કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ! જાણો કયા ટ્વિટથી ગરમાઈ રાજનીતિ?


  • Published By :
  • Published Date : 2023-06-08 12:25:29

કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અનેક વખત સામે આવતા હોય છે. નેતાઓ વચ્ચેના મતભેદ તેમજ આંતરિક ઘમાસાણ સમાચારોની હેડલાઈન્સ બનતા હોય છે. તમને લાગતું હશે કે રાજસ્થાન કોંગ્રેસની વાત કરવામાં આવી રહી છે પરંતુ ના આ સમાચાર ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક ટ્વિટથી રાજકારણ ગરમાઈ ગયું છે. શેખે ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખને બદલવાની માગ હાઈકમાન્ડને કરી છે. ઉલ્લેખનિય છે કે શેખે પોતાના ટ્વિટમાં પ્રમુખનું નામ ન લેતા આડકતરી રીતે જગદીશ ઠાકોર પર નિશાન સાધ્યું છે.

  

ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહ્યા છે ડખા!

એક ટ્વિટે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધી છે. કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા વિવાદ અનેક વખત સામે આવ્યા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટનો વિવાદ હજી શાંત નથી થયો ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જાણે વિવાદ શરૂ થવાનો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખને બદલવાની માગ કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકમાન્ડને આવી રજૂઆત કરવામાં આવી છે. શેખના આ ટ્વિટને કારણે કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ તેમજ વિરોધના વંટોળ શરૂ થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 


નામ લીધા વગર જગદીશ ઠાકોર પર કર્યા પ્રહાર! 

શેખે પોતાના ટ્વિટમાં લખ્યું કે હાઈકમાન્ડે પોતાની વિવેકબુદ્ધિ અને સર્વેક્ષણના આધારે જે વ્યકિત કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોય, પાયાના કાર્યકરને આદર આપતો હોય અને જનસમસ્યાઓ માટે સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવતો હોય તેવા વ્યકિતને ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ બનાવવો જોઈએ. મહત્વનું છે કે હાલ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ જગદીશ ઠાકોર કરી રહ્યા છે. જમાવટની ટીમે જ્યારે ગ્યાસુદ્દીન શેખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે જગદીશ ઠાકોર પોતે પદ છોડવા માગે છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.