Gas Cylinderના ભાવ ઘટાડા અંગે વિપક્ષી નેતાઓની આવી પ્રતિક્રિયા, કોઈએ નિર્ણયને ગણાવ્યો चुनावी लॉलीपॉप તો કોઈએ I.N.D.I.A સાથે જોડ્યો...


  • Published By :
  • Published Date : 2023-08-30 13:12:31

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવવાની છે. ચૂંટણી હોવાને કારણે સરકાર એવા અનેક નિયમો લઈ રહી છે જેની સીધી અસર સામાન્ય તેમજ મધ્યમ પરિવારને પડે. આવી વાતો એટલા માટે લોકોમાં કરવામાં આવી રહી છે કારણ કે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. રક્ષાબંધનના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોને ગિફ્ટ આપી છે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. 29 ઓગસ્ટે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને આજથી આ ભાવ બદલીનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે. 

ખડગેએ આ નિર્ણયને “चुनावी लॉलीपॉप” ગણાવ્યો 

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક કરવામાં આવેલા ભાવ ઘટાડાને કારણે વિપક્ષ સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. ભાજપને હરાવવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે જેને I.N.D.I.A તરીકે ઓળખવામાં આવે છે. ભાવ ઘટાડા બાદ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  ભાવ ઘટાડા પર બોલ્યા છે જેમાં તેમણે કહ્યું કે "साढ़े 9 सालों तक ₹400 का LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं आई ? भाजपा सरकार ये जान लें कि 140 करोड़ भारतीयों को साढ़े 9 साल तड़पाने के बाद “चुनावी लॉलीपॉप” थमाने से काम नहीं चलेगा।आपके एक दशक के पाप नहीं धुलेंगे।" 

તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે આપી પ્રતિક્રિયા  

તે સિવાય સુપ્રિયા સુલેએ પણ ભાવ ઘટાડા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ઈલેક્શન માટે છે, સાડા ચાર વર્ષ સુધી ભાવમાં ઘટાડો કેમ ન કર્યો? કર્ણાટકની સરકારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપને રિઝેક્ટ કરી એટલા માટે ભાજપ ડરી ગઈ છે. તે સિવાય તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે ટ્વિટ કરી છે. INDIA की लोकप्रियता और जनहित के मुद्दों से घबराकर 9 साल जनता को लूटने वाली मोदी सरकार ने घरेलू गैस सिलेंडर में कुछ कटौती की है। देखते जाइए, इनसे पेट्रोल-डीजल और खाद्य पदार्थों के दाम भी कम करायेंगे। पूँजीपतियों को देश बेचने से भी बचायेंगे।

ભાવ ઘટાડાને મમતાએ ગણાવ્યો "INDIA का दम!"

તે સિવાય આ મુદ્દે મમતા બેનર્જી પણ આક્રામક દેખાઈ હતી. મમતાએ આ ભાવ ઘટાડાને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવી છે. ટ્વિટમાં મમતા બેનર્જીએ લખ્યું કે "अब तक, पिछले दो महीनों में INDIA गठबंधन की केवल दो बैठकें हुई हैं और आज हम देखते हैं कि LPG की कीमतें 200 रुपये तक कम हो गई हैं. ये है INDIA का दम!"



મોંઘવારીનો માર સહન કરવા મજબૂર મધ્યમ પરિવાર 

મહત્વનું છે કે મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે, તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થાય છે. કોઈ વખત દાળના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત તેલની કિંમત આસમાને પહોંચી જાય છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ પરિવાર માટે ઘર ચલાવવું ઘણું અઘરૂં સાબિત થાય છે. લાફો મારીને પણ ગાલ લાલ રાખવો પડે તેવી પરિસ્થિતિ મધ્મપરિવારની થતી હોય છે. ત્યારે આવનાર સમયમાં મોંઘવારી પર અંકુશ આવશે કે નહીં તે જોવું રહ્યું.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.