મહાશિવરાત્રી ઉજવવા પાછળ રહેલું છે આ વૈજ્ઞાનિક કારણ! શા માટે આ દિવસે રાખવામાં આવે છે ઉપવાસ જાણો આ લેખમાં


  • Published By :
  • Published Date : 2023-07-19 16:12:04

મહાશિવરાત્રીને હિંદુ ધર્મમાં વિશેષ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે, રાત્રે જાગરણ કરે છે ઉપરાંત આખો દિવસ ભગવાનના ગુણગાન ગાય છે. આપણા શાસ્ત્ર ન માત્ર ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું હોય છે. આપણામાંથી પણ અનેક લોકો ભક્તીભાવ સાથે ઉપવાસ કરે છે પરંતુ તેની પાછળ રહેલા કારણને નહીં જાણતા હોઈએ.     


આપણા તહેવારો ઋતુઓ પર હોય છે આધારિત

જો તમને પૂછવામાં આવે કે મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે તો મોટાભાગના લોકોનો જવાબ હશે કે શિવ અને પાર્વતીનું લગ્ન થયા હતા. અને સામાન્ય લોકો આવું જ વિચારતા હશે. આપણા તહેવારોની પણ વાત કરીએ તો હોળી, દિવાળી, બકરી ઈદ, લોહરી, બધા પાછળ જવાબદાર છે એક ચોક્કસ કારણ, જે ભૌગોલિક હોય છે અથવા ઋતુ આધારિત હોય છે માટે જ તેને વર્ષના એક ચોક્કસ દિવસે જ મનાવામાં આવે છે. 


શા માટે મહાશિવરાત્રીના દિવસે હોય છે ઉંઘવાની મનાઈ?

સામાન્ય રીતે દર મહિને શિવરાત્રી આવતી હોય છે. પરંતુ મહાશિવરાત્રી એક જ હોય છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. શિવરાત્રી એટલે અમાસ પહેલાના દિવસની રાત, આ રાત આખા મહિનાની એવી રાત હોય છે જે મહિનામાં સૌથી અંધારી હોય છે. પણ ખાલી આ વાત જ સાચી નથી.. શિવથી જોડાયેલું બીજુ પણ રહસ્ય છે. મહાશિવરાત્રિના દિવસે સૂવાની મનાઈ કરવામાં આવે છે અને રાતભર લોકોને જગાડવામાં આવે છે અથવા લોકોને કહેવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રે સૂવું ન જોઈએ.. આની પાછળ પણ કારણ રહેલું છે.. 


મહાશિવરાત્રીની રાત્રે યોગની મુદ્દામાં બેસવાથી થાય છે અનેક ફાયદા 

મહાશિવરાત્રિ એટલે એ રાત જ્યારે સૂરજ ધરતીની ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત રેખાની સીધી સામે હોય છે. આપણા પ્રાચિન ગ્રંથોમાં ઋષિમુનીઓએ તેને વિષુવ કહ્યું છે. આ એ રાત હોય છે જ્યારે ધરતી પર દિવસ અને રાત બરાબર હોય છે. આ સમયે એક ખગોળિય ઘટના થાય છે કે ધરતીથી જે મેગનેટિક ફિલ્ડ એટલે કે વિદ્યુત તરંગો ઉત્પન્ન થાય છે તે નીચેથી ઉપર બાજુ જાય છે. જેને આપણે ઊર્જા કહીએ છીએ અને આવી જ ઊર્જા જે જગ્યાઓ પર પહેલા વધારે હતી તે તે જગ્યા પર ભારતમાં મંદિરો બનાવામાં આવ્યા છે. આ જે ઊર્જા પેદા થાય છે તેને વિજ્ઞાનની ભાષામાં અપકેન્દ્રીય બળ અથવા અંગ્રેજીમાં આને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણું શરીર પણ આ ધરતીનો જ ભાગ છે અને ધરતીથી જ આપણે પેદા થયા છે. એટલે એ રાત્રે આપણે આપણા શરીરને સીધું રાખીએ અથવા યોગની મુદ્રામાં બેસીએ અથવા પગ પર ઊભા રહીએ તો તેનાથી ઊર્જા પેદા થાય છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિની રાત્રે લોકોને જાગરણ કરવાનું કહેવામાં આવે છે. 


શિવરાત્રીને ચેતનાની રાત પણ કહેવાય છે 

આવું કરવા પાછળ ઉદ્દેશ્ય હોય છે કે જે લોકોની કરોડરજ્જુ ઉભી છે તેમને પૂરો લાભ થાય, આ પ઼ૃથ્વી પર બધાની કરોડરજ્જુ ઉભી નથી કૂતરા બિલાડા બધાની કરોડરજ્જુ આડી છે. પણ માણસ અને વાંદરા જેવા પ્રાણીની કરોડરજ્જુ સીધી છે. જો કરોડરજ્જુ ત્યારે ઉભી હોય તો ઊર્જાનો પ્રવાહ સીધો મસ્તિસ્ક સુધી થાય છે અને તેના માટે જ શિવરાત્રિને જાગૃતિ અથવા ચેતનાની રાત કહેવામાં આવે છે. વિચાર કરો આપણા ઋષિ મુનીઓને આ વાત સૈકાઓ પહેલા ખબર હતી, આધુનિક વિજ્ઞાનને તો ચુંબકિય ઊર્જા વિશે હમણા ખબર પડી. 


ઋષિમુનીઓએ વિજ્ઞાનને જોડ્યું ધર્મ સાથે 

મહાશિવરાત્રિ ઉજવવા પાછળનો ઋષિ મુનીઓનો ઉદ્દેશ્ય એ હતો કે આપણે તે ઊર્જાને આપણા શરીર અને આપણા જીવનમાં ઉતારીએ... એ ઊર્જા એટલે સકારાત્મક ઊર્જા... પણ લોકો કોઈ વાત એમને એમ ન માને એટલા માટે વિજ્ઞાનની અંદર ધાર્મિક બાબતો ઉમેરી દેવામાં આવી જેથી લોકોની શ્રદ્ધા તેમાં જોડાય અને લોકો ભૌતિક વિજ્ઞાનથી જોડાયેલી પ્રવૃતિ કરવામાં ભાગ લે. અત્યારના સમયમાં જેને બિગ બેંગ કહેવામાં આવે છે તેની શરૂઆત પણ આ જ સમયમાં થઈ હોઈ તેવી લોકોમાં માન્યતા પણ તે સાચુ કેટલું છે ખોટું કેટલું છે અમને નથી ખબર... પુરાણોમાં આને જ અગ્નિલિંગ કહેવામાં આવ્યું છે કે આ સમયમાં અગ્નિલિંગનો ઉદય થયો હતો. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી