મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના જ અગ્રણી નેતાએ મોરચો માંડ્યો, આ ગંભીર આક્ષેપ લગાવ્યો


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-15 19:58:41

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપનો આંતરિક વિખવાદ ફરી એક બહાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે રાજકોટ જિલ્લામાં ભાજપના જ એક જુથે મોરચો માડ્યો છે. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ કુંવરજી બાવળિયા ભાજપના જૂના કાર્યકરોને સાઇડલાઇન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભૂપત કેરાળિયાના નવા આક્ષેપથી રાજકોટ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે.

 


ભૂપત કેરાળિયાએ શું આક્ષેપ કર્યો?


રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ મંત્રી કુંવરજી બાવળિયા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કુંવરજી બાવળિયા પર ભાજપના જૂના કાર્યકરોને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ઉમિયા શૈક્ષણિક સંકુલના સંચાલકો લાઈટ અને પાણીનું બીલ ન ભરતા હોવાથી અધિકારીઓ ઉઘરાણી કરવા જાય ત્યારે ધમકાવતા હોવાની બાવળિયા દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ આજકાલ જસદણ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. 



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.