ખેડૂત આંદોલનની આગેવાની આ વખતે રાકેશ ટિકૈત નહીં પણ આ બે નેતાઓ કરી રહ્યા છે, જાણો કોણ છે તે?


  • Published By :
  • Published Date : 2024-02-13 16:31:03

ખેડૂતોએ તેમની પડતર માગણીઓને લઈને ફરી એક વખત આંદોનનો માર્ગ અપનાવ્યો છે. પંજાબ,હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જો કે આ વખતના આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત નહીં પણ પંજાબના બે ખેડૂત નેતાઓ કરી રહ્યા છે જેમાં એક છે સરવન સિંહ પંઢેર અને બીજા  જગજીત સિંહ ડલ્લેબાજ છે. આ બંને ખેડૂતોના મોટા કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી છે.

  


કોણ છે સરવન સિંહ પંઢેર?


સરવન સિંહ પંઢેર પંજાબના અમૃતસર જિલ્લાના ગામ પંધેરના વતની છે. તેઓ 10 ધોરણ સુધી ભણેલા છે. અને તેઓ 45 વર્ષના છે. સરવન સિંહ હંમેશા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવતા રહે છે. તેઓ અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાના નજીકના મનાય છે. પંધેર વિદ્યાર્થીકાળથી જ આંદોલનોમાં સામેલ રહ્યા છે. પંઢેરની પાસે લગભગ સવા બે એકર જમીન છે. હાલના સમયે પંઢેર માંઝાના ખેડૂત સંગઠન કિસાન સંઘર્ષ સમિતિના મહાસચિવ છે. વર્ષ 2020માં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પંઢેર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તેઓ સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂતોની કમિટીમાં પણ સામેલ રહ્યા છે. 


કોણ છે જગજીત સિંહ ડલ્લેબાજ?


જગજીત સિંહ ડલ્લેબાજ પહેલા સંયુક્ત કિસાન મોર્ચાનો ભાગ રહ્યા છે. બાદમાં તે બલબિર સિંહ રાજેવાલ સાથી મળીને ચાર અલગ સંગઠન બનાવ્યા હતા. જગજીતસિંહ ડલ્લેબાજના નેતૃત્વમાં ખેડૂત સંગઠન BKU ( એકતા સિધ્ધુપુર)ના નાના જુથોનો સાથ લીધો અને સમાન્તર સંગઠન SKM (બિનરાજકીય)નું સર્જન કર્યું હતું.  તેમાં હરિયાણા, રાજસ્થાન, એમપીના ખેડૂત સંગઠનો પણ સામેલ છે. તેણે કિસાન મજદુર મોર્ચા સાથે હાથ મિલાવ્યા અને દિલ્હી ચલોના આહવાન સાથે અમૃતસર અને બપનાલામાં રેલીઓ કરી હતી. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .