ખેડૂત આંદોલનની આગેવાની આ વખતે રાકેશ ટિકૈત નહીં પણ આ બે નેતાઓ કરી રહ્યા છે, જાણો કોણ છે તે?


  • Published By :
  • Published Date : 2024-02-13 16:31:03

ખેડૂતોએ તેમની પડતર માગણીઓને લઈને ફરી એક વખત આંદોનનો માર્ગ અપનાવ્યો છે. પંજાબ,હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જો કે આ વખતના આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત નહીં પણ પંજાબના બે ખેડૂત નેતાઓ કરી રહ્યા છે જેમાં એક છે સરવન સિંહ પંઢેર અને બીજા  જગજીત સિંહ ડલ્લેબાજ છે. આ બંને ખેડૂતોના મોટા કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી છે.

  


કોણ છે સરવન સિંહ પંઢેર?


સરવન સિંહ પંઢેર પંજાબના અમૃતસર જિલ્લાના ગામ પંધેરના વતની છે. તેઓ 10 ધોરણ સુધી ભણેલા છે. અને તેઓ 45 વર્ષના છે. સરવન સિંહ હંમેશા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવતા રહે છે. તેઓ અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાના નજીકના મનાય છે. પંધેર વિદ્યાર્થીકાળથી જ આંદોલનોમાં સામેલ રહ્યા છે. પંઢેરની પાસે લગભગ સવા બે એકર જમીન છે. હાલના સમયે પંઢેર માંઝાના ખેડૂત સંગઠન કિસાન સંઘર્ષ સમિતિના મહાસચિવ છે. વર્ષ 2020માં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પંઢેર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તેઓ સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂતોની કમિટીમાં પણ સામેલ રહ્યા છે. 


કોણ છે જગજીત સિંહ ડલ્લેબાજ?


જગજીત સિંહ ડલ્લેબાજ પહેલા સંયુક્ત કિસાન મોર્ચાનો ભાગ રહ્યા છે. બાદમાં તે બલબિર સિંહ રાજેવાલ સાથી મળીને ચાર અલગ સંગઠન બનાવ્યા હતા. જગજીતસિંહ ડલ્લેબાજના નેતૃત્વમાં ખેડૂત સંગઠન BKU ( એકતા સિધ્ધુપુર)ના નાના જુથોનો સાથ લીધો અને સમાન્તર સંગઠન SKM (બિનરાજકીય)નું સર્જન કર્યું હતું.  તેમાં હરિયાણા, રાજસ્થાન, એમપીના ખેડૂત સંગઠનો પણ સામેલ છે. તેણે કિસાન મજદુર મોર્ચા સાથે હાથ મિલાવ્યા અને દિલ્હી ચલોના આહવાન સાથે અમૃતસર અને બપનાલામાં રેલીઓ કરી હતી. 



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..