Gas Cylinderના ભાવ ઘટાડા અંગે વિપક્ષી નેતાઓની આવી પ્રતિક્રિયા, કોઈએ નિર્ણયને ગણાવ્યો चुनावी लॉलीपॉप તો કોઈએ I.N.D.I.A સાથે જોડ્યો...


  • Published By :
  • Published Date : 2023-08-30 13:12:31

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવવાની છે. ચૂંટણી હોવાને કારણે સરકાર એવા અનેક નિયમો લઈ રહી છે જેની સીધી અસર સામાન્ય તેમજ મધ્યમ પરિવારને પડે. આવી વાતો એટલા માટે લોકોમાં કરવામાં આવી રહી છે કારણ કે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. રક્ષાબંધનના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોને ગિફ્ટ આપી છે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. 29 ઓગસ્ટે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને આજથી આ ભાવ બદલીનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે. 

ખડગેએ આ નિર્ણયને “चुनावी लॉलीपॉप” ગણાવ્યો 

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક કરવામાં આવેલા ભાવ ઘટાડાને કારણે વિપક્ષ સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. ભાજપને હરાવવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે જેને I.N.D.I.A તરીકે ઓળખવામાં આવે છે. ભાવ ઘટાડા બાદ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  ભાવ ઘટાડા પર બોલ્યા છે જેમાં તેમણે કહ્યું કે "साढ़े 9 सालों तक ₹400 का LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं आई ? भाजपा सरकार ये जान लें कि 140 करोड़ भारतीयों को साढ़े 9 साल तड़पाने के बाद “चुनावी लॉलीपॉप” थमाने से काम नहीं चलेगा।आपके एक दशक के पाप नहीं धुलेंगे।" 

તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે આપી પ્રતિક્રિયા  

તે સિવાય સુપ્રિયા સુલેએ પણ ભાવ ઘટાડા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ઈલેક્શન માટે છે, સાડા ચાર વર્ષ સુધી ભાવમાં ઘટાડો કેમ ન કર્યો? કર્ણાટકની સરકારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપને રિઝેક્ટ કરી એટલા માટે ભાજપ ડરી ગઈ છે. તે સિવાય તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે ટ્વિટ કરી છે. INDIA की लोकप्रियता और जनहित के मुद्दों से घबराकर 9 साल जनता को लूटने वाली मोदी सरकार ने घरेलू गैस सिलेंडर में कुछ कटौती की है। देखते जाइए, इनसे पेट्रोल-डीजल और खाद्य पदार्थों के दाम भी कम करायेंगे। पूँजीपतियों को देश बेचने से भी बचायेंगे।

ભાવ ઘટાડાને મમતાએ ગણાવ્યો "INDIA का दम!"

તે સિવાય આ મુદ્દે મમતા બેનર્જી પણ આક્રામક દેખાઈ હતી. મમતાએ આ ભાવ ઘટાડાને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવી છે. ટ્વિટમાં મમતા બેનર્જીએ લખ્યું કે "अब तक, पिछले दो महीनों में INDIA गठबंधन की केवल दो बैठकें हुई हैं और आज हम देखते हैं कि LPG की कीमतें 200 रुपये तक कम हो गई हैं. ये है INDIA का दम!"



મોંઘવારીનો માર સહન કરવા મજબૂર મધ્યમ પરિવાર 

મહત્વનું છે કે મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે, તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થાય છે. કોઈ વખત દાળના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત તેલની કિંમત આસમાને પહોંચી જાય છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ પરિવાર માટે ઘર ચલાવવું ઘણું અઘરૂં સાબિત થાય છે. લાફો મારીને પણ ગાલ લાલ રાખવો પડે તેવી પરિસ્થિતિ મધ્મપરિવારની થતી હોય છે. ત્યારે આવનાર સમયમાં મોંઘવારી પર અંકુશ આવશે કે નહીં તે જોવું રહ્યું.   




૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.