વિસ્તારની છે વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે. વીડિયો લાંબા ટાઈમથી ફરતો હતો પણ કશું થયું નહીં પણ એક દિવસ ગોતામાં રહેતા 24 વર્ષિય હરમીત પટેલે આ વીડિયો જોયો એમને થયું થયું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. આ પછી એમણે દર્શના એનિમલ વેલ્ફેર NGOને સાથે રાખીને એક વાર એ ભાઈને મળવાનો પ્રયાસ કર્યો. અને બંને નીલ પટેલ પાસે ગયા, પૂછપરછ કરી બાદમાં આ વીડિયોના આધારે તેમણે ફરિયાદ કરવાનું વિચાર્યું કમનસીબે પહેલા આવી કોઈ ફરિયાદ પોલીસ પાસે આવી ન હતી એટલે ગોતા પોલીસ તેમને હાઇકોર્ટમાં જવાની સલાહ આપી અને બાદમાં એ લોકોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા બીજા રાજ્યોમાં બનેલી ઘટનાઓના ઉદાહરણ આપ્યા અને કાર્યવાહીની વાત કરી અંતે પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી.. 




આ કલમો હેઠળ ગુન્હો નોંધાયો.. 


તંત્રએ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધિત અધિનિયમની કલમ 11 અને 11(1) હેઠળ ગુન્હો નોંધ્યો સાઇબર ક્રાઇમે તરત આ નીલ પટેલ સુધી પહોંચીને એના એકાઉન્ટ બંધ કર્યા અને કાર્યવાહી કરી. આ નીલ પટેલના ID પરથી અનેક આવા ક્રુરતા ભર્યા વીડિયોઝ હતા જેમાં એ કુતરાને મારી નાંખવાની વાત કરે છે એને પુંછડીથી ખેંચે છે અને એ વીડિયો જોઈને લાગે કે આ માણસને કોઈ માનસિક બીમારી છે કાં તો એને બીજી કોઈ સમસ્યા હોય શકે છે એ વીડિયો ડિલીટ કર્યા



ક્રુરતાની પરાકાષ્ઠા!


આ ક્રુરતાની પરાકાષ્ઠા છે! પણ આપણે કઈ સંવેદનાની વાત કરી છીએ અત્યારે તો લોકો બાળકો પર ક્રુરતા આચરે છે એને વેચી દે છે. ઘણા બધા કિસ્સા છે પણ પ્રાણીઓ સાથે થતું આ વર્તન કેમ સહન કરવું એ અબોલ જીવ તમારી સામે બોલી ન શકે એટલે આ ન થવું જોઈએ દિવાળીમાં અનેક એવા વિડિયો આવે કે કુતરાને હેરાન કરવા કે મજાક કરવા માટે એમના પર ફટાકડા ફોડવામાં આવે પણ એના માં પણ જીવ છે એ આપણે કેમ ભૂલી જઈએ છીએ? શું આપણી બધી જ સંવેદનાઓ મરી પરવારી છે કે એક અબોલ પ્રાણી પર આપણે આટલા બધા અત્યાચાર કર્યા રાખીએ. સાવ સામાન્ય લાગતી આવી ઘટનાઓ કોઈના પરનો અસહ્ય અત્યાચાર હોય છે. તમારી આસપાસ પણ આવુ કશું થાય છે તો પ્લીઝ એને રોકો કેમ કે એમાં પણ જીવ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.