ભારત દેશમાં આ જ તો થાય છે... શા માટે સીએમની ટ્વિટ પર યુઝરે કરી આવી કમેન્ટ? અમદાવાદમાં સર્જાયેલા અકસ્માત સાથે જોડાયેલી છે ટ્વિટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 11:30:02

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થારનો અકસ્માત થયો. ડમ્પર વાળો તો નીકળી ગયો પણ થાર ત્યાં જ હતી, રાત્રે નીકળતા લોકો અકસ્માત જોવા માટે ત્યાં ઉભા રહ્યા. પોલીસના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ પણ ત્યાં હાજર રહીને સ્ટેટમેન્ટ નોંધી રહ્યા હતા ત્યાં જ અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલના યુવાન દિકરા તથ્ય પટેલની જેગુઆર આવે છે.100થી વધારેની સ્પીડ પર ચાલતી ગાડીએ અનેક લોકોને પોતાની અડફેટે લીધા અને 9 લોકોના મોત થઈ ગયા. 

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને સહાય આપવાની કરી જાહેરાત

ઘટનામાં 9 લોકોના મોત થયા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો અને સહાય આપવાની જાહેરાત કરી છે. ટ્વિટ કરી સીએમે લખ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે. પરંતુ સીએમની ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. મુખ્યત્વે લોકો કહી રહ્યા છે કે શું પૈસા આપવાથી લોકોના જીવ પાછા આવશે? 


સીએમની ટ્વિટ પર લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

જ્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તે બાદ મૃતકોના પરિવારને તેમજ ઈજાગ્રસ્તોને સહાયની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં  આવતી હોય છે. ઉપરાંત અનેક વખત કેન્દ્ર સરકાર દ્વારા પણ ચૂકવવામાં આવતી હોય છે. ત્યારે ઈસ્કોન બ્રિજ પર નબીરાની ગાડીથી દુર્ઘટના સર્જાઈ અને 9 લોકોના મોત થયા. આ ઘટનાને લઈ સવારથી સમાચાર ચાલી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે અને સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ તેમની ટ્વિટ પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


બીજાના ભૂલની સજા નિર્દોષ લોકો કેમ ભોગવે? 

JV નામના વ્યક્તિએ લખ્યું કે સાહેબ, આ એક સારી ચેષ્ટા છે. પરંતુ શું આ રૂપિયા સરકારી તિજોરીમાં થી ભલે અત્યારે તુરંત સહાય માટે આપવામાં આવે પરંતુ આનાથી દસ ગણા રૂપિયા પેલા નબીરા પાસેથી જે એક અબજોપતિ ની ઓલાદ છે એની પાસેથી વસુલવા માટે કોઈ કાર્યવાહી ન થઈ શકે? ભૂલ એની એમાં જનતા એ શા માટે ભોગવવું રહ્યું? વિચાર કરજો. તો કિષ્નાએ લખ્યું કે સાહેબ સહાય આપવાથી માણસ પાછા નહીં આવે તાકાત હોય સરકારની તો દાખલો બેસાડો જેથી અમે આપને આપેલાં વોટની કિમત થાય આપ પાસેથી અપેક્ષા છે અમને. તો સૌરભ પટેલે લખ્યું કે સજા ક્યારે અપાવશે? તો માહિર પટેલ નામના વ્યક્તિએ લખ્યું કે પોલીસ વાળા પૈસા લઈને કેસ દબાવી દેશે. આજ તો થાય છે ભારત દેશમાં. આવા અનેક યુઝર્સ છે જેમણે પોતાની સંવેદના સીએમના ટ્વિટમાં દર્શાવી છે.          











ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે