Ganesh Jadejaની આ મુસ્કાન System પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે! ધરપકડ બાદ પણ કોઈ શરમ નહીં, હસતો જોવા મળ્યો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-07 11:13:17

ગણેશ જાડેજાની ધરપકડ પરમ દિવસે મોડી રાત્રે કરી લેવામાં આવી.. ગણેશ જાડેડા સહિત 8 આરોપીની રિમાન્ડ નામંજૂર કરવામાં આવી છે. રિમાન્ડ નામંજૂર થઈ છે સાથે સાથે એવી માહિતી પણ સામે આવી છે કે ગણેશ જાડેજા અને તેના સાથીઓને જેલ હવાલે કરી દેવાયા છે.. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજા સિવાય તમામના ચહેરાઓ પર કાળા કલરનું માસ્ક પહેરાવવામાં આવ્યું છે.. ગણેશ જાડેજાને કાળા કલરનું માસ્ક પહેરાવવામાં નથી આવ્યું.. ગણેશ જાડેજાની નફ્ટાઈ ખુલ્લીને જાણે સામે આવતી હોય તેવું લાગે છે..! અફસોસ તો તેના ચહેરા પર દેખાતો નથી પરંતુ તે હસી રહ્યો છે... 

ગણેશ જાડેજાને નથી કોઈ શરમ નથી કોઈ અફસોસ 

છેલ્લા થોડા સમયથી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ચર્ચામાં છે.. જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગણેશ જાડેજાએ માર માર્યો તેવી એક ફરિયાદ થઈ. ત્યારે તે અને તેના સાથી ફરાર થઈ ગયા. એક દિવસ પહેલા જ તેની ધરપકડ કરાઈ. ગઈકાલે તેને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લઈ જવામાં આવ્યો અને ત્યાંથી જે વીડિયો સામે આવ્યો જેમાં સાફ દેખાય છે કે ગણેશ જાડેજાને ના શરમ છે કે ના અફસોસ છે.. પોલીસની ધરપકડ બાદ પણ તેના ચહેરા પર પસ્તાવો હોવાને બદલે તે હસી રહ્યો છે જેલમાં જાય છે ત્યારે પણ એ ખી ખી કરીને હસી રહ્યો છે..  



સિસ્ટમને ચેલેન્જ કરે છે આ મુસ્કાન!

ગણેશ જાડેજા જે પ્રમાણે હસી રહ્યો છે તે જાણે સિસ્ટમ પર હસી રહ્યો હોય તેવું લાગે છે. કદાચ એને એવું હશે કે, એ માનતો હશે કે તે મોટા બાપના ઓલાદ છે એટલે થોડા દિવસોની અંદર છૂટી જશે.. ગણેશ જાડેજાની આ મુસ્કાન એ આપણી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ખુબ મોટો પ્રશ્નાર્થ ચિહન ઉભું કરે છે. તેની આ મુસ્કાન સરકારને ચેલેન્જ કરે છે કે તમારે જે કરવું હોય તે કરી લો. જૂનાગઢ ડીવાયએસપી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


મોટી બાપની ઓલાદને કદાચ લાગતું હશે કે....

મહત્વનું છે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે અમીર બાપની ઓલાદ પકડાય છે ત્યારે તેના ચહેરા પર ના તો અફસોસ હોય છે ના તો પસ્તાવો હોય છે.. તેમને લાગતું હોય છે કે સિસ્ટમ તેમના બાપની છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે કે અમને કમેન્ટમાં જણાવજો.. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.