આકરો રહેશે આ વખતનો ઉનાળો! ફેબ્રુઆરીથી જ થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ, હીટ વેવને લઈ કેન્દ્ર સરકારે લખ્યો છે પત્ર


  • Published By :
  • Published Date : 2023-03-01 13:49:24

જેમ શિયાળાની કાતિલ ઠંડીનો અહેસાસ આ વખતે થયો હતો તેવી જ રીતે આ વખતની ગરમી પણ આકરી રહેવાની છે. ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. વર્ષ 1877 બાદ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉપર જવાની આગાહી કરવામાં આવી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વખતે ઉનાળામાં આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર

ગુજરાતમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઈઝરી જારી કરી છે. ઉનાળાના ગરમીનો અહેસાસ ફેબ્રુઆરીથી લોકોને થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. કેન્દ્ર સરકારે હીટવેવને લઈને એડવાઈઝરી બહાર પાડી છે અને ચેતવણી આપી છે જે મુજબ માર્ચથી મે સુધી આકરો તાપ વેઠવો પડશે. 


ડિ-હાઈડ્રેશન ન થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

હવામાન વિભાગના મતે 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું દિવસનું તાપમાન સૌથી વધુ આ વર્ષે નોંધાયું છે. ગરમીમાં ડિ-હાઈડ્રેશન ન થાય તે માટે ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. સતત નાળિયેલનું પાણી પીવું, પાણી તેમજ લીંબુ શરબત પીતા રહેવું જોઈએ. ઉપરાંત બપોરે 12થી 3 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો શરીરનું તાપમાન વધી જાય અથવા તો પરસેવો આવતો બંધ થઈ જાય તો 108ને તરત કોલ કરો.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.