ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરે લીધો નિર્ણય, ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને નહીં મળે પ્રવેશ


  • Published By :
  • Published Date : 2023-07-15 15:18:38

ભારતમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે, તો બીજી તરફ આપણી સામે એવા વીડિયો આવી રહ્યા છે જેમાં વિદેશમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ભારતીય લોકો વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત થઈ ટૂંકા વસ્ત્રો પહેરી રહ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરવા તે પોત પોતાનો અંગત વિષય છે, તેમની પોતાની ચોઈસ છે. પરંતુ અનેક લોકો ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરોમાં જતા હોય છે. ભારતમાં એવા અનેક મંદિરો છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં આવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં પણ, સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારા આવા આ નિર્ણયો લેવાઈ રહ્યા છે. 

દ્વારકા - વિકિપીડિયા



ટૂંકા વસ્ત્રો પહેરેલા ભાવિકોને નહીં મળે એન્ટ્રી

મંદિરોને હિંદુ સંસ્કૃતિમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાનના દર્શન કરવા ભક્તો મંદિર જતા હોય છે. ત્યારે અનેક ભક્તો એવા હોય છે જે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરે દર્શન કરવા જતા હોય છે. દેશના અનેક મંદિરો એવા છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા ભક્તો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિર દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં આવતા ભક્તોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. મંદિરની બહાર આને લઇ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય લોકો સુધી પહોંચે તે માટે અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવાં વસ્ત્રો પહેરેલાં હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો છે. 

dakor temple commitee prasad price rate increased of current time

મંદિર પરિસરમાં નોટિસ લગાવાઈ.

ડાકોર મંદિર દ્વારા પણ લેવાયો નિર્ણય 

દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિર દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા ભાવિકો રણછોડરાયજીના દર્શન નહીં કરી શકે. મંદિરમાં આવી નોટિસ લગાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે. મંદિર દ્વારા લેવાયેલા નિર્ણયનો ભાવિકોએ સ્વાગત કર્યું છે. મહત્વનું છે દ્વારકા તેમજ ડાકોર સિવાય અંબાજી મંદિરમાં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.