ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરે લીધો નિર્ણય, ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને નહીં મળે પ્રવેશ


  • Published By :
  • Published Date : 2023-07-15 15:18:38

ભારતમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે, તો બીજી તરફ આપણી સામે એવા વીડિયો આવી રહ્યા છે જેમાં વિદેશમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ભારતીય લોકો વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત થઈ ટૂંકા વસ્ત્રો પહેરી રહ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરવા તે પોત પોતાનો અંગત વિષય છે, તેમની પોતાની ચોઈસ છે. પરંતુ અનેક લોકો ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરોમાં જતા હોય છે. ભારતમાં એવા અનેક મંદિરો છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં આવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં પણ, સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારા આવા આ નિર્ણયો લેવાઈ રહ્યા છે. 

દ્વારકા - વિકિપીડિયા



ટૂંકા વસ્ત્રો પહેરેલા ભાવિકોને નહીં મળે એન્ટ્રી

મંદિરોને હિંદુ સંસ્કૃતિમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાનના દર્શન કરવા ભક્તો મંદિર જતા હોય છે. ત્યારે અનેક ભક્તો એવા હોય છે જે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરે દર્શન કરવા જતા હોય છે. દેશના અનેક મંદિરો એવા છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા ભક્તો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિર દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં આવતા ભક્તોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. મંદિરની બહાર આને લઇ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય લોકો સુધી પહોંચે તે માટે અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવાં વસ્ત્રો પહેરેલાં હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો છે. 

dakor temple commitee prasad price rate increased of current time

મંદિર પરિસરમાં નોટિસ લગાવાઈ.

ડાકોર મંદિર દ્વારા પણ લેવાયો નિર્ણય 

દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિર દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા ભાવિકો રણછોડરાયજીના દર્શન નહીં કરી શકે. મંદિરમાં આવી નોટિસ લગાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે. મંદિર દ્વારા લેવાયેલા નિર્ણયનો ભાવિકોએ સ્વાગત કર્યું છે. મહત્વનું છે દ્વારકા તેમજ ડાકોર સિવાય અંબાજી મંદિરમાં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.