ભારતનો આ પરિવાર ન માત્ર પોતાની સંપત્તિથી પરંતુ સંસ્કારથી પણ જાણીતું છે, આ અબજ્જોપતિ દંપત્તિએ Tirupati Balaji મંદિરમાં કર્યું કરોડોનું દાન


  • Published By :
  • Published Date : 2023-08-05 13:08:37

જ્યારે ભારતનું નામ પડે એટલે તેની સંસ્કૃતિ, રીતિ રિવાજ, સંસ્કાર વગેરે બધુ નજરોની સામે પડે. વિદેશમાં આ જ રીતે આપણા ભારતને ઓળખવામાં આવે છે. તમામ ધર્મના લોકો અને સમાજ અહીં એક સાથે શાંતિ અને પ્રેમથી રહેતા આવ્યા છે. અનેક વાવાઝોડા પછી પણ ભારતે તેનું શાંતિ, રીતિ-રિવાજ અને સંસ્કારોનું મૂળ તત્વ નથી છોડ્યું. નાનામાં નાના માણસથી મોટામાં મોટા વ્યક્તિ સુધી સૌ પોતાની અંદર ભારતના એ સંસ્કાર ક્યાંક ખુણામાં સાચવીને બેઠું છે. આજે એવી જ એક વાત આ વીડિયોમાં કરવી છે. વાત કરવી છે એક પરિવારની જે પોતાની સંપત્તિ જ નહીં પણ સંસ્કાર, રીતિ રિવાજ અને વ્યવહારથી ઓળખાય છે. 


તિરૂપતિ દેવસ્થાનમાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ કર્યા દર્શન   

થોડા સમય પહેલા દેશની સુપ્રસિદ્ધ આઈટી કંપની ઈન્ફોસિસની શરૂઆત કરનાર ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ પહોંચ્યા હતા. અહીં તેમણે સોનાનો શંખ અને સુવર્ણ કાચબાની મૂર્તિ દાનમાં આપી હતી. બંને લોકો ધાર્મિક છે અને દક્ષિણ ભારતના રીત રિવાજથી સજ્જ છે. આ ખુબીના કારણે સુધા મૂર્તિ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટના સભ્ય પણ રહી ચૂક્યા છે. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ દાનમાં આપેલ શંખ અને કાચબાની મૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના સભ્ય EO ધર્મ રેડ્ડીને સોંપી. 

Image

નારાયણ મૂર્તિ ભગવદ્ ગીતાથી છે ખૂબ પ્રભાવિત 

આ ખાસ પ્રસંગે બંને મંદિરના રંગનાયકુલા મંડપમમાં ગયા હતા. આપણે જાણીએ જ છીએ કે હમણા થોડા સમય પહેલા નારાયણ મૂર્તિએ જાહેરમાં વાત કરી હતી કે તેઓ ભગવદ ગીતાથી ખૂબ જ પ્રેરિત છે. અબજોપતિએ ભારતીય મહાકાવ્ય મહાભારતના તેના પ્રિય પાત્ર વિશે પણ વાત કરી હતી. ભૂતકાળમાં એક કાર્યક્રમમાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, “મહાભારતમાં જે પાત્ર મને સૌથી વધુ પ્રેરિત કરે છે તે કર્ણ છે અને તે તેની ઉદારતાને કારણે છે. આ રીતે હું મોટો થયો છું."


1.50 કરોડ રૂપિયાનું દંપત્તિએ કર્યું દાન 

મૂર્તિ દંપતીએ મંદિરમાં દાન કરવામાં આવેલ સોનાનો શંખ અને કાચબાની મૂર્તિ ખૂબ જ ખાસ છે. આ બંનેને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના અભિષેકમાં થાય છે. દક્ષિણ ભારતના આ દાનને 'ભૂરી' દાન પણ કહેવાય છે. જ્યારે દાન કરવામાં આવ્યું હતું ત્યારે બજારમાં સોનાની સરેરાશ કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. મૂર્તિ દંપતિએ દાનમાં આપેલ સોનાનો શંખ અને કાચબાની મૂર્તિનું વજન લગભગ 2 કિલો છે. આ કિસ્સામાં, તેમની કિંમત લગભગ 1.50 કરોડ રૂપિયા છે.


અનેક મોટી હસ્તીઓ તિરૂપતિ બાલાજી મંદિરના કરતા હોય છે દર્શન 

તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિર પ્રાચીન સમયથી દાન મેળવતું આવ્યું છે. મોટા મોટા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ આ મંદિરમાં પહોંચતા રહે છે. એવું પણ માનવામાં આવે છે કે આવા દાનથી ભગવાન વેંકટેશ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે તેવી લોકોની શ્રદ્ધા અને માન્યતા છે..



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .