Banaskanthaની આ શાળામાં કોઈ જ પ્રાથમિક સુવિધા નથી, ઓરડા છે પણ બેસી નથી શકાતું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-08-14 16:11:33

કોઈ પણ દેશની પ્રગતિમાં સૌથી મોટો રોલ હોય તો તે શિક્ષણનો હોય છે, પશ્ચિમના દેશો તેનું ઉત્તમ ઉદાહરણ છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં શિક્ષણ ભારત જેટલું મોંઘુ નથી, નતો ત્યાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું. આવા દેશમાં શિક્ષણની ઉત્તમ સુવિધા લોકોને મળે છે, પણ આપણા દેશ અને ખાસ આપણા ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સાવ ડામાડોળ છે, વિદ્યાર્થીઓ છે તો શાળા નથી, શાળા છે તો ઓરડા નથી, ભૂલકા છે તો ભણાવનારા નથી. આવી જ એક શાળાની હકિકત બનાસકાંઠાથી સામે આવી છે. 

શાળામાં જે સુવિધા હોવી જોઈએ તેવી એક પણ સુવિધા નથી..!

ગુજરાતની એક એવી શાળા, જ્યાં છત પર પતરાં નથી, ભૂલકાના ભવિષ્યના ઘડતર માટે જે જોઈએ તે એકપણ સુવિધા નથી...છતાં પણ ભૂલકા ભણી રહ્યા છે પણ ખુલ્લા આકાશ નીચે. કરે તો શું કરે?, કારણ કે સરકાર સાંભળતી નથી, તંત્ર જવાબ આપતું નથી. પ્રાથમિક સુવિધાઓ પણ ઝંખતી આ શાળા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંબેથા પ્રાથમિક શાળા....જિલ્લાના વડુ મથક પાલનપુરથી નજીકના અંતરમાં આવેલી આ શાળામાં આમ તો 6 ઓરડા છે, પણ આ છમાંથી 5 એટલા જર્જરિત અને ખંડેર થઈ ગયા છે કે તેમાં બેસવું એટલે મોતને સામે ચાલીને આમંત્રણ આપવું...તેથી જ વિદ્યાર્થીઓ ખુલ્લા આભ નીચે શિક્ષણ મેળવી કંઈ કરી છૂટવાની ખેવના દર્શાવી રહ્યા છે. 



યોજનાઓ માત્ર કાગળ સુધી સીમીત રહી જાય છે.. 

સરકાર મોટી મોટી યોજનાઓ બનાવે છે, પણ આ યોજનાઓ ગામડા સુધી પહોંચતી જ નથી. સરકાર જાતભાતના કાર્યક્રમોમાં જેટલો ખર્ચ કરે છે તેટલો ખર્ચ જો જર્જરિત શાળાઓના સમારકામ પાછળ કરે તો બધી જ શાળાઓ નવી થઈ જાય...પણ કરે કોણ?, આંબેથા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી 8ના 180 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ઓરડા જર્જરિત થઈ ગયા હોવાથી તેને તાળા મરાયા છે, એક ઓરડામાં 180 વિદ્યાર્થીને સમાઈ ન શકાય તે માટે બે પાળીમાં સ્કૂલ ચલાવી પડી રહી છે. છેલ્લા 3 વર્ષથી આવી સ્થિતિ છે, અનેકવાર રજૂઆતો કરાઈ પણ પરિણામ શૂન્ય જ મળી રહ્યું છે.



જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે..

તો આવી ખંડેર બની ગયેલી શાળાઓનું સમારકામ ક્યારે કરાશે તેનો જવાબ જ્યારે તંત્ર પાસેથી જાણીએ તો તેમનો એજ જૂન અને જાણિતો જવાબ હોય છે કે, કામ જલદી પૂર્ણ કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું આંબેથા ગામની શાળા પર કહેવું છે કે ઓરડા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, ત્વરિત કામ પૂર્ણ કરવામાં આવશે. વચન અને વાયદા તો તંત્રની ગડથૂથીમાં હોય છે, પણ વચનો પરિપૂર્ણ ક્યારે થાય તે મોટો સવાલ હોય છે. અહીં પણ આવું જ છે, અધિકારીએ જલદી કામ પૂર્ણ કરવાનો વાયદો તો કરી દીધો છે. પણ ખરેખર કામ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.