Amreliના આ વૃદ્ધા 6 મહિનાથી ન્યાય માટે કરી રહ્યા છે રઝળપાટ, કંટાળીને ઈચ્છા મૃત્યુની કરી માંગ!


  • Published By :
  • Published Date : 2024-01-17 20:19:54

દુનિયાનો છેલ્લો છેડો એટલે ઘર એવું આપણે સાંભળતા આવ્યા છીએ પણ આજે એક એવા વૃદ્ધ બા અમારી પાસે આવ્યા હતા કે જેમને ખબર જ નથી કે હવે કયા જવું અને કયા રહેવું! જમાવટની ઓફિસે 84 વર્ષના વિધવા વૃદ્ધા આવી રડવા લાગ્યા, તો અમે તેમને પૂછ્યું કે શું થયું? તો એ બા એ કહ્યું કે મારુ ઘર કેટલાક લોકોએ તોડી નાખ્યું છે. અને હું છેલ્લા 5-6 મહિનાથી ઘર વગર ફરી રહી છું મારી આગળ પાછળ કોઈ નથી અને મારો દીકરો પણ મને રાખતો નથી. મે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે છતાંય કોઈ સાંભળતું નથી એટલે હું જમાવટની ઓફિસ આવી છું! આ સાંભળી અમને થયું કે આ માજીનું ઘર કોઈએ કેમ તોડી નાખ્યું અને તેમણે કેમ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, એ બાબતે અમે આ વૃદ્ધ બા સાથે વાત કરી. 

આ માજીનું નામ છે નયનાબેન કાંતિલાલ જોશી, કે જે અમરેલી જિલ્લાના ધરાઇ ગામે આવેલ બાલમુકુન્દજીની હવેલી નજીક તેમનું 100 વર્ષ જૂનું મકાન હતું જ્યાં રહેતા હતા. જે મકાન તેમના માલિકીનું હતું છતાંય ટ્રસ્ટના કેટલા માણસો દ્વારા એમના મકાનને તોડી નાખી સામાન જપ્ત કરી લીધું છે તેવું નયના બેનનું કહેવું છે. જે મકાન તૂટયું છે એ મકાન અંદાજે 100 વર્ષ પહેલા તેમના સસરાના જીવનકાળમાં બન્યું હતું. પણ પછી એ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં તેમના જ સબંધીઓની મરજીથી લેવામાં આવ્યું હતું. પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટના કારણે તેમનું મકાન તોડી નાખવામાં આવશે. અત્યારે આ માજી ઘર વગર નિરાધાર થઈ ગયા છે અને તેમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. 


આ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં લેવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના માણસો પણ નયના બેનના સગા સબંધીઓ અને સમાજના હતા જે વિશ્વાસથી નયના બેન એ વખતે કઈ બોલ્યા નહીં પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટમાં બીજા માણસો પણ આવશે અને તેમનું મકાન તોડી નાખશે. નયના બેન જ્યારે ઘરે હાજર નહોતા એ વખતે ટ્રસ્ટના લોકોએ પોલીસને સાથે રાખી તેમનું મકાન પાડી દીધું હતું. અને ઘરનું સામાન પણ પાછો નથી આપ્યો તેવું નયના બેન જણાવી રહ્યા છે. 


નયના બેનનું મકાન પાડી દેવામાં આવ્યું તેના પહેલા કોઈ નોટિસ પણ નહોતી આપવામાં આવી. જેની ફરિયાદ લઈને તેઓ છેલ્લા 5-6 મહિનાથી ફરી રહ્યા છે પણ સાંભળવા વાળું કોઈ નથી. તેમની ફરિયાદ પોલીસ દ્વારા પણ નથી લેવામાં આવી રહી. જેના કારણે તેઓ મંત્રીઓને, પત્રકારોને, પોલીસના અધિકારીઓને મળી મળી ને થાક્યા અને પછી એમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. નયના બેને પત્ર લખી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે. 


આ 84 વર્ષના વૃદ્ધ બા અત્યારે જ્યાં ત્યાં રહીને પોતાનો સમય વિતાવી રહ્યા છે. કારણ કે તેમના પતિ અને બીજા દીકરા આ દુનિયામાં હયાત નથી. એક મોટો દીકરો અમદાવાદ શહેરમાં રહે છે પણ 'માં ને નથી રાખતો' તેવું નયના બેનનું કહેવું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.