TET-TAT ઉમેદવારોએ આ રીતે આગળ વધાર્યું આંદોલન! જ્ઞાન સહાયક પ્રોજેકટના વિરોધમાં હવે યુવાનોએ આમને કરી રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-09 15:31:18

ગુજરાતના ભાવિ શિક્ષકોને ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટવાળી જ્ઞાન સહાયક યોજનાથી વાંધો છે. તેમણે આ મામલે અનેકવાર ગાંધીનગરમાં વિરોધ પણ કર્યો છે, ધરણા પણ કર્યા છે, મંત્રીઓને પણ મળ્યા છે, શિક્ષણ સચિવને પણ મળીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવજી, હનુમાનજીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે પણ કંઈ થયું નથી. સરકાર પણ પોતાની યોજના પર મક્કમ છે અને વિદ્યાર્થીઓ પણ પોતાના વિરોધ સાથે મક્કમ છે. 

સંતોને ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે રજૂઆત

નેતાઓ, મંત્રીઓ, સરકારી બાબુઓ, વિપક્ષ બધા પાસે રજૂઆત બાદ પણ કંઈ વળ્યું નહીં તો હવે વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા છે. વિદ્યાર્થીઓ એ સંતો પાસે જઈને રજૂઆત કરી છે જે સંતોએ હમણા થોડા સમય પહેલા વિરોધ કર્યો હતો ત્યારે ગુજરાત આખું એક જ વિષય પર ચર્ચા કરી રહ્યું હતું. 



સાધુ-સંતોના શરણે ટેટ-ટાટના ઉમેદવાર 

ગુજરાત સરકારની કરાર આધારિત યોજના એટલે કે જ્ઞાન સહાયક યોજના સામે ભાવિ શિક્ષકોને વાંધો છે જેના કારણે તે વિરોધ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે, પોતાના હેતુને સિદ્ધ કરવા સાધુ સંતોના શરણે ગયા છે. ભાવિ શિક્ષકોએ બનાસકાંઠાના કાંકરેજના વાળીનાથ મહાદેવના શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપૂરી બાપુ સાથે મુલાકાત કરી હતી. 



જાનકીદાસ બાપુએ સરકારને આપ્યું અલ્ટિમેટમ 

શિક્ષકોએ બાપુ પાસે રજૂઆત કરી હતી કે સંતોના માધ્યમથી સરકારમાં રજૂઆત કરાવો અને જ્ઞાન સહાયક રદ કરાવો. ત્યાર બાદ જ્ઞાન સહાયકના વિરોધમાં ઢીમાના મહંત શ્રી જાનકીદાસ બાપુ સાથે મુલાકાત કરી હતી જ્યાં બાપુને અને ધરણીધર ભગવાનને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ જાનકીદાસ બાપુએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. 



જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી ઉઠી માગ 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓ વતી સરખેજ ભારતી આશ્રમમાં ઋષિ ભારતી બાપુની મુલાકાત કરી હતી. ઋષિ ભારતી બાપુ સાથે મુલાકાત કરી યુવરાજસિંહ જાડેજાએ જ્ઞાન સહાયક ભરતી રદ કરવા વિદ્યાર્થીઓ વતી માગ રાખી હતી. યુવરાજસિંહ જાડેજાએ બાપુ સામે માગ રાખી હતી કે વિદ્યાર્થીઓની વેદના તે સરકાર સુધી પહોંચાડે જેથી જ્ઞાન સહાયક યોજના રદ કરી દેવામાં આવે. 



સાધુ-સંતોનો ટેકો ઉમેદવારોને મળશે કે નહીં?

બનાસકાંઠાના સૂઈગામના ભાવિ શિક્ષકોએ કટાવના મહંતને જ્ઞાન સહાયક રદ કરવા રજૂઆત કરી હતી. વિદ્યાાર્થીઓ પાસેથી મુદ્દો સમજ્યા બાદ અને ચર્ચા બાદ કટાવ મહંતે તેમની વાત સરકાર સુધી પહોંચાડવા બાહેંધરી આપી હતી. શિક્ષણ વિભાગ, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહાદેવ, વિપક્ષ અને હવે શિક્ષકો સાધુ સંતોને શરણે ગયા છે તો તેના અવાજના પડઘાને ટેકો મળશે કે નહીં એ જોવાનું રહેશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.