ખેડૂત આંદોલનની આગેવાની આ વખતે રાકેશ ટિકૈત નહીં પણ આ બે નેતાઓ કરી રહ્યા છે, જાણો કોણ છે તે?


  • Published By :
  • Published Date : 2024-02-13 16:31:03

ખેડૂતોએ તેમની પડતર માગણીઓને લઈને ફરી એક વખત આંદોનનો માર્ગ અપનાવ્યો છે. પંજાબ,હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જો કે આ વખતના આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત નહીં પણ પંજાબના બે ખેડૂત નેતાઓ કરી રહ્યા છે જેમાં એક છે સરવન સિંહ પંઢેર અને બીજા  જગજીત સિંહ ડલ્લેબાજ છે. આ બંને ખેડૂતોના મોટા કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી છે.

  


કોણ છે સરવન સિંહ પંઢેર?


સરવન સિંહ પંઢેર પંજાબના અમૃતસર જિલ્લાના ગામ પંધેરના વતની છે. તેઓ 10 ધોરણ સુધી ભણેલા છે. અને તેઓ 45 વર્ષના છે. સરવન સિંહ હંમેશા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવતા રહે છે. તેઓ અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાના નજીકના મનાય છે. પંધેર વિદ્યાર્થીકાળથી જ આંદોલનોમાં સામેલ રહ્યા છે. પંઢેરની પાસે લગભગ સવા બે એકર જમીન છે. હાલના સમયે પંઢેર માંઝાના ખેડૂત સંગઠન કિસાન સંઘર્ષ સમિતિના મહાસચિવ છે. વર્ષ 2020માં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પંઢેર પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તેઓ સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂતોની કમિટીમાં પણ સામેલ રહ્યા છે. 


કોણ છે જગજીત સિંહ ડલ્લેબાજ?


જગજીત સિંહ ડલ્લેબાજ પહેલા સંયુક્ત કિસાન મોર્ચાનો ભાગ રહ્યા છે. બાદમાં તે બલબિર સિંહ રાજેવાલ સાથી મળીને ચાર અલગ સંગઠન બનાવ્યા હતા. જગજીતસિંહ ડલ્લેબાજના નેતૃત્વમાં ખેડૂત સંગઠન BKU ( એકતા સિધ્ધુપુર)ના નાના જુથોનો સાથ લીધો અને સમાન્તર સંગઠન SKM (બિનરાજકીય)નું સર્જન કર્યું હતું.  તેમાં હરિયાણા, રાજસ્થાન, એમપીના ખેડૂત સંગઠનો પણ સામેલ છે. તેણે કિસાન મજદુર મોર્ચા સાથે હાથ મિલાવ્યા અને દિલ્હી ચલોના આહવાન સાથે અમૃતસર અને બપનાલામાં રેલીઓ કરી હતી. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.