માવઠાને કારણે આ વખતે કેસર કેરી આવશે મોડી! આંબા પર આવેલા મોર ખરી પડતા વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-15 10:25:34

ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માવઠાને કારણે આ વર્ષે કેસર કેરીના પાકને પણ નુકસાન થયું છે. વાતાવરણમાં અનિયમિતતા આવતા આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનને કારણે આંબા પર બેથી ત્રણ તબક્કે મોર આવી રહ્યા છે. તળાજા વિસ્તારમાં થતી કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે જેને કારણે ભાવમાં પણ વધારો થઈ શકે છે.

  

પલટાતા વાતાવરણે વધારી ચિંતા! 

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળાના સમયમાં કેરી ખાવાની અલગ મજા હોય છે. લોકો આખું વર્ષ કેરી ખાવા માટે રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેસર કેરી મોંઘી પડી શકે છે. ભાવનગરના તળાજામાં માવઠાને કારણે આંબા પર આવતા મોર ખરી પડ્યા છે. ફેબ્રુઆરીના પ્રારંભ પછી ઠંડીને કારણે આંબા પર પાંખા મોર આવ્યા હતા. ધીમે ધીમે આંબા પર ભરપૂર મોર આવવા લાગ્યા હતા. પરંતુ ઉનાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે મોર ખરી પડ્યા છે. પવન ફૂંકાવવાને કારણે તેમજ માવઠાને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણરીતે ખરી પડ્યો છે. ત્યારે હજી પણ વાતાવરણમાં અનિયમિતતા જોવા મળી રહી છે. 


કમોસમી વરસાદને કારણે કેરીના પાકને થયું નુકસાન  

હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. આ વખતે કેરીને પણ નુકસાન થયું છે. સામાન્ય રીતે માર્ચના પ્રારંભમાં આગોત્રી કેરીનો ફાલ આવવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ફાલ નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતિત બન્યા છે. આંબાના ઝાડ ઉપર પણ મોર આવેલા ખરી પડ્યા છે. જો આવનાર 15 દિવસો દરમિયાન જો વાતાવરણ અનુકુળ રહે તો કેરી ઝડપથી થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.