ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતની આ છે વાસ્તવિક્તા! પહેલા શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા અને પછી પોલીસ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-03 13:36:07

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારતા કરી દેતા હોય છે કે ડ્રાય સ્ટેટ છે તો આવી હાલત છે જો ન હોત તો? સમાચારોને જોઈ લાગતું હોય છે કે આ વાત માત્ર પેપર પર જ છે. પ્રતિદિન આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં લોકો તો ઠીક પરંતુ સારી પોસ્ટ પર બેઠેલા લોકો દારૂના નશામાં જોવા મળતા હોય છે. મહત્વની વાત તો એ છે કે અધિકારીઓ જ વધારે પડતા નશાની હાલતમાં દેખાય છે. થોડા દિવસ પહેલા મહિસાગરથી એક શિક્ષક નશાની હાલતમાં મળ્યા હતા ત્યારે હવે પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયા હતા. 


પીએસઆઈ દેખાયા નશાની હાલતમાં!

કાયદાનું પાલન કરાવવાની જિમ્મેદારી પોલીસ પર રહેતી હોય છે. જો કોઈ કાયદો તોડે છે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરતા હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલે પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેમાં પીએસઆઈ નશાની હાલતમાં હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ વી.બી.વસાવા તાલુકા પોલીસ મથકના કંપાઉન્ડમાં લથડીયા ખાતા અને દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પીએસઆઈના નશાની હાલતમાં હોવાના સમાચાર મળતા પોલીસ બેડામાં અને ખાસ તો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.    

મહિસાગરમાં શિક્ષક શાળામાં આવ્યા હતા દારૂ પીને!

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાથી પણ એક આવો જ કિસ્સો સામે  આવ્યો હતો. તેમાં એક શિક્ષક શાળામાં દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યા હતા. શિક્ષણ અધિકારી અવનીબા મોરીને આ અંગે ફરિયાદ મળી હતી. જેને લઈ તેમણે શાળાની સરપ્રાઈઝ વિઝીટ લીધી અને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદોના આધારે શિક્ષણમંત્રીના મતવિસ્તારમાં આવેલી શાળાની મુલાકાત લીધી હતી. તપાસ કરવા વાછલાવાડા પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા અને ત્યાં ફરજ પરના શિક્ષક કે જેઓ આચાર્ય પણ છે તે નશાની હાલતમાં દેખાયા હતા. જ્યારે શિક્ષણ અધિકારીએ આચાર્ય સાથે વાતચીત કરી તે દરમિયાન તે લથડીયા ખાતા દેખાયા હતા. જેને લઈ અધિકારીને શંકા ગઈ અને તપાસ કરી હતી. 


નશાની હાલતમાં મામલતદાર આવ્યા હતા ઓફિસે

એટલું જ નહીં તે પહેલા પણ એક અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. કડાણામાં ગત 31 ડિસેમ્બરના રોજ નાયબ મામલતદારનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક અધિકારી દારૂ ભરેલો ગ્લાસ હાથમાં રાખી નજરે ચડ્યો હતો. જે વીડિયો સામે આવ્યો હતો તેમાં તે કહી રહ્યા હતા કે હું આવતીકાલે પણ એ જ બોલીશ, જે પીધેલી હાલતમાં બોલું છું. વીડિયો વાયરલ થયા બાદ તેની વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નાયબ મામલતદારના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં અને ચકાસણી માટે ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ આવતાં 0.05 કરતાં વધુ માત્રામાં ઇથાઇલ આલ્કોહોલની માત્રા મળી આવી હતી. તે અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.  


આવા તો એવા અનેક કિસ્સાઓ હશે જે સામે નથી આવતા 

આ તો આવી ઘટનાઓ છે જે પ્રકાશમાં આવી છે, એવા ઉદાહરણ છે જે સામે આવ્યા છે. એવા અનેક લોકો છે જે નશાની હાલતમાં મળી આવે છે. જે લોકો પર સમાજને સુધારવાની જવાબદારી હોય તેવા જ લોકો નશામાં ડૂબેલી હાલતમાં મળી આવે છે,એ પછી શિક્ષક હોય કે પછી પોલીસ વિભાગમાં કામ કરતા અધિકારી. આદિવાસી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં દારૂ નહીં તો તાડી પીને પણ નશો કરે છે. નશો કર્યો વગર રહી શકાતું નથી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે