મહાશિવરાત્રી ઉજવવા પાછળ રહેલું છે આ વૈજ્ઞાનિક કારણ! શા માટે આ દિવસે રાખવામાં આવે છે ઉપવાસ જાણો આ લેખમાં


  • Published By :
  • Published Date : 2023-07-19 16:12:04

મહાશિવરાત્રીને હિંદુ ધર્મમાં વિશેષ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે, રાત્રે જાગરણ કરે છે ઉપરાંત આખો દિવસ ભગવાનના ગુણગાન ગાય છે. આપણા શાસ્ત્ર ન માત્ર ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું હોય છે. આપણામાંથી પણ અનેક લોકો ભક્તીભાવ સાથે ઉપવાસ કરે છે પરંતુ તેની પાછળ રહેલા કારણને નહીં જાણતા હોઈએ.     


આપણા તહેવારો ઋતુઓ પર હોય છે આધારિત

જો તમને પૂછવામાં આવે કે મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે તો મોટાભાગના લોકોનો જવાબ હશે કે શિવ અને પાર્વતીનું લગ્ન થયા હતા. અને સામાન્ય લોકો આવું જ વિચારતા હશે. આપણા તહેવારોની પણ વાત કરીએ તો હોળી, દિવાળી, બકરી ઈદ, લોહરી, બધા પાછળ જવાબદાર છે એક ચોક્કસ કારણ, જે ભૌગોલિક હોય છે અથવા ઋતુ આધારિત હોય છે માટે જ તેને વર્ષના એક ચોક્કસ દિવસે જ મનાવામાં આવે છે. 


શા માટે મહાશિવરાત્રીના દિવસે હોય છે ઉંઘવાની મનાઈ?

સામાન્ય રીતે દર મહિને શિવરાત્રી આવતી હોય છે. પરંતુ મહાશિવરાત્રી એક જ હોય છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. શિવરાત્રી એટલે અમાસ પહેલાના દિવસની રાત, આ રાત આખા મહિનાની એવી રાત હોય છે જે મહિનામાં સૌથી અંધારી હોય છે. પણ ખાલી આ વાત જ સાચી નથી.. શિવથી જોડાયેલું બીજુ પણ રહસ્ય છે. મહાશિવરાત્રિના દિવસે સૂવાની મનાઈ કરવામાં આવે છે અને રાતભર લોકોને જગાડવામાં આવે છે અથવા લોકોને કહેવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રે સૂવું ન જોઈએ.. આની પાછળ પણ કારણ રહેલું છે.. 


મહાશિવરાત્રીની રાત્રે યોગની મુદ્દામાં બેસવાથી થાય છે અનેક ફાયદા 

મહાશિવરાત્રિ એટલે એ રાત જ્યારે સૂરજ ધરતીની ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત રેખાની સીધી સામે હોય છે. આપણા પ્રાચિન ગ્રંથોમાં ઋષિમુનીઓએ તેને વિષુવ કહ્યું છે. આ એ રાત હોય છે જ્યારે ધરતી પર દિવસ અને રાત બરાબર હોય છે. આ સમયે એક ખગોળિય ઘટના થાય છે કે ધરતીથી જે મેગનેટિક ફિલ્ડ એટલે કે વિદ્યુત તરંગો ઉત્પન્ન થાય છે તે નીચેથી ઉપર બાજુ જાય છે. જેને આપણે ઊર્જા કહીએ છીએ અને આવી જ ઊર્જા જે જગ્યાઓ પર પહેલા વધારે હતી તે તે જગ્યા પર ભારતમાં મંદિરો બનાવામાં આવ્યા છે. આ જે ઊર્જા પેદા થાય છે તેને વિજ્ઞાનની ભાષામાં અપકેન્દ્રીય બળ અથવા અંગ્રેજીમાં આને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણું શરીર પણ આ ધરતીનો જ ભાગ છે અને ધરતીથી જ આપણે પેદા થયા છે. એટલે એ રાત્રે આપણે આપણા શરીરને સીધું રાખીએ અથવા યોગની મુદ્રામાં બેસીએ અથવા પગ પર ઊભા રહીએ તો તેનાથી ઊર્જા પેદા થાય છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિની રાત્રે લોકોને જાગરણ કરવાનું કહેવામાં આવે છે. 


શિવરાત્રીને ચેતનાની રાત પણ કહેવાય છે 

આવું કરવા પાછળ ઉદ્દેશ્ય હોય છે કે જે લોકોની કરોડરજ્જુ ઉભી છે તેમને પૂરો લાભ થાય, આ પ઼ૃથ્વી પર બધાની કરોડરજ્જુ ઉભી નથી કૂતરા બિલાડા બધાની કરોડરજ્જુ આડી છે. પણ માણસ અને વાંદરા જેવા પ્રાણીની કરોડરજ્જુ સીધી છે. જો કરોડરજ્જુ ત્યારે ઉભી હોય તો ઊર્જાનો પ્રવાહ સીધો મસ્તિસ્ક સુધી થાય છે અને તેના માટે જ શિવરાત્રિને જાગૃતિ અથવા ચેતનાની રાત કહેવામાં આવે છે. વિચાર કરો આપણા ઋષિ મુનીઓને આ વાત સૈકાઓ પહેલા ખબર હતી, આધુનિક વિજ્ઞાનને તો ચુંબકિય ઊર્જા વિશે હમણા ખબર પડી. 


ઋષિમુનીઓએ વિજ્ઞાનને જોડ્યું ધર્મ સાથે 

મહાશિવરાત્રિ ઉજવવા પાછળનો ઋષિ મુનીઓનો ઉદ્દેશ્ય એ હતો કે આપણે તે ઊર્જાને આપણા શરીર અને આપણા જીવનમાં ઉતારીએ... એ ઊર્જા એટલે સકારાત્મક ઊર્જા... પણ લોકો કોઈ વાત એમને એમ ન માને એટલા માટે વિજ્ઞાનની અંદર ધાર્મિક બાબતો ઉમેરી દેવામાં આવી જેથી લોકોની શ્રદ્ધા તેમાં જોડાય અને લોકો ભૌતિક વિજ્ઞાનથી જોડાયેલી પ્રવૃતિ કરવામાં ભાગ લે. અત્યારના સમયમાં જેને બિગ બેંગ કહેવામાં આવે છે તેની શરૂઆત પણ આ જ સમયમાં થઈ હોઈ તેવી લોકોમાં માન્યતા પણ તે સાચુ કેટલું છે ખોટું કેટલું છે અમને નથી ખબર... પુરાણોમાં આને જ અગ્નિલિંગ કહેવામાં આવ્યું છે કે આ સમયમાં અગ્નિલિંગનો ઉદય થયો હતો. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.