આ વખતે ગુજરાતમાં ભાજપની 70 સીટ પણ નહીં આવે - જગદીશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-06 17:01:44

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા રહે છે. ત્યારે ભાજપ પર જગદીશ ઠાકોરે નિશાન સાધ્યું છે. નિવેદન આપતા જગદીશ ઠાકોરે ભાજપને લઈ ભવિષ્યવાણી કરતા કહ્યું કે આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

આ વખતે ભાજપની હાર નિશ્ચિત છે - જગદીશ ઠાકોર

ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સત્તાનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન નેતાઓ પાર્ટી પર આક્ષેપ કરતા હોય છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે.ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે તે અંગે તેમણે ટિપ્પણી કરી હતી. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહે તો પણ ભાજપની હાર નિશ્ચિત છે. આ વખતે ભાજપને 70 જેટલી સીટો પણ નહીં મળે.     

અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી? - BBC News  ગુજરાતી

જયનારાયણ વ્યાસને લઈ આપી પ્રતિક્રિયા 

ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પાર્ટીથી નારાજ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ચૂંટણી જાહેર થયા બાદ અનેક નેતાઓએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી બીજી પાર્ટીમાં જતા રહે છે. ત્યારે ભાજપને અલવિદા કહેનાર જયનારાયણ વ્યાસને લઈ નિવેદન આપતા કહ્યું કે જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષ પહેલા કપાઈ ગઈ હતી. ટિકિટ કપાયા પછી પણ તેઓ ભાજપમાં રહ્યા. ભાજપની ટિકા કરતા જગદીશ ઠાકોરે કહ્યું કે હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો પોતાના દુ:ખને કારણે પાર્ટી છોડી રહ્યા છે. 

અશોક ગેહલોત હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં, ઉમેદવારી બચાવવા અનેક નેતાઓ  સક્રિય

શું કોંગ્રેસમાં જોડાશે જયનારાયણ વ્યાસ?

જગદીશ ઠાકોરના નિવેદનથી અટકળોનું બજાર ગરમાયું છે. અટકળો પ્રમાણે થોડા સમયમાં જ જયનારાયણ વ્યાસ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં અશોક ગેહલોત સાથે થયેલી મુલાકાત બાદ આવી વાતો વહેતી થવા લાગી હતી. ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જશે કે નહીં તે સસ્પેન્સ અકબંધ છે.     



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.