આ નેતાએ ભાજપના કમલમમાં બેસી AAPને શ્રેષ્ઠ ગણાવી


  • Published By :
  • Published Date : 2022-11-11 18:26:12

ગુજરાત વિધાનસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષોના અલગ અલગ રંગ દેખાઈ રહ્યા છે પક્ષ પલટાની સિઝન ચાલી રહી છે,રાજકોટમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે જેમાં રાજ ભા ઝાલાએ આમ આદમી પાર્ટી છોડીને ફરી કેસરીયો ધારણ કર્યો છે આજે કમલમ્ ગાંધીનગરના ભાજપના મુખ્ય કાર્યાલય પર જઈને તેમણે ભાજપમાં જોડાવાની વિધિ પૂર્ણ કરી છે. જોકે જાણે હજુ પણ મનથી આપને છોડી શક્યા ન હોય તેમ તેમણે ભાજપના કમલમ કાર્યાલય પર બેસીને ભુલથી કહી દીધું કે AAP શ્રેષ્ઠ સંગઠન છે. જોકે બાદમાં પોતાની ભુલ સુધારી લીધી હતી.


રાજભા ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે ભાજપમાં જોડાવવાથી આનંદની લાગણી અનુભવું છું. ભાજપ સાથે પહેલા 18 વર્ષથી સંગઠનમાં કામ કર્યુ છે. રાજકીય પરિબળોના કારણે ભાજપ પાર્ટી છોડી હતી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીના સક્ષમ નેતાઓમાં સ્થાન ધરાવે છે રાજભા ઝાલા તેઓ અત્યારે બીજા ટેકેદારો સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.