આ વખતે ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં થશે ભરતી મેળો!, ભાજપના દિગ્ગજ નેતા જઈ શકે છે કોંગ્રેસમાં.. જાણો ક્યાંય તમારા વિસ્તારના તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-03-25 13:33:45

ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે નેતાઓ દ્વારા.... હમણાં સુધી આપણે સમાચારમાં એવું સાંભળતા હતા કે કોંગ્રેસને ફટકો પડ્યો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવાના છે... પરંતુ આ વખતે ખેલ બદલાઈ ગયો છે. હવે સમાચારમાં આવે છે ભાજપના દિગ્ગજ નેતા ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી પહેલા વધુ એક ઝાટકો ભાજપને થઈ શકેછે. કારણ કે ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે એવી માહિતી સામે આવી છે.  



જવાહર ચાવડા જો કોંગ્રેસમાં જશે તો લડી શકે છે પેટા ચૂંટણી 

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાના પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી વખતે આવી ઘટનાઓ સામાન્ય હોય છે. વધુ એક નેતા પક્ષપલટો કરનારી ઘરવાપસી કરવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે પક્ષ બદલનાર ભાજપના નેતા હશે અને તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.અને હવે એવી વાતો થઇ રહી છે કે જવાહર ચાવડા પેટા ચૂંટણી લડી શકે છે કોંગ્રેસમાં જોડાયા બાદ.

 

પહેલા પણ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી કારણ કે.... 

રસપ્રદ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસને છોડી ભાજપમાં જતા રહ્યા હતા. જવાહર ચાવડા ભાજપમાં જતા રહ્યા હતા જેને કારણે પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન થઈ ગયા છે. ફરી એક વખત ત્યાં  પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણીએ કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. એટલે જંગ તો અરવિંદ ભાઈ vs જવાહરભાઇ જ હશે પણ પક્ષ બદલાઈ ગયા હશે. 



કોંગ્રેસમાં ઘરવાપસીની વાતો એટલા માટે થઈ રહી છે કારણ કે  

આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 


ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ચરમસીમા પર... 

આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નોતા એટલે જલ્દી જ ઘરવાપસી કરે તેવી ચર્ચાઓ થઈ રહી છે. બીજું કારણ એ પણ છે કે ભાજપમાં અત્યારે આંતરિક નારાજગી અને વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસથી આવેલા નેતાઓને પદ મળતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ છે. સાબરકાંઠામાં એવુજ કંઈક જોવા મળ્યું શોભનાબેનને ટિકિટ મળતા ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યાં છે . જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે. અને ફરી એ કોંગ્રેસથી ચુંટણી લડશે તેવું લાગી રહ્યું છે...  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.