'આ લોકશાહીની હત્યા છે...', ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી દરમિયાન રિટર્નિંગ ઓફિસર પર ભડક્યા CJI


  • Published By :
  • Published Date : 2024-02-05 18:04:17

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટીસે પ્રિસાઈડિંગ ઓફિસનો વીડિયો જોયો હતો જેમાં તે મતોને કથિત રીતે રદ્દ કરતા જોવા મળે છે. સીજેઆઈએ કહ્યું કે આ લોકતંત્રની મજાક છે. આજની સુનાવણી બાદ સીજેઆઈ આગામી 12 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી હાથ ધરશે. 


સુપ્રીમે આપ્યો સ્ટે


સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા કોર્ટે રજીસ્ટ્રારની પાસે સાંજે 5 વાગ્યે તમામ ડોક્યુમેન્ટ અને તમામ વિડીયો પ્રૂફ જમા કરાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ નગર નિગમની 7 ફેબ્રુઆરીના રોજ થનારી પહેલી બેઠક અનિશ્ચિત સમય સુધી મોકુફ રાખવાનો હુકમ કર્યો છે. મતલબ કે નગર નિગમના નવા મેયરના કામકાજ પર હાલ સ્ટે રહેશે.  


પ્રિસાઇડિંગ ઓફિસરનો વીડિયો CJIને સોંપાયો


એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી હતી. આ જ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રિસાઈડિંગ ઓફિસનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે, તે પણ જોવા મળે છે.


RO અનિલ મસીહ પર તવાઈ


સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહની AAP-કોંગ્રેસ ગઠબંધનના 8 મત રદ કરવાની પ્રક્રિયાની આકરી ટીકા કરી હતી. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે એવું લાગે છે કે RO (રિટર્નિંગ ઓફિસર) એ મતો સાથે ચેડા કર્યા છે અને તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. આરઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. તે જે કરી રહ્યો છે તેનાથી અમે આશ્ચર્યચકિત છીએ. શું આરઓ દ્વારા આ રીતે ચૂંટણી કરાવવામાં આવે છે? અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ માણસને જેવો જ નીચે ક્રોસ જોવા મળે તે કે તરત જ બેલેટ પેપરને વિકૃત કરે છે. CJIએ કહ્યું કે તમારા આરઓને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ દેશમાં એકમાત્ર મહાન સ્થિર શક્તિ લોકશાહીની પવિત્રતા છે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..