કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ! જાણો કયા ટ્વિટથી ગરમાઈ રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-06-08 12:25:29

કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અનેક વખત સામે આવતા હોય છે. નેતાઓ વચ્ચેના મતભેદ તેમજ આંતરિક ઘમાસાણ સમાચારોની હેડલાઈન્સ બનતા હોય છે. તમને લાગતું હશે કે રાજસ્થાન કોંગ્રેસની વાત કરવામાં આવી રહી છે પરંતુ ના આ સમાચાર ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક ટ્વિટથી રાજકારણ ગરમાઈ ગયું છે. શેખે ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ હાઈકમાન્ડને કરી છે. ઉલ્લેખનિય છે કે શેખે પોતાના ટ્વિટમાં પ્રમુખનું નામ ન લેતા આડકતરી રીતે જગદીશ ઠાકોર પર નિશાન સાધ્યું છે.

  

ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યા છે ડખા!

એક ટ્વિટે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધી છે. કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા વિવાદ અનેક વખત સામે આવ્યા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટનો વિવાદ હજી શાંત નથી થયો ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જાણે વિવાદ શરૂ થવાનો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખને બદલવાની માગ કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકમાન્ડને આવી રજૂઆત કરવામાં આવી છે. શેખના આ ટ્વિટને કારણે કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ તેમજ વિરોધના વંટોળ શરૂ થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 


નામ લીધા વગર જગદીશ ઠાકોર પર કર્યા પ્રહાર! 

શેખે પોતાના ટ્વિટમાં લખ્યું કે હાઈકમાન્ડે પોતાની વિવેકબુદ્ધિ અને સર્વેક્ષણના આધારે જે વ્યકિત કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોય, પાયાના કાર્યકરને આદર આપતો હોય અને જનસમસ્યાઓ માટે સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવતો હોય તેવા વ્યકિતને ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ બનાવવો જોઈએ. મહત્વનું છે કે હાલ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ જગદીશ ઠાકોર કરી રહ્યા છે. જમાવટની ટીમે જ્યારે ગ્યાસુદ્દીન શેખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે જગદીશ ઠાકોર પોતે પદ છોડવા માગે છે.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.