અબોલ જીવ સાથે આ હદે ક્રૂરતા? ,જો તમે પ્રાણી પ્રેમી છો તો તમને આ વાંચીને ખરાબ લાગશે પણ તોય આ વાંચજો!


  • Published By : Payal rathod
  • Published Date : 2024-11-25 18:01:03

જો તમે પ્રાણી પ્રેમી છો તો તમને આ વાંચીને ખરાબ લાગશે પણ તોય આ વાંચજો! કારણ કે માણસ કઈ હદે ક્રુર અને અસંવેદનશીલ હોય શકે એ તમને આ વાત પરથી ખબર પડશે 


કુતરાના પગ બાંધ્યા એની પુંછડી બાંધી અને પછી.. 


વાત અમદાવાદના ગોતા વિસ્તારની છે વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે. વીડિયો લાંબા ટાઈમથી ફરતો હતો પણ કશું થયું નહીં પણ એક દિવસ ગોતામાં રહેતા 24 વર્ષિય હરમીત પટેલે આ વીડિયો જોયો એમને થયું થયું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. આ પછી એમણે દર્શના એનિમલ વેલ્ફેર NGOને સાથે રાખીને એક વાર એ ભાઈને મળવાનો પ્રયાસ કર્યો. અને બંને નીલ પટેલ પાસે ગયા, પૂછપરછ કરી બાદમાં આ વીડિયોના આધારે તેમણે ફરિયાદ કરવાનું વિચાર્યું કમનસીબે પહેલા આવી કોઈ ફરિયાદ પોલીસ પાસે આવી ન હતી એટલે ગોતા પોલીસ તેમને હાઇકોર્ટમાં જવાની સલાહ આપી અને બાદમાં એ લોકોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા બીજા રાજ્યોમાં બનેલી ઘટનાઓના ઉદાહરણ આપ્યા અને કાર્યવાહીની વાત કરી અંતે પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી.. 




આ કલમો હેઠળ ગુન્હો નોંધાયો.. 


તંત્રએ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધિત અધિનિયમની કલમ 11 અને 11(1) હેઠળ ગુન્હો નોંધ્યો સાઇબર ક્રાઇમે તરત આ નીલ પટેલ સુધી પહોંચીને એના એકાઉન્ટ બંધ કર્યા અને કાર્યવાહી કરી. આ નીલ પટેલના ID પરથી અનેક આવા ક્રુરતા ભર્યા વીડિયોઝ હતા જેમાં એ કુતરાને મારી નાંખવાની વાત કરે છે એને પુંછડીથી ખેંચે છે અને એ વીડિયો જોઈને લાગે કે આ માણસને કોઈ માનસિક બીમારી છે કાં તો એને બીજી કોઈ સમસ્યા હોય શકે છે એ વીડિયો ડિલીટ કર્યા



ક્રુરતાની પરાકાષ્ઠા!


આ ક્રુરતાની પરાકાષ્ઠા છે! પણ આપણે કઈ સંવેદનાની વાત કરી છીએ અત્યારે તો લોકો બાળકો પર ક્રુરતા આચરે છે એને વેચી દે છે. ઘણા બધા કિસ્સા છે પણ પ્રાણીઓ સાથે થતું આ વર્તન કેમ સહન કરવું એ અબોલ જીવ તમારી સામે બોલી ન શકે એટલે આ ન થવું જોઈએ દિવાળીમાં અનેક એવા વિડિયો આવે કે કુતરાને હેરાન કરવા કે મજાક કરવા માટે એમના પર ફટાકડા ફોડવામાં આવે પણ એના માં પણ જીવ છે એ આપણે કેમ ભૂલી જઈએ છીએ? શું આપણી બધી જ સંવેદનાઓ મરી પરવારી છે કે એક અબોલ પ્રાણી પર આપણે આટલા બધા અત્યાચાર કર્યા રાખીએ. સાવ સામાન્ય લાગતી આવી ઘટનાઓ કોઈના પરનો અસહ્ય અત્યાચાર હોય છે. તમારી આસપાસ પણ આવુ કશું થાય છે તો પ્લીઝ એને રોકો કેમ કે એમાં પણ જીવ છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.