ગુજરાતના વિકાસ મોડલને પડકારતું આ ગામ... 75 વર્ષ બાદ ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોએ કાઢી શોભાયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:45:13

ઓગસ્ટ મહિનામાં દેશે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલી ઉજવણી સૌએ જોઈ પરંતુ અનેક ભારતના તો ઠીક ગુજરાતમાં પણ એવા અનેક ગામો છે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. આજે એવા જ એક ગામની વાત કરવી છે જ્યાં 75 વર્ષ પછી સરકારી બસની સેવા શરૂ થઈ. શહેરના લોકોની સામે જ્યારે સરકારી બસ સુવિધાની વાત એકદમ સામાન્ય લાગે. પરંતુ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસ.ટી બસ આવતા લોકોના ઉત્સાહનો પાર ન રહ્યો. 

બસને દુલ્હનની જેમ શણગારી ગ્રામજનોએ શોભાયાત્રા કાઢી 

શહેરમાં રહેતા લોકો માટે ગામમાં રહેતા લોકોની તકલીફ સમજવી ઘણી મુશ્કીલ હોય છે. શહેરના લોકોને જે સુવિધા મળે છે તેવી સુવિધા મેળવવા ગ્રામજનોએ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સરકારી બસની સુવિધા શહેરના લોકો માટે એકદમ સામાન્ય વાત હોય છે જ્યારે એ જ સરકારી બસને પોતાના ગામમાં આવતી જોઈ ગ્રામજનોની ખુશીનો પાર નથી રહેતો. બસ આવવાની ખુશીમાં ગામના લોકોએ બસને શણગારી બસની શોભાયાત્રા કાઢે છે. 

બસ

બસ

અનેક સરકાર બદલાઈ પરંતુ તેમની સમસ્યા ત્યાંની ત્યાં જ

આઝાદીના 75 વર્ષ વીત્યા પછી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોને લાગ્યું કે તેમનો સંઘર્ષ પૂરો થયો છે. કારણ કે બસની સુવિધા ગામમાં પહોચાડવા ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆતનો હજી સુધી કોઈ ઉકેલ ન આવ્યો હતો. પરંતુ જ્યારે એસટી બસ તેમના ગામમાં આવી ત્યારે ખુશ થઈ બસને દુલ્હનની જેમ શણગારી હતી અને સેંકડો બાઈકસવારોએ સરઘસ કાઢી, બસ આવવાની ઉજવણી કરી હતી. તેમજ બસ આગળ કુંવારી કન્યાઓ માથે કળશ મુકીને ચાલતી હતી. 

બસ

બાળકોની ખુશી

આટલા વર્ષો બાદ પણ વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે અનેક ગામ  

જો આપણે આઝાદીના વર્ષોને ન ગણીએ તો પણ આ ગામને એસટી બસ સેવાનો લાભ મેળવવામાં ઘણો વિલંબ થયો છે. ગુજરાતની સ્થાપના થયા બાદ તે સમયે ગુજરાત સરકાર પાસે કુલ 1767 બસો હતી જે આજે 8703 થઈ ગઈ છે. આ આંકડા જીએસઆરટીસી વેબસાઈટ અનુસાર છે. ગુજરાતનું વિકાસ મોડલ બતાવી ભાજપ સરકાર એક તરફ આ વાત પર ગૌરવ અનુભવી રહી છે ત્યારે શું તાપીનું આ ગામ ગુજરાતમાં નથી આવતું? આવા તો અનેક ગામો હશે જ્યાં આવી મુસીબતનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે. આટલા વર્ષોથી આવા ગામો  વિકાસથી કેમ વંચિત છે તે એક મોટો પ્રશ્ન છે.              

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.