માવઠાને કારણે આ વખતે કેસર કેરી આવશે મોડી! આંબા પર આવેલા મોર ખરી પડતા વધી ખેડૂતોની ચિંતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-15 10:25:34

ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માવઠાને કારણે આ વર્ષે કેસર કેરીના પાકને પણ નુકસાન થયું છે. વાતાવરણમાં અનિયમિતતા આવતા આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનને કારણે આંબા પર બેથી ત્રણ તબક્કે મોર આવી રહ્યા છે. તળાજા વિસ્તારમાં થતી કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે જેને કારણે ભાવમાં પણ વધારો થઈ શકે છે.

  

પલટાતા વાતાવરણે વધારી ચિંતા! 

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળાના સમયમાં કેરી ખાવાની અલગ મજા હોય છે. લોકો આખું વર્ષ કેરી ખાવા માટે રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેસર કેરી મોંઘી પડી શકે છે. ભાવનગરના તળાજામાં માવઠાને કારણે આંબા પર આવતા મોર ખરી પડ્યા છે. ફેબ્રુઆરીના પ્રારંભ પછી ઠંડીને કારણે આંબા પર પાંખા મોર આવ્યા હતા. ધીમે ધીમે આંબા પર ભરપૂર મોર આવવા લાગ્યા હતા. પરંતુ ઉનાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે મોર ખરી પડ્યા છે. પવન ફૂંકાવવાને કારણે તેમજ માવઠાને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણરીતે ખરી પડ્યો છે. ત્યારે હજી પણ વાતાવરણમાં અનિયમિતતા જોવા મળી રહી છે. 


કમોસમી વરસાદને કારણે કેરીના પાકને થયું નુકસાન  

હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. આ વખતે કેરીને પણ નુકસાન થયું છે. સામાન્ય રીતે માર્ચના પ્રારંભમાં આગોત્રી કેરીનો ફાલ આવવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ફાલ નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતિત બન્યા છે. આંબાના ઝાડ ઉપર પણ મોર આવેલા ખરી પડ્યા છે. જો આવનાર 15 દિવસો દરમિયાન જો વાતાવરણ અનુકુળ રહે તો કેરી ઝડપથી થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.  




બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.