Bhavnagarમાં આ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનીને તૈયાર છે પરંતુ નથી કરાયું ઉદ્ધાટન, શક્તિસિંહ ગોહિલે પૂછ્યો આ પ્રશ્ન...


  • Published By :
  • Published Date : 2023-08-16 14:03:56

લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અલગ અલગ હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવતું હોય છે. અનેક હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં સર ટી હોસ્પિટલના પરિસરમાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર છે પરંતુ હજી સુધી લોકો માટે ખોલવામાં આવી નથી. હોસ્પિટલ તૈયાર છે, બધા સાધનો હોસ્પિટલમાં આવી ગયા છે પરંતુ દરવાજા પર તાળું લટકી રહ્યું છે. કરોડોના ખર્ચે દવાખાનું બનાવવામાં આવ્યું છે પરંતુ શરૂઆત ન થવાને કારણે દર્દીઓને મદદરૂપ નથી થઈ શક્તી. 

હોસ્પિટલમાં તમામ સાધનો છે પરંતુ નથી કરવામાં આવ્યું લોકાર્પણ

અનેક હોસ્પિટલોમાં નવી નવી સુવિધાઓ મળી રહે તે માટે સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં 200 કરોડના ખર્ચે મલટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ દર્દીઓને લાભ મળતો નથી કારણ કે હોસ્પિટલ બહાર તાળું લટકે છે. હોસ્પિટલ સંપૂર્ણ બનીને તૈયાર પણ છે પરંતુ તે ઉદ્દઘાટન અને સ્ટાફ ન હોવાને કારણે ધૂળ ખાઈ રહી છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં AC પણ ફીટ થઈ ગયા છે. 


તમામ અત્યાધુનિક સાધનો છે પરંતુ દર્દીઓને નથી મળતો લાભ 

મોટી વાત એ છે કે બિમારીથી પીડાતા લોકોને સારવાર માટે રાજકોટ જ આવવું પડે છે. દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ જે દર્દીઓને માટે તે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમને સારવાર નથી મળતી. કારણ કે હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું નથી. MRI મશીનથી લઈને તમામ અત્યાધુનિક સાધનોથી હોસ્પિટલ સજ્જ છે. અને તમામ પ્રકારના ટેસ્ટ નજીવા દરે કરવાના દાવા પણ કરાયા હતા પરંતુ એ તો ત્યારે થશે જ્યારે હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. 


હોસ્પિટલનું ઉદ્ધાટન શા માટે નથી કરવામાં આવ્યું? - શક્તિસિંહ ગોહિલ 

ભાવનગર શહેર અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો સર ટી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આ લોકોને ધ્યાનમાં રાખીને જ સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર પણ છે પરંતુ દર્દીઓ અમદાવાદ રાજકોટમાં સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં લાભ લેવા લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું. શક્તિસિંહ ગોહીલે આ વાતને લઈ પ્રશ્ન પૂછ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.