સુરત પોલીસની આ કામગીરીએ જીતી લીધું લોકોનું દિલ! માતા-પિતાવિહોણી બાળકીના ચહેરા પર સ્મિત લાવવા કરાયો પ્રયાસ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-06 12:12:17

કહેવાય છે દરેક સ્ત્રીમાં મમતા રહેલી હોય છે. આ વાતને સુરત પોલીસે સાચી પાડી છે. ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા પોલીસનો મમતા ભર્યો ચહેરો જોવા મળ્યો છે. આધાર વિનાની દીકરીનો આધાર સુરત પોલીસ બની છે. દીકરીની માતાનું નિધન કોરોનાના સમય દરમિયાન થઈ ગયું હતું. ત્યારે તેના પિતાએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા પિતાની છત્રછાયા દીકરીએ નાની ઉંમરે ગુમાવી દીધી ત્યારે હવે પોલીસ દીકરીને વ્હારે આવી છે. નોધારી બનેલી દીકરીની સાર સંભાળ સી ટીમ લઈ રહી છે. બાળકીને માતા પિતાની ગેરહાજરીનો અહેસાસ ન થાય તે માટે પોલીસ દ્વારા હૂંફ આપવામાં આવી રહી છે.

  

પિતાએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! 

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ઝાડથી લટકેલા વ્યક્તિની લાશ મળી આવી હતી. પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આવેલા ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ઝાડની પાસે નાની બાળકી ઉભી હતી, જે સતત રડી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી.


કોરોનામાં નેન્સીના માતાનું થયું મૃત્યુ!

બાળકી અંગેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી અને પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ અને બાળકી કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન બાળકીનું નામ નેન્સી હોવાનું સામે આવ્યું અને જે વ્યક્તિએ ગળે ફાંસો ખાધો હતો તે તેના પિતા હતા. નેન્સી અંગે વધારે જાણકારી મેળવવાનો પોલીસે પ્રયાસ કર્યો ત્યારે જાણ થઈ કે તેની માતાનું મૃત્યુ કોરોના સમય દરમિયાન થઈ ગયું હતું. 


પિતાએ પણ આત્મહત્યા કરી લેતા દીકરી નોધારી બની!

આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણ થઈ કે મૃતક ભાવનગરના વતની હતા અને શનિવારે વતનથી પરત ફર્યા બાદ તે બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયા હતા. રાત્રે જ્યારે દીકરી સૂઈ ગઈ ત્યારે પિતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. નેન્સીએ માતાને કોરોનામાં ગુમાવી જ્યારે પિતાએ આત્મહત્યા કરી લીધી. આ બધી વાતો સાંભળી પોલીસ તેમજ ત્યાં હાજર લોકો ઈમોશનલ થઈ ગયા હતા. માતા પિતાનું છત્ર બાળકીએ ગુમાવી દેતા બાળકી એકદમ નોધારી થઈ ગઈ છે. પિતા પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું પરંતુ જ્યારે આધાર કાર્ડ વાળી જગ્યાએ તપાસ કરી ત્યારે ત્યાં કોઈ ન હતું. ત્યારે બાળકી વિશે કોઈ જાણતું હોય તો પોલીસને જાણ કરી એવી વિનંતી કરવામાં આવી છે.     


બાળકીની સંભાળ કરી પોલીસે માનવતા મહેંકાવી!

ત્યારે હાલ નેન્સીની સંભાળ હાલ શી ટીમ રાખી રહી છે. બાળકીને પરિવારની કમી મહેસૂસ ન થાય તેવી રીતે નેન્સીની દેખભાળ સી ટીમ દ્વારા રાખવામાં આવી રહી છે. દીકરીના કોઈ પરિજન નહીં મળે તો આગળ શું કરવું તે અંગે હાલ વિચારણા ચાલી રહી છે. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું છે. પોલીસ નિરાધારનો આધાર બની દીકરીની સંભાળ રાખી રહી છે. લોકો પોલીસ દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.