ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરે લીધો નિર્ણય, ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને નહીં મળે પ્રવેશ


  • Published By :
  • Published Date : 2023-07-15 15:18:38

ભારતમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે, તો બીજી તરફ આપણી સામે એવા વીડિયો આવી રહ્યા છે જેમાં વિદેશમાં રહેતા લોકો ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ભારતીય લોકો વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત થઈ ટૂંકા વસ્ત્રો પહેરી રહ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરવા તે પોત પોતાનો અંગત વિષય છે, તેમની પોતાની ચોઈસ છે. પરંતુ અનેક લોકો ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરોમાં જતા હોય છે. ભારતમાં એવા અનેક મંદિરો છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં આવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં પણ, સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારા આવા આ નિર્ણયો લેવાઈ રહ્યા છે. 

દ્વારકા - વિકિપીડિયા



ટૂંકા વસ્ત્રો પહેરેલા ભાવિકોને નહીં મળે એન્ટ્રી

મંદિરોને હિંદુ સંસ્કૃતિમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાનના દર્શન કરવા ભક્તો મંદિર જતા હોય છે. ત્યારે અનેક ભક્તો એવા હોય છે જે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરે દર્શન કરવા જતા હોય છે. દેશના અનેક મંદિરો એવા છે જ્યાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા ભક્તો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારે ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિર દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં આવતા ભક્તોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. મંદિરની બહાર આને લઇ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય લોકો સુધી પહોંચે તે માટે અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવાં વસ્ત્રો પહેરેલાં હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો છે. 

dakor temple commitee prasad price rate increased of current time

મંદિર પરિસરમાં નોટિસ લગાવાઈ.

ડાકોર મંદિર દ્વારા પણ લેવાયો નિર્ણય 

દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિર દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા ભાવિકો રણછોડરાયજીના દર્શન નહીં કરી શકે. મંદિરમાં આવી નોટિસ લગાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે. મંદિર દ્વારા લેવાયેલા નિર્ણયનો ભાવિકોએ સ્વાગત કર્યું છે. મહત્વનું છે દ્વારકા તેમજ ડાકોર સિવાય અંબાજી મંદિરમાં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.