Ganesh Jadejaની આ મુસ્કાન System પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે! ધરપકડ બાદ પણ કોઈ શરમ નહીં, હસતો જોવા મળ્યો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-07 11:13:17

ગણેશ જાડેજાની ધરપકડ પરમ દિવસે મોડી રાત્રે કરી લેવામાં આવી.. ગણેશ જાડેડા સહિત 8 આરોપીની રિમાન્ડ નામંજૂર કરવામાં આવી છે. રિમાન્ડ નામંજૂર થઈ છે સાથે સાથે એવી માહિતી પણ સામે આવી છે કે ગણેશ જાડેજા અને તેના સાથીઓને જેલ હવાલે કરી દેવાયા છે.. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજા સિવાય તમામના ચહેરાઓ પર કાળા કલરનું માસ્ક પહેરાવવામાં આવ્યું છે.. ગણેશ જાડેજાને કાળા કલરનું માસ્ક પહેરાવવામાં નથી આવ્યું.. ગણેશ જાડેજાની નફ્ટાઈ ખુલ્લીને જાણે સામે આવતી હોય તેવું લાગે છે..! અફસોસ તો તેના ચહેરા પર દેખાતો નથી પરંતુ તે હસી રહ્યો છે... 

ગણેશ જાડેજાને નથી કોઈ શરમ નથી કોઈ અફસોસ 

છેલ્લા થોડા સમયથી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ચર્ચામાં છે.. જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગણેશ જાડેજાએ માર માર્યો તેવી એક ફરિયાદ થઈ. ત્યારે તે અને તેના સાથી ફરાર થઈ ગયા. એક દિવસ પહેલા જ તેની ધરપકડ કરાઈ. ગઈકાલે તેને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લઈ જવામાં આવ્યો અને ત્યાંથી જે વીડિયો સામે આવ્યો જેમાં સાફ દેખાય છે કે ગણેશ જાડેજાને ના શરમ છે કે ના અફસોસ છે.. પોલીસની ધરપકડ બાદ પણ તેના ચહેરા પર પસ્તાવો હોવાને બદલે તે હસી રહ્યો છે જેલમાં જાય છે ત્યારે પણ એ ખી ખી કરીને હસી રહ્યો છે..  



સિસ્ટમને ચેલેન્જ કરે છે આ મુસ્કાન!

ગણેશ જાડેજા જે પ્રમાણે હસી રહ્યો છે તે જાણે સિસ્ટમ પર હસી રહ્યો હોય તેવું લાગે છે. કદાચ એને એવું હશે કે, એ માનતો હશે કે તે મોટા બાપના ઓલાદ છે એટલે થોડા દિવસોની અંદર છૂટી જશે.. ગણેશ જાડેજાની આ મુસ્કાન એ આપણી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ખુબ મોટો પ્રશ્નાર્થ ચિહન ઉભું કરે છે. તેની આ મુસ્કાન સરકારને ચેલેન્જ કરે છે કે તમારે જે કરવું હોય તે કરી લો. જૂનાગઢ ડીવાયએસપી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


મોટી બાપની ઓલાદને કદાચ લાગતું હશે કે....

મહત્વનું છે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે અમીર બાપની ઓલાદ પકડાય છે ત્યારે તેના ચહેરા પર ના તો અફસોસ હોય છે ના તો પસ્તાવો હોય છે.. તેમને લાગતું હોય છે કે સિસ્ટમ તેમના બાપની છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે કે અમને કમેન્ટમાં જણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.