ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતની આ છે વાસ્તવિક્તા! પહેલા શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા અને પછી પોલીસ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-03 13:36:07

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારતા કરી દેતા હોય છે કે ડ્રાય સ્ટેટ છે તો આવી હાલત છે જો ન હોત તો? સમાચારોને જોઈ લાગતું હોય છે કે આ વાત માત્ર પેપર પર જ છે. પ્રતિદિન આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં લોકો તો ઠીક પરંતુ સારી પોસ્ટ પર બેઠેલા લોકો દારૂના નશામાં જોવા મળતા હોય છે. મહત્વની વાત તો એ છે કે અધિકારીઓ જ વધારે પડતા નશાની હાલતમાં દેખાય છે. થોડા દિવસ પહેલા મહિસાગરથી એક શિક્ષક નશાની હાલતમાં મળ્યા હતા ત્યારે હવે પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયા હતા. 


પીએસઆઈ દેખાયા નશાની હાલતમાં!

કાયદાનું પાલન કરાવવાની જિમ્મેદારી પોલીસ પર રહેતી હોય છે. જો કોઈ કાયદો તોડે છે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરતા હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલે પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેમાં પીએસઆઈ નશાની હાલતમાં હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ વી.બી.વસાવા તાલુકા પોલીસ મથકના કંપાઉન્ડમાં લથડીયા ખાતા અને દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પીએસઆઈના નશાની હાલતમાં હોવાના સમાચાર મળતા પોલીસ બેડામાં અને ખાસ તો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.    

મહિસાગરમાં શિક્ષક શાળામાં આવ્યા હતા દારૂ પીને!

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાથી પણ એક આવો જ કિસ્સો સામે  આવ્યો હતો. તેમાં એક શિક્ષક શાળામાં દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યા હતા. શિક્ષણ અધિકારી અવનીબા મોરીને આ અંગે ફરિયાદ મળી હતી. જેને લઈ તેમણે શાળાની સરપ્રાઈઝ વિઝીટ લીધી અને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદોના આધારે શિક્ષણમંત્રીના મતવિસ્તારમાં આવેલી શાળાની મુલાકાત લીધી હતી. તપાસ કરવા વાછલાવાડા પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા અને ત્યાં ફરજ પરના શિક્ષક કે જેઓ આચાર્ય પણ છે તે નશાની હાલતમાં દેખાયા હતા. જ્યારે શિક્ષણ અધિકારીએ આચાર્ય સાથે વાતચીત કરી તે દરમિયાન તે લથડીયા ખાતા દેખાયા હતા. જેને લઈ અધિકારીને શંકા ગઈ અને તપાસ કરી હતી. 


નશાની હાલતમાં મામલતદાર આવ્યા હતા ઓફિસે

એટલું જ નહીં તે પહેલા પણ એક અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. કડાણામાં ગત 31 ડિસેમ્બરના રોજ નાયબ મામલતદારનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક અધિકારી દારૂ ભરેલો ગ્લાસ હાથમાં રાખી નજરે ચડ્યો હતો. જે વીડિયો સામે આવ્યો હતો તેમાં તે કહી રહ્યા હતા કે હું આવતીકાલે પણ એ જ બોલીશ, જે પીધેલી હાલતમાં બોલું છું. વીડિયો વાયરલ થયા બાદ તેની વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નાયબ મામલતદારના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં અને ચકાસણી માટે ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ આવતાં 0.05 કરતાં વધુ માત્રામાં ઇથાઇલ આલ્કોહોલની માત્રા મળી આવી હતી. તે અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.  


આવા તો એવા અનેક કિસ્સાઓ હશે જે સામે નથી આવતા 

આ તો આવી ઘટનાઓ છે જે પ્રકાશમાં આવી છે, એવા ઉદાહરણ છે જે સામે આવ્યા છે. એવા અનેક લોકો છે જે નશાની હાલતમાં મળી આવે છે. જે લોકો પર સમાજને સુધારવાની જવાબદારી હોય તેવા જ લોકો નશામાં ડૂબેલી હાલતમાં મળી આવે છે,એ પછી શિક્ષક હોય કે પછી પોલીસ વિભાગમાં કામ કરતા અધિકારી. આદિવાસી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં દારૂ નહીં તો તાડી પીને પણ નશો કરે છે. નશો કર્યો વગર રહી શકાતું નથી.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.