આ ઘટના તમને ઈમોશનલ કરી દેશે... છોટા ઉદેપુરના તુરખેડામાં રસ્તાના અભાવે નવજાત બાળકે ગુમાવી માની છત્રછાયા....


  • Published By :
  • Published Date : 2024-10-02 18:15:34

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ.. મહદ અંશ સુધી ગુજરાત વિકસીત છે.. વિકાસના કામો થયા છે તેની ના નથી પરંતુ તે વિકાસ છેક છેવાડાના ગામ સુધી નથી પહોંચ્યો. અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં આજે પણ રસ્તો નથી.. સામાન્ય રસ્તા તેમના ત્યાં બને તેની રાહ જોઈને બેઠા છે.. રોડ નથી હોતા જેને કારણે લોકોને અનેક અગવડનો સામનો કરવો પડી રહ્યો છે... ત્યારે તુરખેડાથી એક સમાચાર આવ્યા કે રસ્તો ના હોવાને કારણે સ્ત્રીનું મોત થયું... પ્રસવની પીડા ઉપડતા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે લોકોએ ઝોળીનો ઉપયોગ કર્યો.. આ સમય દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો.. બાળકી સુરક્ષિત છે પરંતુ તેની માતાનું મોત થઈ ગયું છે...   


નવજાત બાળકે માતાની છત્રછાયા ગુમાવી 

છોટા ઉદેપુરને પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે.... પ્રાકૃતિક સૌંદર્ય તો છે પંરતુ ત્યાં સુવિધાઓ નથી.. એવી સુવિધાઓ જે આપણા માટે એકદમ સામાન્ય હોય.. લોકોને અવર જવર કરવી હોય ત્યારે એવા એવા વિસ્તારોમાંથી પસાર થવું પડે કે આપણને વિચાર આવે કે દરરોજ આવા વિસ્તારથી કેવી રીતે પસાર થવું.. અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી પણ રસ્તાઓ નથી પહોંચ્યા.. રસ્તાના અભાવે જ્યારે કોઈ બિમાર પડે છે ત્યાકે એમ્બ્યુલન્સ નથી આવી શકતી... એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ના મળતા અનેક દર્દીઓને ભોગવવાનો વારો આવે છે... ત્યારે તુરખેડામાં એક નવજાત બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે... 


વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો અરીસો દેખાડે છે....

આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો સરકાર આવા અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ નથી પહોંચાડી શકતી તો અનેક સવાલો ઉભા થાય... આપણે વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો તે વિકાસની પોલ ખોલી દે છે... આવા દ્રશ્યો અનેક  વખત આપણી સામે આવ્યા છે જેમાં દર્દીને ઝોળી કરીને લઈ જવા પડે છે.. યોગ્ય સમયે સારવાર ના મળવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.. ત્યારે આ મુદ્દે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.