Gas Cylinderના ભાવ ઘટાડા અંગે વિપક્ષી નેતાઓની આવી પ્રતિક્રિયા, કોઈએ નિર્ણયને ગણાવ્યો चुनावी लॉलीपॉप તો કોઈએ I.N.D.I.A સાથે જોડ્યો...


  • Published By :
  • Published Date : 2023-08-30 13:12:31

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવવાની છે. ચૂંટણી હોવાને કારણે સરકાર એવા અનેક નિયમો લઈ રહી છે જેની સીધી અસર સામાન્ય તેમજ મધ્યમ પરિવારને પડે. આવી વાતો એટલા માટે લોકોમાં કરવામાં આવી રહી છે કારણ કે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. રક્ષાબંધનના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોને ગિફ્ટ આપી છે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. 29 ઓગસ્ટે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને આજથી આ ભાવ બદલીનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે. 

ખડગેએ આ નિર્ણયને “चुनावी लॉलीपॉप” ગણાવ્યો 

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક કરવામાં આવેલા ભાવ ઘટાડાને કારણે વિપક્ષ સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. ભાજપને હરાવવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે જેને I.N.D.I.A તરીકે ઓળખવામાં આવે છે. ભાવ ઘટાડા બાદ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  ભાવ ઘટાડા પર બોલ્યા છે જેમાં તેમણે કહ્યું કે "साढ़े 9 सालों तक ₹400 का LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं आई ? भाजपा सरकार ये जान लें कि 140 करोड़ भारतीयों को साढ़े 9 साल तड़पाने के बाद “चुनावी लॉलीपॉप” थमाने से काम नहीं चलेगा।आपके एक दशक के पाप नहीं धुलेंगे।" 

તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે આપી પ્રતિક્રિયા  

તે સિવાય સુપ્રિયા સુલેએ પણ ભાવ ઘટાડા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ઈલેક્શન માટે છે, સાડા ચાર વર્ષ સુધી ભાવમાં ઘટાડો કેમ ન કર્યો? કર્ણાટકની સરકારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપને રિઝેક્ટ કરી એટલા માટે ભાજપ ડરી ગઈ છે. તે સિવાય તેજસ્વી યાદવે પણ ભાવ ઘટાડા અંગે ટ્વિટ કરી છે. INDIA की लोकप्रियता और जनहित के मुद्दों से घबराकर 9 साल जनता को लूटने वाली मोदी सरकार ने घरेलू गैस सिलेंडर में कुछ कटौती की है। देखते जाइए, इनसे पेट्रोल-डीजल और खाद्य पदार्थों के दाम भी कम करायेंगे। पूँजीपतियों को देश बेचने से भी बचायेंगे।

ભાવ ઘટાડાને મમતાએ ગણાવ્યો "INDIA का दम!"

તે સિવાય આ મુદ્દે મમતા બેનર્જી પણ આક્રામક દેખાઈ હતી. મમતાએ આ ભાવ ઘટાડાને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવી છે. ટ્વિટમાં મમતા બેનર્જીએ લખ્યું કે "अब तक, पिछले दो महीनों में INDIA गठबंधन की केवल दो बैठकें हुई हैं और आज हम देखते हैं कि LPG की कीमतें 200 रुपये तक कम हो गई हैं. ये है INDIA का दम!"



મોંઘવારીનો માર સહન કરવા મજબૂર મધ્યમ પરિવાર 

મહત્વનું છે કે મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે, તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થાય છે. કોઈ વખત દાળના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત તેલની કિંમત આસમાને પહોંચી જાય છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ પરિવાર માટે ઘર ચલાવવું ઘણું અઘરૂં સાબિત થાય છે. લાફો મારીને પણ ગાલ લાલ રાખવો પડે તેવી પરિસ્થિતિ મધ્મપરિવારની થતી હોય છે. ત્યારે આવનાર સમયમાં મોંઘવારી પર અંકુશ આવશે કે નહીં તે જોવું રહ્યું.   




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.