બ્રિટેનમાં રાજા રાણીની આ હોય છે ભૂમિકા! વિધી વિધાન સાથે થઈ ચાર્લ્સ-કેમિલાની તાજપોશી! 70 વર્ષ બાદ યોજાયો સમારોહ !


  • Published By :
  • Published Date : 2023-05-07 11:33:00

ભારતમાં એક સમય એવો હતો જ્યારે રાજાઓ રાજ કરતા હતા. આપણે ત્યાંથી રાજાશાહીનો જમાનો ગયો એનો જમાનો ગયો પરંતુ બ્રિટનમાં હજુ પણ રાજાનું શાસન ચાલી રહ્યું છે. આજે કિંગ ચાર્લ્સ IIIનો રાજ્યાભિષેક થયો. બ્રિટનના કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો તાજપોશી સમારોહ યોજાયો હતો. પણ સવાલ અહીં એ થાય કે ચાર્લ્સ રાજા તો બની ગયા પણ તેમને કામ શું કરવાનું હોય છે કારણ કે ત્યાં પણ સંસદ છે. તેમના માતા ક્વીન એલિઝાબેથ સેકન્ડ પણ દાયકાઓ સુધી રાણી રહ્યા પણ  તેમને કામ શું કરવાનું હોય છે.

किंग चार्ल्स

બ્રિટેનમાં રાજા-રાણીની આ હોય છે જવાબદારી!

આપણે ત્યાં સંસદીય પ્રણાલી છે પણ બ્રિટનમાં સંસદીય રાજપ્રણાલી છે. આપણે અહીંયા જેમ રાષ્ટ્રપતિ છે તેવી જ રીતે બ્રિટનમાં રાજા કે રાણી હોય છે. પદ મળે છે તો જવાબદારી પણ આપોઆપ આવી જાય છે. જો કિંગ કે ક્વીનના જવાબદારીઓની વાત કરીએ તો કિંગના સૌથી મોટા કામમાંથી એક છે બ્રિટનની ચૂંટણી પછી સરકારની પસંદગી કરવી. 


સરકાર બનાવા જીતેલા પક્ષને આપે છે આમંત્રણ!

આપણે ત્યાં જેમ ચૂંટણી જીતનાર પાર્ટીને સરકાર બનાવા રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે તેમ ત્યાં ચૂંટણી જીતનાર પાર્ટીના નેતાને કિંગ સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. અને તેમને બકિંઘમ પેલેસ બોલાવામાં આવે છે. કિંગ ધારે તો ચૂંટણી પહેલા સરકાર ભંગ પણ કરી શકે છે. તે સિવાય આપણે ત્યાં કોઈ બિલ પાસ કરવાનું હોય તો તેમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર જોઈએ તેવું ત્યાં પણ થાય છે. સંસદમાં બિલ બને છે અને પછી તેને કાયદો બનાવા માટે રાજા પાસે સહી કરવા મોકલાવાય છે. આ સિવાય રાજા કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખ પણ કહેવાય છે. તો કિંગ ચાર્લ્સના ફોટો પણ નોટ પર જોવા મળશે.. અત્યાર સુધી રાણીનો ફોટો ચાલતો હતો જે હટશે અને કિંગ ચાર્લ્સ થર્ડનો ફોટો ઉમેરાશે... 

Image

Image

બ્રિટનમાં ચાર્લ્સ- કેમિલાની થઈ તાજપોશી!

બ્રિટનના રાજા ચાર્લ્સ થર્ડે વેસ્ટમિંસ્ટર એબેમાં શપથ લઈ લીધા છે.. તેમની તાજપોશી પણ થઈ ગઈ છે. દુનિયાભરના લોકો કિંગના શપથ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. આર્કબિશપે તમામ ધાર્મિક વિધિઓ પછી કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાને તાજ પહેરાવ્યો હતો. ચાર્લ્સે ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ પર હાથ મૂકીને શપથ લીધા હતા. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાયો હતો. મહેમાનોની વાત કરીએ તો અમેરિકાના ફર્સ્ટ લેડી, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં રાજાની તાજપોશીમાં આવ્યા હતા. આ સમારોહનો ખર્ચ યુનાઈટેડ કિંગડમ સરકાર ઉઠાવતી હોય છે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?