Amreliના આ વૃદ્ધા 6 મહિનાથી ન્યાય માટે કરી રહ્યા છે રઝળપાટ, કંટાળીને ઈચ્છા મૃત્યુની કરી માંગ!


  • Published By :
  • Published Date : 2024-01-17 20:19:54

દુનિયાનો છેલ્લો છેડો એટલે ઘર એવું આપણે સાંભળતા આવ્યા છીએ પણ આજે એક એવા વૃદ્ધ બા અમારી પાસે આવ્યા હતા કે જેમને ખબર જ નથી કે હવે કયા જવું અને કયા રહેવું! જમાવટની ઓફિસે 84 વર્ષના વિધવા વૃદ્ધા આવી રડવા લાગ્યા, તો અમે તેમને પૂછ્યું કે શું થયું? તો એ બા એ કહ્યું કે મારુ ઘર કેટલાક લોકોએ તોડી નાખ્યું છે. અને હું છેલ્લા 5-6 મહિનાથી ઘર વગર ફરી રહી છું મારી આગળ પાછળ કોઈ નથી અને મારો દીકરો પણ મને રાખતો નથી. મે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે છતાંય કોઈ સાંભળતું નથી એટલે હું જમાવટની ઓફિસ આવી છું! આ સાંભળી અમને થયું કે આ માજીનું ઘર કોઈએ કેમ તોડી નાખ્યું અને તેમણે કેમ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, એ બાબતે અમે આ વૃદ્ધ બા સાથે વાત કરી. 

આ માજીનું નામ છે નયનાબેન કાંતિલાલ જોશી, કે જે અમરેલી જિલ્લાના ધરાઇ ગામે આવેલ બાલમુકુન્દજીની હવેલી નજીક તેમનું 100 વર્ષ જૂનું મકાન હતું જ્યાં રહેતા હતા. જે મકાન તેમના માલિકીનું હતું છતાંય ટ્રસ્ટના કેટલા માણસો દ્વારા એમના મકાનને તોડી નાખી સામાન જપ્ત કરી લીધું છે તેવું નયના બેનનું કહેવું છે. જે મકાન તૂટયું છે એ મકાન અંદાજે 100 વર્ષ પહેલા તેમના સસરાના જીવનકાળમાં બન્યું હતું. પણ પછી એ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં તેમના જ સબંધીઓની મરજીથી લેવામાં આવ્યું હતું. પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટના કારણે તેમનું મકાન તોડી નાખવામાં આવશે. અત્યારે આ માજી ઘર વગર નિરાધાર થઈ ગયા છે અને તેમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. 


આ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં લેવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના માણસો પણ નયના બેનના સગા સબંધીઓ અને સમાજના હતા જે વિશ્વાસથી નયના બેન એ વખતે કઈ બોલ્યા નહીં પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટમાં બીજા માણસો પણ આવશે અને તેમનું મકાન તોડી નાખશે. નયના બેન જ્યારે ઘરે હાજર નહોતા એ વખતે ટ્રસ્ટના લોકોએ પોલીસને સાથે રાખી તેમનું મકાન પાડી દીધું હતું. અને ઘરનું સામાન પણ પાછો નથી આપ્યો તેવું નયના બેન જણાવી રહ્યા છે. 


નયના બેનનું મકાન પાડી દેવામાં આવ્યું તેના પહેલા કોઈ નોટિસ પણ નહોતી આપવામાં આવી. જેની ફરિયાદ લઈને તેઓ છેલ્લા 5-6 મહિનાથી ફરી રહ્યા છે પણ સાંભળવા વાળું કોઈ નથી. તેમની ફરિયાદ પોલીસ દ્વારા પણ નથી લેવામાં આવી રહી. જેના કારણે તેઓ મંત્રીઓને, પત્રકારોને, પોલીસના અધિકારીઓને મળી મળી ને થાક્યા અને પછી એમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. નયના બેને પત્ર લખી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે. 


આ 84 વર્ષના વૃદ્ધ બા અત્યારે જ્યાં ત્યાં રહીને પોતાનો સમય વિતાવી રહ્યા છે. કારણ કે તેમના પતિ અને બીજા દીકરા આ દુનિયામાં હયાત નથી. એક મોટો દીકરો અમદાવાદ શહેરમાં રહે છે પણ 'માં ને નથી રાખતો' તેવું નયના બેનનું કહેવું છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી