જૂઓ આ વિલાયતી માસ્તર... બનાસકાંઠાના આ શિક્ષક પણ ગાયબ થઈ ગયા! આદિવાસી વિસ્તારના બાળકો કઈ રીતે ભણશે?


  • Published By :
  • Published Date : 2024-08-12 18:39:39

શિક્ષકો બાળકોના ભાવિને ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે.. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું વિશેષ સ્થાન હોય છે. પરંતુ થોડા સમયથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે.. બનાસકાંઠાથી શરૂ થયેલા આ કિસ્સાઓનો અંત ક્યારે આવશે ખબર નથી પણ ફરી એક વિલાયતી શિક્ષક હાથે આવ્યા છે..  બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષક મળ્યા છે. 

શિક્ષક છેલ્લા દોઢ વર્ષથી હાજર નથી..!

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મગવાસના શાળાની આ વાત છે મગવાસ સ્કૂલમાં ભૂતિયા શિક્ષક મળ્યા છે પછી ત્યાંના લોકોએ તો નવું કર્યું. ગ્રામજનોએ ઢોલ વગાડીને મોટી સંખ્યામાં એકત્રિત થયા અને સ્કૂલ આગળ એ બાબતે વિરોધ કર્યો. એ લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકના અભાવથી બાળકોને અભ્યાસમાં અગવડો પડી રહી છે. કેમ અગવડ પડે છે તો ગણિત-વિજ્ઞાનના શિક્ષક જય કુમાર ચૌહાણ છેલ્લા દોઢ વર્ષથી ગેરહાજર છે. પાન્છા બાદ દાંતાથી વિલાયતી શિક્ષક ઝડપાયા છે. હમણાં જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ જ્યારે બીજી તરફ આદીવાસી શાળામાં જ શિક્ષકો આવતાં જ નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.





અનેક વખત રજૂઆત કરાઈ પરંતુ...

ત્યારે આપણને સવાલ થવો જ જોઈએ કે કેમ આદિવાસી વિસ્તારોના બાળકો શિક્ષણ અને શિક્ષકોથી વંચિત રહી જાય છે. છેલ્લા 03/01/23થી જયકુમાર કનૈયા લાલ ચૌહાણ નામનો શિક્ષક ગેરહાજર છે સ્કૂલના આચાર્યએ કહ્યું કે  શાળા દ્વારા અનેકોવાર તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ છતાં આ ભૂતિયા શિક્ષક સામે કાર્યવાહી કરાઇ નથી. જોકે આટલા કિસ્સા સામે આવ્યા બાદ સરકારની આંખ ઊઘડી છે . શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા એ પણ આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહીની વાત કરી છે. કેમ કે અચાનકથી 5-7 ઘટનાઓ આવી સામે આવી છે. 



ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો! 

ભૂતિયા શિક્ષકો અને ડમી શિક્ષકોને સરકાર કહે ભણશે ગુજરાત આલા પણ કેમનું? તંત્રમાં બેઠા લોકોને આદિવાસી બાળકોની કઈ પડી નથી એવું આ ઘટનાઓ જોઈને લાગી રહ્યું છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો...



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી