Ganesh Jadejaની આ મુસ્કાન System પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે! ધરપકડ બાદ પણ કોઈ શરમ નહીં, હસતો જોવા મળ્યો! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 11:13:17

ગણેશ જાડેજાની ધરપકડ પરમ દિવસે મોડી રાત્રે કરી લેવામાં આવી.. ગણેશ જાડેડા સહિત 8 આરોપીની રિમાન્ડ નામંજૂર કરવામાં આવી છે. રિમાન્ડ નામંજૂર થઈ છે સાથે સાથે એવી માહિતી પણ સામે આવી છે કે ગણેશ જાડેજા અને તેના સાથીઓને જેલ હવાલે કરી દેવાયા છે.. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજા સિવાય તમામના ચહેરાઓ પર કાળા કલરનું માસ્ક પહેરાવવામાં આવ્યું છે.. ગણેશ જાડેજાને કાળા કલરનું માસ્ક પહેરાવવામાં નથી આવ્યું.. ગણેશ જાડેજાની નફ્ટાઈ ખુલ્લીને જાણે સામે આવતી હોય તેવું લાગે છે..! અફસોસ તો તેના ચહેરા પર દેખાતો નથી પરંતુ તે હસી રહ્યો છે... 

ગણેશ જાડેજાને નથી કોઈ શરમ નથી કોઈ અફસોસ 

છેલ્લા થોડા સમયથી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ચર્ચામાં છે.. જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગણેશ જાડેજાએ માર માર્યો તેવી એક ફરિયાદ થઈ. ત્યારે તે અને તેના સાથી ફરાર થઈ ગયા. એક દિવસ પહેલા જ તેની ધરપકડ કરાઈ. ગઈકાલે તેને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લઈ જવામાં આવ્યો અને ત્યાંથી જે વીડિયો સામે આવ્યો જેમાં સાફ દેખાય છે કે ગણેશ જાડેજાને ના શરમ છે કે ના અફસોસ છે.. પોલીસની ધરપકડ બાદ પણ તેના ચહેરા પર પસ્તાવો હોવાને બદલે તે હસી રહ્યો છે જેલમાં જાય છે ત્યારે પણ એ ખી ખી કરીને હસી રહ્યો છે..  



સિસ્ટમને ચેલેન્જ કરે છે આ મુસ્કાન!

ગણેશ જાડેજા જે પ્રમાણે હસી રહ્યો છે તે જાણે સિસ્ટમ પર હસી રહ્યો હોય તેવું લાગે છે. કદાચ એને એવું હશે કે, એ માનતો હશે કે તે મોટા બાપના ઓલાદ છે એટલે થોડા દિવસોની અંદર છૂટી જશે.. ગણેશ જાડેજાની આ મુસ્કાન એ આપણી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ખુબ મોટો પ્રશ્નાર્થ ચિહન ઉભું કરે છે. તેની આ મુસ્કાન સરકારને ચેલેન્જ કરે છે કે તમારે જે કરવું હોય તે કરી લો. જૂનાગઢ ડીવાયએસપી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


મોટી બાપની ઓલાદને કદાચ લાગતું હશે કે....

મહત્વનું છે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે અમીર બાપની ઓલાદ પકડાય છે ત્યારે તેના ચહેરા પર ના તો અફસોસ હોય છે ના તો પસ્તાવો હોય છે.. તેમને લાગતું હોય છે કે સિસ્ટમ તેમના બાપની છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે કે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.