સુરત પોલીસની આ કામગીરીએ જીતી લીધું લોકોનું દિલ! માતા-પિતાવિહોણી બાળકીના ચહેરા પર સ્મિત લાવવા કરાયો પ્રયાસ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-06 12:12:17

કહેવાય છે દરેક સ્ત્રીમાં મમતા રહેલી હોય છે. આ વાતને સુરત પોલીસે સાચી પાડી છે. ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા પોલીસનો મમતા ભર્યો ચહેરો જોવા મળ્યો છે. આધાર વિનાની દીકરીનો આધાર સુરત પોલીસ બની છે. દીકરીની માતાનું નિધન કોરોનાના સમય દરમિયાન થઈ ગયું હતું. ત્યારે તેના પિતાએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા પિતાની છત્રછાયા દીકરીએ નાની ઉંમરે ગુમાવી દીધી ત્યારે હવે પોલીસ દીકરીને વ્હારે આવી છે. નોધારી બનેલી દીકરીની સાર સંભાળ સી ટીમ લઈ રહી છે. બાળકીને માતા પિતાની ગેરહાજરીનો અહેસાસ ન થાય તે માટે પોલીસ દ્વારા હૂંફ આપવામાં આવી રહી છે.

  

પિતાએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! 

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ઝાડથી લટકેલા વ્યક્તિની લાશ મળી આવી હતી. પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આવેલા ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ઝાડની પાસે નાની બાળકી ઉભી હતી, જે સતત રડી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી.


કોરોનામાં નેન્સીના માતાનું થયું મૃત્યુ!

બાળકી અંગેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી અને પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ અને બાળકી કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન બાળકીનું નામ નેન્સી હોવાનું સામે આવ્યું અને જે વ્યક્તિએ ગળે ફાંસો ખાધો હતો તે તેના પિતા હતા. નેન્સી અંગે વધારે જાણકારી મેળવવાનો પોલીસે પ્રયાસ કર્યો ત્યારે જાણ થઈ કે તેની માતાનું મૃત્યુ કોરોના સમય દરમિયાન થઈ ગયું હતું. 


પિતાએ પણ આત્મહત્યા કરી લેતા દીકરી નોધારી બની!

આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણ થઈ કે મૃતક ભાવનગરના વતની હતા અને શનિવારે વતનથી પરત ફર્યા બાદ તે બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયા હતા. રાત્રે જ્યારે દીકરી સૂઈ ગઈ ત્યારે પિતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. નેન્સીએ માતાને કોરોનામાં ગુમાવી જ્યારે પિતાએ આત્મહત્યા કરી લીધી. આ બધી વાતો સાંભળી પોલીસ તેમજ ત્યાં હાજર લોકો ઈમોશનલ થઈ ગયા હતા. માતા પિતાનું છત્ર બાળકીએ ગુમાવી દેતા બાળકી એકદમ નોધારી થઈ ગઈ છે. પિતા પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું પરંતુ જ્યારે આધાર કાર્ડ વાળી જગ્યાએ તપાસ કરી ત્યારે ત્યાં કોઈ ન હતું. ત્યારે બાળકી વિશે કોઈ જાણતું હોય તો પોલીસને જાણ કરી એવી વિનંતી કરવામાં આવી છે.     


બાળકીની સંભાળ કરી પોલીસે માનવતા મહેંકાવી!

ત્યારે હાલ નેન્સીની સંભાળ હાલ શી ટીમ રાખી રહી છે. બાળકીને પરિવારની કમી મહેસૂસ ન થાય તેવી રીતે નેન્સીની દેખભાળ સી ટીમ દ્વારા રાખવામાં આવી રહી છે. દીકરીના કોઈ પરિજન નહીં મળે તો આગળ શું કરવું તે અંગે હાલ વિચારણા ચાલી રહી છે. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું છે. પોલીસ નિરાધારનો આધાર બની દીકરીની સંભાળ રાખી રહી છે. લોકો પોલીસ દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.