'આ લોકશાહીની હત્યા છે...', ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી દરમિયાન રિટર્નિંગ ઓફિસર પર ભડક્યા CJI


  • Published By :
  • Published Date : 2024-02-05 18:04:17

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટીસે પ્રિસાઈડિંગ ઓફિસનો વીડિયો જોયો હતો જેમાં તે મતોને કથિત રીતે રદ્દ કરતા જોવા મળે છે. સીજેઆઈએ કહ્યું કે આ લોકતંત્રની મજાક છે. આજની સુનાવણી બાદ સીજેઆઈ આગામી 12 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી હાથ ધરશે. 


સુપ્રીમે આપ્યો સ્ટે


સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા કોર્ટે રજીસ્ટ્રારની પાસે સાંજે 5 વાગ્યે તમામ ડોક્યુમેન્ટ અને તમામ વિડીયો પ્રૂફ જમા કરાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ નગર નિગમની 7 ફેબ્રુઆરીના રોજ થનારી પહેલી બેઠક અનિશ્ચિત સમય સુધી મોકુફ રાખવાનો હુકમ કર્યો છે. મતલબ કે નગર નિગમના નવા મેયરના કામકાજ પર હાલ સ્ટે રહેશે.  


પ્રિસાઇડિંગ ઓફિસરનો વીડિયો CJIને સોંપાયો


એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી હતી. આ જ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રિસાઈડિંગ ઓફિસનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે, તે પણ જોવા મળે છે.


RO અનિલ મસીહ પર તવાઈ


સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહની AAP-કોંગ્રેસ ગઠબંધનના 8 મત રદ કરવાની પ્રક્રિયાની આકરી ટીકા કરી હતી. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે એવું લાગે છે કે RO (રિટર્નિંગ ઓફિસર) એ મતો સાથે ચેડા કર્યા છે અને તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. આરઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. તે જે કરી રહ્યો છે તેનાથી અમે આશ્ચર્યચકિત છીએ. શું આરઓ દ્વારા આ રીતે ચૂંટણી કરાવવામાં આવે છે? અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ માણસને જેવો જ નીચે ક્રોસ જોવા મળે તે કે તરત જ બેલેટ પેપરને વિકૃત કરે છે. CJIએ કહ્યું કે તમારા આરઓને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. અમે લોકશાહીની આ રીતે હત્યા થવા દઈશું નહીં. આ દેશમાં એકમાત્ર મહાન સ્થિર શક્તિ લોકશાહીની પવિત્રતા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.