આ વખતે ગુજરાતમાં ભાજપની 70 સીટ પણ નહીં આવે - જગદીશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-06 17:01:44

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા રહે છે. ત્યારે ભાજપ પર જગદીશ ઠાકોરે નિશાન સાધ્યું છે. નિવેદન આપતા જગદીશ ઠાકોરે ભાજપને લઈ ભવિષ્યવાણી કરતા કહ્યું કે આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

આ વખતે ભાજપની હાર નિશ્ચિત છે - જગદીશ ઠાકોર

ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સત્તાનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન નેતાઓ પાર્ટી પર આક્ષેપ કરતા હોય છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે.ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે તે અંગે તેમણે ટિપ્પણી કરી હતી. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહે તો પણ ભાજપની હાર નિશ્ચિત છે. આ વખતે ભાજપને 70 જેટલી સીટો પણ નહીં મળે.     

અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી? - BBC News  ગુજરાતી

જયનારાયણ વ્યાસને લઈ આપી પ્રતિક્રિયા 

ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પાર્ટીથી નારાજ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ચૂંટણી જાહેર થયા બાદ અનેક નેતાઓએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી બીજી પાર્ટીમાં જતા રહે છે. ત્યારે ભાજપને અલવિદા કહેનાર જયનારાયણ વ્યાસને લઈ નિવેદન આપતા કહ્યું કે જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષ પહેલા કપાઈ ગઈ હતી. ટિકિટ કપાયા પછી પણ તેઓ ભાજપમાં રહ્યા. ભાજપની ટિકા કરતા જગદીશ ઠાકોરે કહ્યું કે હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો પોતાના દુ:ખને કારણે પાર્ટી છોડી રહ્યા છે. 

અશોક ગેહલોત હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં, ઉમેદવારી બચાવવા અનેક નેતાઓ  સક્રિય

શું કોંગ્રેસમાં જોડાશે જયનારાયણ વ્યાસ?

જગદીશ ઠાકોરના નિવેદનથી અટકળોનું બજાર ગરમાયું છે. અટકળો પ્રમાણે થોડા સમયમાં જ જયનારાયણ વ્યાસ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં અશોક ગેહલોત સાથે થયેલી મુલાકાત બાદ આવી વાતો વહેતી થવા લાગી હતી. ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જશે કે નહીં તે સસ્પેન્સ અકબંધ છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.