TET-TAT ઉમેદવારોએ આ રીતે આગળ વધાર્યું આંદોલન! જ્ઞાન સહાયક પ્રોજેકટના વિરોધમાં હવે યુવાનોએ આમને કરી રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-09 15:31:18

ગુજરાતના ભાવિ શિક્ષકોને ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક યોજનાથી વાંધો છે. તેમણે આ મામલે અનેકવાર ગાંધીનગરમાં વિરોધ પણ કર્યો છે, ધરણા પણ કર્યા છે, મંત્રીઓને પણ મળ્યા છે, શિક્ષણ સચિવને પણ મળીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવજી, હનુમાનજીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે પણ કંઈ થયું નથી. સરકાર પણ પોતાની યોજના પર મક્કમ છે અને વિદ્યાર્થીઓ પણ પોતાના વિરોધ સાથે મક્કમ છે. 

સંતોને ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે રજૂઆત

નેતાઓ, મંત્રીઓ, સરકારી બાબુઓ, વિપક્ષ બધા પાસે રજૂઆત બાદ પણ કંઈ વળ્યું નહીં તો હવે વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા છે. વિદ્યાર્થીઓ એ સંતો પાસે જઈને રજૂઆત કરી છે જે સંતોએ હમણા થોડા સમય પહેલા વિરોધ કર્યો હતો ત્યારે ગુજરાત આખું એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું હતું. 



સાધુ-સંતોના શરણે ટેટ-ટાટના ઉમેદવાર 

ગુજરાત સરકારની કરાર આધારિત યોજના એટલે કે જ્ઞાન સહાયક યોજના સામે ભાવિ શિક્ષકોને વાંધો છે જેના કારણે તે વિરોધ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે, પોતાના હેતુને સિદ્ધ કરવા સાધુ સંતોના શરણે ગયા છે. ભાવિ શિક્ષકોએ બનાસકાંઠાના કાંકરેજના વાળીનાથ મહાદેવના શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપૂરી બાપુ સાથે મુલાકાત કરી હતી. 



જાનકીદાસ બાપુએ સરકારને આપ્યું અલ્ટિમેટમ 

શિક્ષકોએ બાપુ પાસે રજૂઆત કરી હતી કે સંતોના માધ્યમથી સરકારમાં રજૂઆત કરાવો અને જ્ઞાન સહાયક રદ કરાવો. ત્યાર બાદ જ્ઞાન સહાયકના વિરોધમાં ઢીમાના મહંત શ્રી જાનકીદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી જ્યાં બાપુને અને ધરણીધર ભગવાનને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ જાનકીદાસ બાપુએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. 



જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી ઉઠી માગ 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓ વતી સરખેજ ભારતી આશ્રમમાં ઋષિ ભારતી બાપુની મુલાકાત કરી હતી. ઋષિ ભારતી બાપુ સાથે મુલાકાત કરી યુવરાજસિંહ જાડેજાએ જ્ઞાન સહાયક ભરતી રદ કરવા વિદ્યાર્થીઓ વતી માગ રાખી હતી. યુવરાજસિંહ જાડેજાએ બાપુ સામે માગ રાખી હતી કે વિદ્યાર્થીઓની વેદના તે સરકાર સુધી પહોંચાડે જેથી જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે. 



સાધુ-સંતોનો ટેકો ઉમેદવારોને મળશે કે નહીં?

બનાસકાંઠાના સૂઈગામના ભાવિ શિક્ષકોએ કટાવના મહંતને જ્ઞાન સહાયક રદ કરવા રજૂઆત કરી હતી. વિદ્યાાર્થીઓ પાસેથી મુદ્દો સમજ્યા બાદ અને ચર્ચા બાદ કટાવ મહંતે તેમની વાત સરકાર સુધી પહોંચાડવા બાહેંધરી આપી હતી. શિક્ષણ વિભાગ, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવ, વિપક્ષ અને હવે શિક્ષકો સાધુ સંતોને શરણે ગયા છે તો તેના અવાજના પડઘાને ટેકો મળશે કે નહીં એ જોવાનું રહેશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.