અમદાવાદના રિવરફ્રન્ટમાં કરાયો આ સુવિધાનો વધારો, જાણો ક્યાંથી શરૂ કરાઈ સુવિધા અને મજા માણવા કેટલો ચૂકવવા પડશે પૈસા


  • Published By :
  • Published Date : 2023-04-01 15:41:15

અમદાવાદમાં અનેક ફરવા લાયક સ્થળો છે. સરકાર ટુરિઝમ  પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ  કરે છે. અમદાવાદમાં આવેલું રિવરફ્રન્ટ ટ્યુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. રિવરફ્રન્ટના વિકાસ પાછળ સરકારે કરોડોનો ખર્ચ કર્યો છે. અનેક સુવિધાઓ રિવરફ્રન્ટ ખાતે ઉભી કરવામાં આવી છે. ત્યારે કાયાકિંગની સુવિધા લોકો માટે ચાલુ કરવામાં આવી છે. અડધાથી પોણા કલાક સુધી લોકો આ કાયાકિંગની મજા માણી શકશે પરંતુ તેના માટે 600 રુપિયા ચૂકવવા પડશે.  


અમદાવાદીઓ માણી શકશે કાયાકિંગની મજા 

રિવરફ્રન્ટ ખાતે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે અનેક ફેસિલિટી લોકો માટે વધારવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ફેસિલિટીનો ઉમેરો થયો છે. સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત થઈ ગઈ છે. લોકો પોતે કાયાકિંગ ચલાવી શકશે. અત્યારસુધીમાં આ સુવિધા વડોદરાના આમરોલમાં હતી પરંતુ હવેથી આ સુવિધા અમદાવાદના રિવરફ્રન્ટમાં જોવા મળશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


આ જગ્યાએથી શરૂ થશે રાઈડિંગ 

સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં-11થી આંબેડકર બ્રિજ સુધી કાયાકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. કોઈ અણબનાવ ન બને તે માટે કાયાકિંગની શરૂઆત પહેલા લોકોને જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઈફગાર્ડ આપવામાં આવશે. પરંતુ સમય પ્રમાણે કાયાકિંગના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


જો તમે સાંજના સમયે જશો તો ઉઘરાવાશે ડબલ ભાડું!  

જો તમે કાયારિંગની મજા બપોરે માણવા જશો તો તમારે 300 રૂપિયા ચૂકવવા પડશે પરંતુ જો તમે સાંજના સમયે જશો તો 600 રુપિયા વસૂલવામાં આવશે. નિયમોની વાત કરીએ તો સવારના 6થી સાંજના 7 વાગ્યા સુધી રાઈડની મજા માણી શકાશે. 50 મિનિટ સુધી રાઈડની મજા માણી શકશો. સવારે 10થી 1 અને 3થી 4 વાગ્યા સુધી 300 રૂપિયા વસૂલવામાં આવશે અને જો તમે સાંજના સમયે જશો એટલે કે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન કાયાકિંગની મજા માણવા જશો તો તમારે 600 રુપિયા ચૂકવવા પડશે. 


લોકો 50 મિનિટ માટે ચૂકવશે 600 રુપિયા?

ત્યારે પ્રશ્નએ છે કે માત્ર 50 મિનિટની સફર માટે 600 રુપિયા કોણ આપે. ત્યારે જોવાનું એ છે કે આ કાયાકિંગને સારો રિસ્પોન્સ મળે છે કે પછી લોકો આને લૂંટવાનો ધંધો માનીને આ સુવિધાથી અળગા રહેવાનું પસંદ કરે છે તે જોવાનું રહ્યું.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે