આને કહેવાય જમાવટ, ગૌ-માતા માટે જમાવટે કરેલી મહેનત રંગ લાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 11:48:34

ગૌ-માતા માટે અનેક વખત જમાવટ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકો અબોલ પશુઓ માટે સહાયની માગ કરી રહ્યા હતા. સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવામાં જમાવટે મોટી ભૂમિકા ભજવી હતી.  પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા માલધારી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમાવટની ટીમ પણ ગઈ હતી અને તેમનો અવાજ બની હતી. 

અંબાજી ખાતેથી PM કરશે મુખ્યમંત્રી ગૌ-પોષણ યોજનાની શરૂઆત

છેલ્લા અનેક વખતથી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય માટે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે દર્શન માટે જવાના છે. ત્યારે શક્તિ પીઠ અંબાજી ખાતેથી તેઓ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવાના છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે બજેટમાંથી 500 કરોડની ફાળવણી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને આપવાની જાહેરાત કરી હતી. 

Some people get alarmed on hearing 'Om', 'cow': Modi - Rediff.com India News

રાજ્ય સરકારે ગૌ-માતા માટે ફાળવેલા બજેટમાંથી અપાશે સહાય

મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજનાના પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ-શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં ગૌ માતાને પૂજનીય અને વંદનીય સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં ગૌ-માતાની સેવા તેમજ તેમનું રક્ષણ કરનાર ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને વડાપ્રધાન મોદી અંબાજી ખાતે થી સહાય આપી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાની શરૂઆત કરશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.