આકરો રહેશે આ વખતનો ઉનાળો! ફેબ્રુઆરીથી જ થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ, હીટ વેવને લઈ કેન્દ્ર સરકારે લખ્યો છે પત્ર


  • Published By :
  • Published Date : 2023-03-01 13:49:24

જેમ શિયાળાની કાતિલ ઠંડીનો અહેસાસ આ વખતે થયો હતો તેવી જ રીતે આ વખતની ગરમી પણ આકરી રહેવાની છે. ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. વર્ષ 1877 બાદ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉપર જવાની આગાહી કરવામાં આવી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વખતે ઉનાળામાં આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર

ગુજરાતમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઈઝરી જારી કરી છે. ઉનાળાના ગરમીનો અહેસાસ ફેબ્રુઆરીથી લોકોને થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. કેન્દ્ર સરકારે હીટવેવને લઈને એડવાઈઝરી બહાર પાડી છે અને ચેતવણી આપી છે જે મુજબ માર્ચથી મે સુધી આકરો તાપ વેઠવો પડશે. 


ડિ-હાઈડ્રેશન ન થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

હવામાન વિભાગના મતે 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું દિવસનું તાપમાન સૌથી વધુ આ વર્ષે નોંધાયું છે. ગરમીમાં ડિ-હાઈડ્રેશન ન થાય તે માટે ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. સતત નાળિયેલનું પાણી પીવું, પાણી તેમજ લીંબુ શરબત પીતા રહેવું જોઈએ. ઉપરાંત બપોરે 12થી 3 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો શરીરનું તાપમાન વધી જાય અથવા તો પરસેવો આવતો બંધ થઈ જાય તો 108ને તરત કોલ કરો.     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.