'ધી કેરાલા સ્ટોરી' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા આ ધારાસભ્યે કરી માગ! આજની કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે આ અંગે નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-05-10 14:59:59

ધી કેરાલા સ્ટોરીને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે તો કોઈ રાજ્યએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મ કરમુક્ત કરવામાં આવે તેવી માગ ઉઠી છે. એક તરફ રાજ્યો ફિલ્મને કરમુક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળની સરકારે અને તમિલનાડુની સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આને કારણે ફિલ્મના પ્રોડ્યુસરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે 12 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ફિલ્મ પ્રોડ્યુસરનું કહેવું છે કે ફિલ્મ પર પ્રતિબંધ હોવાને કારણે તેમને મોટા પાયે નુકસાન થાય છે.


ગુજરાતમાં ફિલ્મને કરમુક્ત કરવાની ઉઠી માગ!

અનેક એવી ફિલ્મો હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ધી કાશ્મીર ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો ત્યારે હવે કેરાલા સ્ટોરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ દ્વારા ફિલ્મનું પ્રમોશન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ધર્મ હમેશાં રાજનેતાઓનો ફેવરિટ મુદ્દો રહેતો હોય છે. ત્યારે આ ફિલ્મમાં પણ જાણે રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી માગ રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળાએ ગુજરાત સરકારને આ ફિલ્મ કરમુક્ત કરવા માટે માગ કરી છે.       


કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાઈ શકે છે નિર્ણય!

ધી કેરાલા સ્ટોરીને લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી છે. ત્યારે અનેક રાજ્યોમાં ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે ફિલ્મને કરમુક્ત કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્યારે આજે આ અંગે નિર્ણય આજે મળનારી કેબિનેટની બેઠકમાં લેવાઈ શકે છે તેવી વાતો સામે આવી છે. આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. 


મહિલાઓ માટે કરાયું આયોજન!

મહત્વનું  છે જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યે ધી કેરાલા સ્ટોરીને લઈ એક જાહેરાત કરી છે. જૂનાગઢમાં આ ફિલ્મ મહિલાઓ અને દીકરીઓને વિના મૂલ્યે બતાવવામાં આવશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય રાજકોટના ધારાસભ્યે ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે. રાજકોટના બે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાવાળાએ આ માગ કરી છે. સુરતમાં એક ચા વાળાએ ફિલ્મને લઈ પ્રોત્સાહિત કરવા ગજબની ઓફર લાવ્યા છે. ફિલ્મની ટિકિટ બતાવવા પર તેમને ચા કોફી મફતમાં આપવામાં આવશે.                



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.