આ વખતે ગુજરાતમાં ભાજપની 70 સીટ પણ નહીં આવે - જગદીશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-06 17:01:44

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા રહે છે. ત્યારે ભાજપ પર જગદીશ ઠાકોરે નિશાન સાધ્યું છે. નિવેદન આપતા જગદીશ ઠાકોરે ભાજપને લઈ ભવિષ્યવાણી કરતા કહ્યું કે આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

આ વખતે ભાજપની હાર નિશ્ચિત છે - જગદીશ ઠાકોર

ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સત્તાનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન નેતાઓ પાર્ટી પર આક્ષેપ કરતા હોય છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે.ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે તે અંગે તેમણે ટિપ્પણી કરી હતી. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહે તો પણ ભાજપની હાર નિશ્ચિત છે. આ વખતે ભાજપને 70 જેટલી સીટો પણ નહીં મળે.     

અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી? - BBC News  ગુજરાતી

જયનારાયણ વ્યાસને લઈ આપી પ્રતિક્રિયા 

ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પાર્ટીથી નારાજ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ચૂંટણી જાહેર થયા બાદ અનેક નેતાઓએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી બીજી પાર્ટીમાં જતા રહે છે. ત્યારે ભાજપને અલવિદા કહેનાર જયનારાયણ વ્યાસને લઈ નિવેદન આપતા કહ્યું કે જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષ પહેલા કપાઈ ગઈ હતી. ટિકિટ કપાયા પછી પણ તેઓ ભાજપમાં રહ્યા. ભાજપની ટિકા કરતા જગદીશ ઠાકોરે કહ્યું કે હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો પોતાના દુ:ખને કારણે પાર્ટી છોડી રહ્યા છે. 

અશોક ગેહલોત હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં, ઉમેદવારી બચાવવા અનેક નેતાઓ  સક્રિય

શું કોંગ્રેસમાં જોડાશે જયનારાયણ વ્યાસ?

જગદીશ ઠાકોરના નિવેદનથી અટકળોનું બજાર ગરમાયું છે. અટકળો પ્રમાણે થોડા સમયમાં જ જયનારાયણ વ્યાસ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં અશોક ગેહલોત સાથે થયેલી મુલાકાત બાદ આવી વાતો વહેતી થવા લાગી હતી. ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જશે કે નહીં તે સસ્પેન્સ અકબંધ છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.