આ વખતે ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં થશે ભરતી મેળો!, ભાજપના દિગ્ગજ નેતા જઈ શકે છે કોંગ્રેસમાં.. જાણો ક્યાંય તમારા વિસ્તારના તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-03-25 13:33:45

ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે નેતાઓ દ્વારા.... હમણાં સુધી આપણે સમાચારમાં એવું સાંભળતા હતા કે કોંગ્રેસને ફટકો પડ્યો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવાના છે... પરંતુ આ વખતે ખેલ બદલાઈ ગયો છે. હવે સમાચારમાં આવે છે ભાજપના દિગ્ગજ નેતા ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી પહેલા વધુ એક ઝાટકો ભાજપને થઈ શકેછે. કારણ કે ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે એવી માહિતી સામે આવી છે.  



જવાહર ચાવડા જો કોંગ્રેસમાં જશે તો લડી શકે છે પેટા ચૂંટણી 

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાના પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી વખતે આવી ઘટનાઓ સામાન્ય હોય છે. વધુ એક નેતા પક્ષપલટો કરનારી ઘરવાપસી કરવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે પક્ષ બદલનાર ભાજપના નેતા હશે અને તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.અને હવે એવી વાતો થઇ રહી છે કે જવાહર ચાવડા પેટા ચૂંટણી લડી શકે છે કોંગ્રેસમાં જોડાયા બાદ.

 

પહેલા પણ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી કારણ કે.... 

રસપ્રદ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસને છોડી ભાજપમાં જતા રહ્યા હતા. જવાહર ચાવડા ભાજપમાં જતા રહ્યા હતા જેને કારણે પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન થઈ ગયા છે. ફરી એક વખત ત્યાં  પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણીએ કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. એટલે જંગ તો અરવિંદ ભાઈ vs જવાહરભાઇ જ હશે પણ પક્ષ બદલાઈ ગયા હશે. 



કોંગ્રેસમાં ઘરવાપસીની વાતો એટલા માટે થઈ રહી છે કારણ કે  

આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 


ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ચરમસીમા પર... 

આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નોતા એટલે જલ્દી જ ઘરવાપસી કરે તેવી ચર્ચાઓ થઈ રહી છે. બીજું કારણ એ પણ છે કે ભાજપમાં અત્યારે આંતરિક નારાજગી અને વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસથી આવેલા નેતાઓને પદ મળતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ છે. સાબરકાંઠામાં એવુજ કંઈક જોવા મળ્યું શોભનાબેનને ટિકિટ મળતા ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યાં છે . જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે. અને ફરી એ કોંગ્રેસથી ચુંટણી લડશે તેવું લાગી રહ્યું છે...  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.