Amreliના આ વૃદ્ધા 6 મહિનાથી ન્યાય માટે કરી રહ્યા છે રઝળપાટ, કંટાળીને ઈચ્છા મૃત્યુની કરી માંગ!


  • Published By :
  • Published Date : 2024-01-17 20:19:54

દુનિયાનો છેલ્લો છેડો એટલે ઘર એવું આપણે સાંભળતા આવ્યા છીએ પણ આજે એક એવા વૃદ્ધ બા અમારી પાસે આવ્યા હતા કે જેમને ખબર જ નથી કે હવે કયા જવું અને કયા રહેવું! જમાવટની ઓફિસે 84 વર્ષના વિધવા વૃદ્ધા આવી રડવા લાગ્યા, તો અમે તેમને પૂછ્યું કે શું થયું? તો એ બા એ કહ્યું કે મારુ ઘર કેટલાક લોકોએ તોડી નાખ્યું છે. અને હું છેલ્લા 5-6 મહિનાથી ઘર વગર ફરી રહી છું મારી આગળ પાછળ કોઈ નથી અને મારો દીકરો પણ મને રાખતો નથી. મે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે છતાંય કોઈ સાંભળતું નથી એટલે હું જમાવટની ઓફિસ આવી છું! આ સાંભળી અમને થયું કે આ માજીનું ઘર કોઈએ કેમ તોડી નાખ્યું અને તેમણે કેમ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, એ બાબતે અમે આ વૃદ્ધ બા સાથે વાત કરી. 

આ માજીનું નામ છે નયનાબેન કાંતિલાલ જોશી, કે જે અમરેલી જિલ્લાના ધરાઇ ગામે આવેલ બાલમુકુન્દજીની હવેલી નજીક તેમનું 100 વર્ષ જૂનું મકાન હતું જ્યાં રહેતા હતા. જે મકાન તેમના માલિકીનું હતું છતાંય ટ્રસ્ટના કેટલા માણસો દ્વારા એમના મકાનને તોડી નાખી સામાન જપ્ત કરી લીધું છે તેવું નયના બેનનું કહેવું છે. જે મકાન તૂટયું છે એ મકાન અંદાજે 100 વર્ષ પહેલા તેમના સસરાના જીવનકાળમાં બન્યું હતું. પણ પછી એ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં તેમના જ સબંધીઓની મરજીથી લેવામાં આવ્યું હતું. પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટના કારણે તેમનું મકાન તોડી નાખવામાં આવશે. અત્યારે આ માજી ઘર વગર નિરાધાર થઈ ગયા છે અને તેમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. 


આ મકાનને બાલમુકુન્દજી હવેલી ટ્રસ્ટમાં લેવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના માણસો પણ નયના બેનના સગા સબંધીઓ અને સમાજના હતા જે વિશ્વાસથી નયના બેન એ વખતે કઈ બોલ્યા નહીં પણ એમને એ નહોતી ખબર કે ટ્રસ્ટમાં બીજા માણસો પણ આવશે અને તેમનું મકાન તોડી નાખશે. નયના બેન જ્યારે ઘરે હાજર નહોતા એ વખતે ટ્રસ્ટના લોકોએ પોલીસને સાથે રાખી તેમનું મકાન પાડી દીધું હતું. અને ઘરનું સામાન પણ પાછો નથી આપ્યો તેવું નયના બેન જણાવી રહ્યા છે. 


નયના બેનનું મકાન પાડી દેવામાં આવ્યું તેના પહેલા કોઈ નોટિસ પણ નહોતી આપવામાં આવી. જેની ફરિયાદ લઈને તેઓ છેલ્લા 5-6 મહિનાથી ફરી રહ્યા છે પણ સાંભળવા વાળું કોઈ નથી. તેમની ફરિયાદ પોલીસ દ્વારા પણ નથી લેવામાં આવી રહી. જેના કારણે તેઓ મંત્રીઓને, પત્રકારોને, પોલીસના અધિકારીઓને મળી મળી ને થાક્યા અને પછી એમણે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. નયના બેને પત્ર લખી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે. 


આ 84 વર્ષના વૃદ્ધ બા અત્યારે જ્યાં ત્યાં રહીને પોતાનો સમય વિતાવી રહ્યા છે. કારણ કે તેમના પતિ અને બીજા દીકરા આ દુનિયામાં હયાત નથી. એક મોટો દીકરો અમદાવાદ શહેરમાં રહે છે પણ 'માં ને નથી રાખતો' તેવું નયના બેનનું કહેવું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .