બ્રિટેનમાં રાજા રાણીની આ હોય છે ભૂમિકા! વિધી વિધાન સાથે થઈ ચાર્લ્સ-કેમિલાની તાજપોશી! 70 વર્ષ બાદ યોજાયો સમારોહ !


  • Published By :
  • Published Date : 2023-05-07 11:33:00

ભારતમાં એક સમય એવો હતો જ્યારે રાજાઓ રાજ કરતા હતા. આપણે ત્યાંથી રાજાશાહીનો જમાનો ગયો એનો જમાનો ગયો પરંતુ બ્રિટનમાં હજુ પણ રાજાનું શાસન ચાલી રહ્યું છે. આજે કિંગ ચાર્લ્સ IIIનો રાજ્યાભિષેક થયો. બ્રિટનના કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો તાજપોશી સમારોહ યોજાયો હતો. પણ સવાલ અહીં એ થાય કે ચાર્લ્સ રાજા તો બની ગયા પણ તેમને કામ શું કરવાનું હોય છે કારણ કે ત્યાં પણ સંસદ છે. તેમના માતા ક્વીન એલિઝાબેથ સેકન્ડ પણ દાયકાઓ સુધી રાણી રહ્યા પણ  તેમને કામ શું કરવાનું હોય છે.

किंग चार्ल्स

બ્રિટેનમાં રાજા-રાણીની આ હોય છે જવાબદારી!

આપણે ત્યાં સંસદીય પ્રણાલી છે પણ બ્રિટનમાં સંસદીય રાજપ્રણાલી છે. આપણે અહીંયા જેમ રાષ્ટ્રપતિ છે તેવી જ રીતે બ્રિટનમાં રાજા કે રાણી હોય છે. પદ મળે છે તો જવાબદારી પણ આપોઆપ આવી જાય છે. જો કિંગ કે ક્વીનના જવાબદારીઓની વાત કરીએ તો કિંગના સૌથી મોટા કામમાંથી એક છે બ્રિટનની ચૂંટણી પછી સરકારની પસંદગી કરવી. 


સરકાર બનાવા જીતેલા પક્ષને આપે છે આમંત્રણ!

આપણે ત્યાં જેમ ચૂંટણી જીતનાર પાર્ટીને સરકાર બનાવા રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે તેમ ત્યાં ચૂંટણી જીતનાર પાર્ટીના નેતાને કિંગ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. અને તેમને બકિંઘમ પેલેસ બોલાવામાં આવે છે. કિંગ ધારે તો ચૂંટણી પહેલા સરકાર ભંગ પણ કરી શકે છે. તે સિવાય આપણે ત્યાં કોઈ બિલ પાસ કરવાનું હોય તો તેમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર જોઈએ તેવું ત્યાં પણ થાય છે. સંસદમાં બિલ બને છે અને પછી તેને કાયદો બનાવા માટે રાજા પાસે સહી કરવા મોકલાવાય છે. આ સિવાય રાજા કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખ પણ કહેવાય છે. તો કિંગ ચાર્લ્સના ફોટો પણ નોટ પર જોવા મળશે.. અત્યાર સુધી રાણીનો ફોટો ચાલતો હતો જે હટશે અને કિંગ ચાર્લ્સ થર્ડનો ફોટો ઉમેરાશે... 

Image

Image

બ્રિટનમાં ચાર્લ્સ- કેમિલાની થઈ તાજપોશી!

બ્રિટનના રાજા ચાર્લ્સ થર્ડે વેસ્ટમિંસ્ટર એબેમાં શપથ લઈ લીધા છે.. તેમની તાજપોશી પણ થઈ ગઈ છે. દુનિયાભરના લોકો કિંગના શપથ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. આર્કબિશપે તમામ ધાર્મિક વિધિઓ પછી કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાને તાજ પહેરાવ્યો હતો. ચાર્લ્સે ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાયો હતો. મહેમાનોની વાત કરીએ તો અમેરિકાના ફર્સ્ટ લેડી, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં રાજાની તાજપોશીમાં આવ્યા હતા. આ સમારોહનો ખર્ચ યુનાઈટેડ કિંગડમ સરકાર ઉઠાવતી હોય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.