સુરત પોલીસની આ કામગીરીએ જીતી લીધું લોકોનું દિલ! માતા-પિતાવિહોણી બાળકીના ચહેરા પર સ્મિત લાવવા કરાયો પ્રયાસ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-06 12:12:17

કહેવાય છે દરેક સ્ત્રીમાં મમતા રહેલી હોય છે. આ વાતને સુરત પોલીસે સાચી પાડી છે. ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા પોલીસનો મમતા ભર્યો ચહેરો જોવા મળ્યો છે. આધાર વિનાની દીકરીનો આધાર સુરત પોલીસ બની છે. દીકરીની માતાનું નિધન કોરોનાના સમય દરમિયાન થઈ ગયું હતું. ત્યારે તેના પિતાએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા પિતાની છત્રછાયા દીકરીએ નાની ઉંમરે ગુમાવી દીધી ત્યારે હવે પોલીસ દીકરીને વ્હારે આવી છે. નોધારી બનેલી દીકરીની સાર સંભાળ સી ટીમ લઈ રહી છે. બાળકીને માતા પિતાની ગેરહાજરીનો અહેસાસ ન થાય તે માટે પોલીસ દ્વારા હૂંફ આપવામાં આવી રહી છે.

  

પિતાએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! 

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ઝાડથી લટકેલા વ્યક્તિની લાશ મળી આવી હતી. પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આવેલા ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ઝાડની પાસે નાની બાળકી ઉભી હતી, જે સતત રડી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી.


કોરોનામાં નેન્સીના માતાનું થયું મૃત્યુ!

બાળકી અંગેની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી અને પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ અને બાળકી કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન બાળકીનું નામ નેન્સી હોવાનું સામે આવ્યું અને જે વ્યક્તિએ ગળે ફાંસો ખાધો હતો તે તેના પિતા હતા. નેન્સી અંગે વધારે જાણકારી મેળવવાનો પોલીસે પ્રયાસ કર્યો ત્યારે જાણ થઈ કે તેની માતાનું મૃત્યુ કોરોના સમય દરમિયાન થઈ ગયું હતું. 


પિતાએ પણ આત્મહત્યા કરી લેતા દીકરી નોધારી બની!

આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણ થઈ કે મૃતક ભાવનગરના વતની હતા અને શનિવારે વતનથી પરત ફર્યા બાદ તે બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયા હતા. રાત્રે જ્યારે દીકરી સૂઈ ગઈ ત્યારે પિતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. નેન્સીએ માતાને કોરોનામાં ગુમાવી જ્યારે પિતાએ આત્મહત્યા કરી લીધી. આ બધી વાતો સાંભળી પોલીસ તેમજ ત્યાં હાજર લોકો ઈમોશનલ થઈ ગયા હતા. માતા પિતાનું છત્ર બાળકીએ ગુમાવી દેતા બાળકી એકદમ નોધારી થઈ ગઈ છે. પિતા પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું પરંતુ જ્યારે આધાર કાર્ડ વાળી જગ્યાએ તપાસ કરી ત્યારે ત્યાં કોઈ ન હતું. ત્યારે બાળકી વિશે કોઈ જાણતું હોય તો પોલીસને જાણ કરી એવી વિનંતી કરવામાં આવી છે.     


બાળકીની સંભાળ કરી પોલીસે માનવતા મહેંકાવી!

ત્યારે હાલ નેન્સીની સંભાળ હાલ શી ટીમ રાખી રહી છે. બાળકીને પરિવારની કમી મહેસૂસ ન થાય તેવી રીતે નેન્સીની દેખભાળ સી ટીમ દ્વારા રાખવામાં આવી રહી છે. દીકરીના કોઈ પરિજન નહીં મળે તો આગળ શું કરવું તે અંગે હાલ વિચારણા ચાલી રહી છે. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું છે. પોલીસ નિરાધારનો આધાર બની દીકરીની સંભાળ રાખી રહી છે. લોકો પોલીસ દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.