Bhavnagarમાં આ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનીને તૈયાર છે પરંતુ નથી કરાયું ઉદ્ધાટન, શક્તિસિંહ ગોહિલે પૂછ્યો આ પ્રશ્ન...


  • Published By :
  • Published Date : 2023-08-16 14:03:56

લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અલગ અલગ હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવતું હોય છે. અનેક હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં સર ટી હોસ્પિટલના પરિસરમાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર છે પરંતુ હજી સુધી લોકો માટે ખોલવામાં આવી નથી. હોસ્પિટલ તૈયાર છે, બધા સાધનો હોસ્પિટલમાં આવી ગયા છે પરંતુ દરવાજા પર તાળું લટકી રહ્યું છે. કરોડોના ખર્ચે દવાખાનું બનાવવામાં આવ્યું છે પરંતુ શરૂઆત ન થવાને કારણે દર્દીઓને મદદરૂપ નથી થઈ શક્તી. 

હોસ્પિટલમાં તમામ સાધનો છે પરંતુ નથી કરવામાં આવ્યું લોકાર્પણ

અનેક હોસ્પિટલોમાં નવી નવી સુવિધાઓ મળી રહે તે માટે સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં 200 કરોડના ખર્ચે મલટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ દર્દીઓને લાભ મળતો નથી કારણ કે હોસ્પિટલ બહાર તાળું લટકે છે. હોસ્પિટલ સંપૂર્ણ બનીને તૈયાર પણ છે પરંતુ તે ઉદ્દઘાટન અને સ્ટાફ ન હોવાને કારણે ધૂળ ખાઈ રહી છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં AC પણ ફીટ થઈ ગયા છે. 


તમામ અત્યાધુનિક સાધનો છે પરંતુ દર્દીઓને નથી મળતો લાભ 

મોટી વાત એ છે કે બિમારીથી પીડાતા લોકોને સારવાર માટે રાજકોટ જ આવવું પડે છે. દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ જે દર્દીઓને માટે તે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમને સારવાર નથી મળતી. કારણ કે હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું નથી. MRI મશીનથી લઈને તમામ અત્યાધુનિક સાધનોથી હોસ્પિટલ સજ્જ છે. અને તમામ પ્રકારના ટેસ્ટ નજીવા દરે કરવાના દાવા પણ કરાયા હતા પરંતુ એ તો ત્યારે થશે જ્યારે હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. 


હોસ્પિટલનું ઉદ્ધાટન શા માટે નથી કરવામાં આવ્યું? - શક્તિસિંહ ગોહિલ 

ભાવનગર શહેર અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો સર ટી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આ લોકોને ધ્યાનમાં રાખીને જ સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર પણ છે પરંતુ દર્દીઓ અમદાવાદ રાજકોટમાં સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં લાભ લેવા લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું. શક્તિસિંહ ગોહીલે આ વાતને લઈ પ્રશ્ન પૂછ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.