આકરો રહેશે આ વખતનો ઉનાળો! ફેબ્રુઆરીથી જ થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ, હીટ વેવને લઈ કેન્દ્ર સરકારે લખ્યો છે પત્ર


  • Published By :
  • Published Date : 2023-03-01 13:49:24

જેમ શિયાળાની કાતિલ ઠંડીનો અહેસાસ આ વખતે થયો હતો તેવી જ રીતે આ વખતની ગરમી પણ આકરી રહેવાની છે. ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. વર્ષ 1877 બાદ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉપર જવાની આગાહી કરવામાં આવી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વખતે ઉનાળામાં આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર

ગુજરાતમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઈઝરી જારી કરી છે. ઉનાળાના ગરમીનો અહેસાસ ફેબ્રુઆરીથી લોકોને થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. કેન્દ્ર સરકારે હીટવેવને લઈને એડવાઈઝરી બહાર પાડી છે અને ચેતવણી આપી છે જે મુજબ માર્ચથી મે સુધી આકરો તાપ વેઠવો પડશે. 


ડિ-હાઈડ્રેશન ન થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

હવામાન વિભાગના મતે 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું દિવસનું તાપમાન સૌથી વધુ આ વર્ષે નોંધાયું છે. ગરમીમાં ડિ-હાઈડ્રેશન ન થાય તે માટે ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. સતત નાળિયેલનું પાણી પીવું, પાણી તેમજ લીંબુ શરબત પીતા રહેવું જોઈએ. ઉપરાંત બપોરે 12થી 3 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો શરીરનું તાપમાન વધી જાય અથવા તો પરસેવો આવતો બંધ થઈ જાય તો 108ને તરત કોલ કરો.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.