'ધી કેરાલા સ્ટોરી' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા આ ધારાસભ્યે કરી માગ! આજની કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે આ અંગે નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-05-10 14:59:59

ધી કેરાલા સ્ટોરીને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે તો કોઈ રાજ્યએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મ કરમુક્ત કરવામાં આવે તેવી માગ ઉઠી છે. એક તરફ રાજ્યો ફિલ્મને કરમુક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળની સરકારે અને તમિલનાડુની સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આને કારણે ફિલ્મના પ્રોડ્યુસરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે 12 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ફિલ્મ પ્રોડ્યુસરનું કહેવું છે કે ફિલ્મ પર પ્રતિબંધ હોવાને કારણે તેમને મોટા પાયે નુકસાન થાય છે.


ગુજરાતમાં ફિલ્મને કરમુક્ત કરવાની ઉઠી માગ!

અનેક એવી ફિલ્મો હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ધી કાશ્મીર ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો ત્યારે હવે કેરાલા સ્ટોરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ દ્વારા ફિલ્મનું પ્રમોશન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ધર્મ હમેશાં રાજનેતાઓનો ફેવરિટ મુદ્દો રહેતો હોય છે. ત્યારે આ ફિલ્મમાં પણ જાણે રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી માગ રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળાએ ગુજરાત સરકારને આ ફિલ્મ કરમુક્ત કરવા માટે માગ કરી છે.       


કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાઈ શકે છે નિર્ણય!

ધી કેરાલા સ્ટોરીને લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે કરોડોની કમાણી કરી લીધી છે. ત્યારે અનેક રાજ્યોમાં ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે ફિલ્મને કરમુક્ત કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્યારે આજે આ અંગે નિર્ણય આજે મળનારી કેબિનેટની બેઠકમાં લેવાઈ શકે છે તેવી વાતો સામે આવી છે. આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. 


મહિલાઓ માટે કરાયું આયોજન!

મહત્વનું  છે જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યે ધી કેરાલા સ્ટોરીને લઈ એક જાહેરાત કરી છે. જૂનાગઢમાં આ ફિલ્મ મહિલાઓ અને દીકરીઓને વિના મૂલ્યે બતાવવામાં આવશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય રાજકોટના ધારાસભ્યે ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે. રાજકોટના બે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાવાળાએ આ માગ કરી છે. સુરતમાં એક ચા વાળાએ ફિલ્મને લઈ પ્રોત્સાહિત કરવા ગજબની ઓફર લાવ્યા છે. ફિલ્મની ટિકિટ બતાવવા પર તેમને ચા કોફી મફતમાં આપવામાં આવશે.                



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.