આને કહેવાય જમાવટ, ગૌ-માતા માટે જમાવટે કરેલી મહેનત રંગ લાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 11:48:34

ગૌ-માતા માટે અનેક વખત જમાવટ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકો અબોલ પશુઓ માટે સહાયની માગ કરી રહ્યા હતા. સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવામાં જમાવટે મોટી ભૂમિકા ભજવી હતી.  પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા માલધારી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમાવટની ટીમ પણ ગઈ હતી અને તેમનો અવાજ બની હતી. 

અંબાજી ખાતેથી PM કરશે મુખ્યમંત્રી ગૌ-પોષણ યોજનાની શરૂઆત

છેલ્લા અનેક વખતથી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય માટે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે દર્શન માટે જવાના છે. ત્યારે શક્તિ પીઠ અંબાજી ખાતેથી તેઓ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવાના છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે બજેટમાંથી 500 કરોડની ફાળવણી ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને આપવાની જાહેરાત કરી હતી. 

Some people get alarmed on hearing 'Om', 'cow': Modi - Rediff.com India News

રાજ્ય સરકારે ગૌ-માતા માટે ફાળવેલા બજેટમાંથી અપાશે સહાય

મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજનાના પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ-શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં ગૌ માતાને પૂજનીય અને વંદનીય સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં ગૌ-માતાની સેવા તેમજ તેમનું રક્ષણ કરનાર ગૌ-શાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકોને વડાપ્રધાન મોદી અંબાજી ખાતે થી સહાય આપી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાની શરૂઆત કરશે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .