આને કહેવાય જમાવટ, ગૌ-માતા માટે જમાવટે કરેલી મહેનત રંગ લાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 11:48:34

ગૌ-માતા માટે અનેક વખત જમાવટ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકો અબોલ પશુઓ માટે સહાયની માગ કરી રહ્યા હતા. સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવામાં જમાવટે મોટી ભૂમિકા ભજવી હતી.  પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા માલધારી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમાવટની ટીમ પણ ગઈ હતી અને તેમનો અવાજ બની હતી. 

અંબાજી ખાતેથી PM કરશે મુખ્યમંત્રી ગૌ-પોષણ યોજનાની શરૂઆત

છેલ્લા અનેક વખતથી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય માટે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે દર્શન માટે જવાના છે. ત્યારે શક્તિ પીઠ અંબાજી ખાતેથી તેઓ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવાના છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે બજેટમાંથી 500 કરોડની ફાળવણી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને આપવાની જાહેરાત કરી હતી. 

Some people get alarmed on hearing 'Om', 'cow': Modi - Rediff.com India News

રાજ્ય સરકારે ગૌ-માતા માટે ફાળવેલા બજેટમાંથી અપાશે સહાય

મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજનાના પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ-શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં ગૌ માતાને પૂજનીય અને વંદનીય સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં ગૌ-માતાની સેવા તેમજ તેમનું રક્ષણ કરનાર ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને વડાપ્રધાન મોદી અંબાજી ખાતે થી સહાય આપી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાની શરૂઆત કરશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.