માવઠાને કારણે આ વખતે કેસર કેરી આવશે મોડી! આંબા પર આવેલા મોર ખરી પડતા વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-15 10:25:34

ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માવઠાને કારણે આ વર્ષે કેસર કેરીના પાકને પણ નુકસાન થયું છે. વાતાવરણમાં અનિયમિતતા આવતા આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનને કારણે આંબા પર બેથી ત્રણ તબક્કે મોર આવી રહ્યા છે. તળાજા વિસ્તારમાં થતી કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે જેને કારણે ભાવમાં પણ વધારો થઈ શકે છે.

  

પલટાતા વાતાવરણે વધારી ચિંતા! 

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળાના સમયમાં કેરી ખાવાની અલગ મજા હોય છે. લોકો આખું વર્ષ કેરી ખાવા માટે રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેસર કેરી મોંઘી પડી શકે છે. ભાવનગરના તળાજામાં માવઠાને કારણે આંબા પર આવતા મોર ખરી પડ્યા છે. ફેબ્રુઆરીના પ્રારંભ પછી ઠંડીને કારણે આંબા પર પાંખા મોર આવ્યા હતા. ધીમે ધીમે આંબા પર ભરપૂર મોર આવવા લાગ્યા હતા. પરંતુ ઉનાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે મોર ખરી પડ્યા છે. પવન ફૂંકાવવાને કારણે તેમજ માવઠાને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણરીતે ખરી પડ્યો છે. ત્યારે હજી પણ વાતાવરણમાં અનિયમિતતા જોવા મળી રહી છે. 


કમોસમી વરસાદને કારણે કેરીના પાકને થયું નુકસાન  

હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. આ વખતે કેરીને પણ નુકસાન થયું છે. સામાન્ય રીતે માર્ચના પ્રારંભમાં આગોત્રી કેરીનો ફાલ આવવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ફાલ નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતિત બન્યા છે. આંબાના ઝાડ ઉપર પણ મોર આવેલા ખરી પડ્યા છે. જો આવનાર 15 દિવસો દરમિયાન જો વાતાવરણ અનુકુળ રહે તો કેરી ઝડપથી થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.