આ ઘટના તમને ઈમોશનલ કરી દેશે... છોટા ઉદેપુરના તુરખેડામાં રસ્તાના અભાવે નવજાત બાળકે ગુમાવી માની છત્રછાયા....


  • Published By :
  • Published Date : 2024-10-02 18:15:34

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ.. મહદ અંશ સુધી ગુજરાત વિકસીત છે.. વિકાસના કામો થયા છે તેની ના નથી પરંતુ તે વિકાસ છેક છેવાડાના ગામ સુધી નથી પહોંચ્યો. અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં આજે પણ રસ્તો નથી.. સામાન્ય રસ્તા તેમના ત્યાં બને તેની રાહ જોઈને બેઠા છે.. રોડ નથી હોતા જેને કારણે લોકોને અનેક અગવડનો સામનો કરવો પડી રહ્યો છે... ત્યારે તુરખેડાથી એક સમાચાર આવ્યા કે રસ્તો ના હોવાને કારણે સ્ત્રીનું મોત થયું... પ્રસવની પીડા ઉપડતા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે લોકોએ ઝોળીનો ઉપયોગ કર્યો.. આ સમય દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો.. બાળકી સુરક્ષિત છે પરંતુ તેની માતાનું મોત થઈ ગયું છે...   


નવજાત બાળકે માતાની છત્રછાયા ગુમાવી 

છોટા ઉદેપુરને પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે.... પ્રાકૃતિક સૌંદર્ય તો છે પંરતુ ત્યાં સુવિધાઓ નથી.. એવી સુવિધાઓ જે આપણા માટે એકદમ સામાન્ય હોય.. લોકોને અવર જવર કરવી હોય ત્યારે એવા એવા વિસ્તારોમાંથી પસાર થવું પડે કે આપણને વિચાર આવે કે દરરોજ આવા વિસ્તારથી કેવી રીતે પસાર થવું.. અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી પણ રસ્તાઓ નથી પહોંચ્યા.. રસ્તાના અભાવે જ્યારે કોઈ બિમાર પડે છે ત્યાકે એમ્બ્યુલન્સ નથી આવી શકતી... એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ના મળતા અનેક દર્દીઓને ભોગવવાનો વારો આવે છે... ત્યારે તુરખેડામાં એક નવજાત બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે... 


વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો અરીસો દેખાડે છે....

આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો સરકાર આવા અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ નથી પહોંચાડી શકતી તો અનેક સવાલો ઉભા થાય... આપણે વિકાસની વાતો કરીએ છીએ પરંતુ આવી તસવીરો તે વિકાસની પોલ ખોલી દે છે... આવા દ્રશ્યો અનેક  વખત આપણી સામે આવ્યા છે જેમાં દર્દીને ઝોળી કરીને લઈ જવા પડે છે.. યોગ્ય સમયે સારવાર ના મળવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.. ત્યારે આ મુદ્દે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી