આકરો રહેશે આ વખતનો ઉનાળો! ફેબ્રુઆરીથી જ થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ, હીટ વેવને લઈ કેન્દ્ર સરકારે લખ્યો છે પત્ર


  • Published By :
  • Published Date : 2023-03-01 13:49:24

જેમ શિયાળાની કાતિલ ઠંડીનો અહેસાસ આ વખતે થયો હતો તેવી જ રીતે આ વખતની ગરમી પણ આકરી રહેવાની છે. ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. વર્ષ 1877 બાદ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉપર જવાની આગાહી કરવામાં આવી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વખતે ઉનાળામાં આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર

ગુજરાતમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઈઝરી જારી કરી છે. ઉનાળાના ગરમીનો અહેસાસ ફેબ્રુઆરીથી લોકોને થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. કેન્દ્ર સરકારે હીટવેવને લઈને એડવાઈઝરી બહાર પાડી છે અને ચેતવણી આપી છે જે મુજબ માર્ચથી મે સુધી આકરો તાપ વેઠવો પડશે. 


ડિ-હાઈડ્રેશન ન થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

હવામાન વિભાગના મતે 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું દિવસનું તાપમાન સૌથી વધુ આ વર્ષે નોંધાયું છે. ગરમીમાં ડિ-હાઈડ્રેશન ન થાય તે માટે ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. સતત નાળિયેલનું પાણી પીવું, પાણી તેમજ લીંબુ શરબત પીતા રહેવું જોઈએ. ઉપરાંત બપોરે 12થી 3 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો શરીરનું તાપમાન વધી જાય અથવા તો પરસેવો આવતો બંધ થઈ જાય તો 108ને તરત કોલ કરો.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.