અમદાવાદના રિવરફ્રન્ટમાં કરાયો આ સુવિધાનો વધારો, જાણો ક્યાંથી શરૂ કરાઈ સુવિધા અને મજા માણવા કેટલો ચૂકવવા પડશે પૈસા


  • Published By :
  • Published Date : 2023-04-01 15:41:15

અમદાવાદમાં અનેક ફરવા લાયક સ્થળો છે. સરકાર ટુરિઝમ  પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ  કરે છે. અમદાવાદમાં આવેલું રિવરફ્રન્ટ ટ્યુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. રિવરફ્રન્ટના વિકાસ પાછળ સરકારે કરોડોનો ખર્ચ કર્યો છે. અનેક સુવિધાઓ રિવરફ્રન્ટ ખાતે ઉભી કરવામાં આવી છે. ત્યારે કાયાકિંગની સુવિધા લોકો માટે ચાલુ કરવામાં આવી છે. અડધાથી પોણા કલાક સુધી લોકો આ કાયાકિંગની મજા માણી શકશે પરંતુ તેના માટે 600 રુપિયા ચૂકવવા પડશે.  


અમદાવાદીઓ માણી શકશે કાયાકિંગની મજા 

રિવરફ્રન્ટ ખાતે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે અનેક ફેસિલિટી લોકો માટે વધારવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ફેસિલિટીનો ઉમેરો થયો છે. સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત થઈ ગઈ છે. લોકો પોતે કાયાકિંગ ચલાવી શકશે. અત્યારસુધીમાં આ સુવિધા વડોદરાના આમરોલમાં હતી પરંતુ હવેથી આ સુવિધા અમદાવાદના રિવરફ્રન્ટમાં જોવા મળશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


આ જગ્યાએથી શરૂ થશે રાઈડિંગ 

સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં-11થી આંબેડકર બ્રિજ સુધી કાયાકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. કોઈ અણબનાવ ન બને તે માટે કાયાકિંગની શરૂઆત પહેલા લોકોને જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઈફગાર્ડ આપવામાં આવશે. પરંતુ સમય પ્રમાણે કાયાકિંગના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


જો તમે સાંજના સમયે જશો તો ઉઘરાવાશે ડબલ ભાડું!  

જો તમે કાયારિંગની મજા બપોરે માણવા જશો તો તમારે 300 રૂપિયા ચૂકવવા પડશે પરંતુ જો તમે સાંજના સમયે જશો તો 600 રુપિયા વસૂલવામાં આવશે. નિયમોની વાત કરીએ તો સવારના 6થી સાંજના 7 વાગ્યા સુધી રાઈડની મજા માણી શકાશે. 50 મિનિટ સુધી રાઈડની મજા માણી શકશો. સવારે 10થી 1 અને 3થી 4 વાગ્યા સુધી 300 રૂપિયા વસૂલવામાં આવશે અને જો તમે સાંજના સમયે જશો એટલે કે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન કાયાકિંગની મજા માણવા જશો તો તમારે 600 રુપિયા ચૂકવવા પડશે. 


લોકો 50 મિનિટ માટે ચૂકવશે 600 રુપિયા?

ત્યારે પ્રશ્નએ છે કે માત્ર 50 મિનિટની સફર માટે 600 રુપિયા કોણ આપે. ત્યારે જોવાનું એ છે કે આ કાયાકિંગને સારો રિસ્પોન્સ મળે છે કે પછી લોકો આને લૂંટવાનો ધંધો માનીને આ સુવિધાથી અળગા રહેવાનું પસંદ કરે છે તે જોવાનું રહ્યું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.