આ વખતે ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં થશે ભરતી મેળો!, ભાજપના દિગ્ગજ નેતા જઈ શકે છે કોંગ્રેસમાં.. જાણો ક્યાંય તમારા વિસ્તારના તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-03-25 13:33:45

ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે નેતાઓ દ્વારા.... હમણાં સુધી આપણે સમાચારમાં એવું સાંભળતા હતા કે કોંગ્રેસને ફટકો પડ્યો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવાના છે... પરંતુ આ વખતે ખેલ બદલાઈ ગયો છે. હવે સમાચારમાં આવે છે ભાજપના દિગ્ગજ નેતા ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી પહેલા વધુ એક ઝાટકો ભાજપને થઈ શકેછે. કારણ કે ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે એવી માહિતી સામે આવી છે.  



જવાહર ચાવડા જો કોંગ્રેસમાં જશે તો લડી શકે છે પેટા ચૂંટણી 

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાના પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી વખતે આવી ઘટનાઓ સામાન્ય હોય છે. વધુ એક નેતા પક્ષપલટો કરનારી ઘરવાપસી કરવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે પક્ષ બદલનાર ભાજપના નેતા હશે અને તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.અને હવે એવી વાતો થઇ રહી છે કે જવાહર ચાવડા પેટા ચૂંટણી લડી શકે છે કોંગ્રેસમાં જોડાયા બાદ.

 

પહેલા પણ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી કારણ કે.... 

રસપ્રદ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસને છોડી ભાજપમાં જતા રહ્યા હતા. જવાહર ચાવડા ભાજપમાં જતા રહ્યા હતા જેને કારણે પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન થઈ ગયા છે. ફરી એક વખત ત્યાં  પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણીએ કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. એટલે જંગ તો અરવિંદ ભાઈ vs જવાહરભાઇ જ હશે પણ પક્ષ બદલાઈ ગયા હશે. 



કોંગ્રેસમાં ઘરવાપસીની વાતો એટલા માટે થઈ રહી છે કારણ કે  

આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 


ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ચરમસીમા પર... 

આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નોતા એટલે જલ્દી જ ઘરવાપસી કરે તેવી ચર્ચાઓ થઈ રહી છે. બીજું કારણ એ પણ છે કે ભાજપમાં અત્યારે આંતરિક નારાજગી અને વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસથી આવેલા નેતાઓને પદ મળતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ છે. સાબરકાંઠામાં એવુજ કંઈક જોવા મળ્યું શોભનાબેનને ટિકિટ મળતા ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યાં છે . જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે. અને ફરી એ કોંગ્રેસથી ચુંટણી લડશે તેવું લાગી રહ્યું છે...  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.