TET-TAT ઉમેદવારોએ આ રીતે આગળ વધાર્યું આંદોલન! જ્ઞાન સહાયક પ્રોજેકટના વિરોધમાં હવે યુવાનોએ આમને કરી રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-09 15:31:18

ગુજરાતના ભાવિ શિક્ષકોને ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક યોજનાથી વાંધો છે. તેમણે આ મામલે અનેકવાર ગાંધીનગરમાં વિરોધ પણ કર્યો છે, ધરણા પણ કર્યા છે, મંત્રીઓને પણ મળ્યા છે, શિક્ષણ સચિવને પણ મળીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવજી, હનુમાનજીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે પણ કંઈ થયું નથી. સરકાર પણ પોતાની યોજના પર મક્કમ છે અને વિદ્યાર્થીઓ પણ પોતાના વિરોધ સાથે મક્કમ છે. 

સંતોને ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે રજૂઆત

નેતાઓ, મંત્રીઓ, સરકારી બાબુઓ, વિપક્ષ બધા પાસે રજૂઆત બાદ પણ કંઈ વળ્યું નહીં તો હવે વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા છે. વિદ્યાર્થીઓ એ સંતો પાસે જઈને રજૂઆત કરી છે જે સંતોએ હમણા થોડા સમય પહેલા વિરોધ કર્યો હતો ત્યારે ગુજરાત આખું એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું હતું. 



સાધુ-સંતોના શરણે ટેટ-ટાટના ઉમેદવાર 

ગુજરાત સરકારની કરાર આધારિત યોજના એટલે કે જ્ઞાન સહાયક યોજના સામે ભાવિ શિક્ષકોને વાંધો છે જેના કારણે તે વિરોધ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે, પોતાના હેતુને સિદ્ધ કરવા સાધુ સંતોના શરણે ગયા છે. ભાવિ શિક્ષકોએ બનાસકાંઠાના કાંકરેજના વાળીનાથ મહાદેવના શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપૂરી બાપુ સાથે મુલાકાત કરી હતી. 



જાનકીદાસ બાપુએ સરકારને આપ્યું અલ્ટિમેટમ 

શિક્ષકોએ બાપુ પાસે રજૂઆત કરી હતી કે સંતોના માધ્યમથી સરકારમાં રજૂઆત કરાવો અને જ્ઞાન સહાયક રદ કરાવો. ત્યાર બાદ જ્ઞાન સહાયકના વિરોધમાં ઢીમાના મહંત શ્રી જાનકીદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી જ્યાં બાપુને અને ધરણીધર ભગવાનને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ જાનકીદાસ બાપુએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. 



જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી ઉઠી માગ 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓ વતી સરખેજ ભારતી આશ્રમમાં ઋષિ ભારતી બાપુની મુલાકાત કરી હતી. ઋષિ ભારતી બાપુ સાથે મુલાકાત કરી યુવરાજસિંહ જાડેજાએ જ્ઞાન સહાયક ભરતી રદ કરવા વિદ્યાર્થીઓ વતી માગ રાખી હતી. યુવરાજસિંહ જાડેજાએ બાપુ સામે માગ રાખી હતી કે વિદ્યાર્થીઓની વેદના તે સરકાર સુધી પહોંચાડે જેથી જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે. 



સાધુ-સંતોનો ટેકો ઉમેદવારોને મળશે કે નહીં?

બનાસકાંઠાના સૂઈગામના ભાવિ શિક્ષકોએ કટાવના મહંતને જ્ઞાન સહાયક રદ કરવા રજૂઆત કરી હતી. વિદ્યાાર્થીઓ પાસેથી મુદ્દો સમજ્યા બાદ અને ચર્ચા બાદ કટાવ મહંતે તેમની વાત સરકાર સુધી પહોંચાડવા બાહેંધરી આપી હતી. શિક્ષણ વિભાગ, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવ, વિપક્ષ અને હવે શિક્ષકો સાધુ સંતોને શરણે ગયા છે તો તેના અવાજના પડઘાને ટેકો મળશે કે નહીં એ જોવાનું રહેશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી