ખેડૂત આંદોલનની આગેવાની આ વખતે રાકેશ ટિકૈત નહીં પણ આ બે નેતાઓ કરી રહ્યા છે, જાણો કોણ છે તે?


  • Published By :
  • Published Date : 2024-02-13 16:31:03

ખેડૂતોએ તેમની પડતર માગણીઓને લઈને ફરી એક વખત આંદોનનો માર્ગ અપનાવ્યો છે. પંજાબ,હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જો કે આ વખતના આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત નહીં પણ પંજાબના બે ખેડૂત નેતાઓ કરી રહ્યા છે જેમાં એક છે સરવન સિંહ પંઢેર અને બીજા  જગજીત સિંહ ડલ્લેબાજ છે. આ બંને ખેડૂતોના મોટા કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી છે.

  


કોણ છે સરવન સિંહ પંઢેર?


સરવન સિંહ પંઢેર પંજાબના અમૃતસર જિલ્લાના ગામ પંધેરના વતની છે. તેઓ 10 ધોરણ સુધી ભણેલા છે. અને તેઓ 45 વર્ષના છે. સરવન સિંહ હંમેશા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવતા રહે છે. તેઓ અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાના નજીકના મનાય છે. પંધેર વિદ્યાર્થીકાળથી જ આંદોલનોમાં સામેલ રહ્યા છે. પંઢેરની પાસે લગભગ સવા બે એકર જમીન છે. હાલના સમયે પંઢેર માંઝાના ખેડૂત સંગઠન કિસાન સંઘર્ષ સમિતિના મહાસચિવ છે. વર્ષ 2020માં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પંઢેર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તેઓ સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂતોની કમિટીમાં પણ સામેલ રહ્યા છે. 


કોણ છે જગજીત સિંહ ડલ્લેબાજ?


જગજીત સિંહ ડલ્લેબાજ પહેલા સંયુક્ત કિસાન મોર્ચાનો ભાગ રહ્યા છે. બાદમાં તે બલબિર સિંહ રાજેવાલ સાથી મળીને ચાર અલગ સંગઠન બનાવ્યા હતા. જગજીતસિંહ ડલ્લેબાજના નેતૃત્વમાં ખેડૂત સંગઠન BKU ( એકતા સિધ્ધુપુર)ના નાના જુથોનો સાથ લીધો અને સમાન્તર સંગઠન SKM (બિનરાજકીય)નું સર્જન કર્યું હતું.  તેમાં હરિયાણા, રાજસ્થાન, એમપીના ખેડૂત સંગઠનો પણ સામેલ છે. તેણે કિસાન મજદુર મોર્ચા સાથે હાથ મિલાવ્યા અને દિલ્હી ચલોના આહવાન સાથે અમૃતસર અને બપનાલામાં રેલીઓ કરી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.