ગુજરાતના વિકાસ મોડલને પડકારતું આ ગામ... 75 વર્ષ બાદ ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોએ કાઢી શોભાયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:45:13

ઓગસ્ટ મહિનામાં દેશે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલી ઉજવણી સૌએ જોઈ પરંતુ અનેક ભારતના તો ઠીક ગુજરાતમાં પણ એવા અનેક ગામો છે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. આજે એવા જ એક ગામની વાત કરવી છે જ્યાં 75 વર્ષ પછી સરકારી બસની સેવા શરૂ થઈ. શહેરના લોકોની સામે જ્યારે સરકારી બસ સુવિધાની વાત એકદમ સામાન્ય લાગે. પરંતુ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસ.ટી બસ આવતા લોકોના ઉત્સાહનો પાર ન રહ્યો. 

બસને દુલ્હનની જેમ શણગારી ગ્રામજનોએ શોભાયાત્રા કાઢી 

શહેરમાં રહેતા લોકો માટે ગામમાં રહેતા લોકોની તકલીફ સમજવી ઘણી મુશ્કીલ હોય છે. શહેરના લોકોને જે સુવિધા મળે છે તેવી સુવિધા મેળવવા ગ્રામજનોએ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સરકારી બસની સુવિધા શહેરના લોકો માટે એકદમ સામાન્ય વાત હોય છે જ્યારે એ જ સરકારી બસને પોતાના ગામમાં આવતી જોઈ ગ્રામજનોની ખુશીનો પાર નથી રહેતો. બસ આવવાની ખુશીમાં ગામના લોકોએ બસને શણગારી બસની શોભાયાત્રા કાઢે છે. 

બસ

બસ

અનેક સરકાર બદલાઈ પરંતુ તેમની સમસ્યા ત્યાંની ત્યાં જ

આઝાદીના 75 વર્ષ વીત્યા પછી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોને લાગ્યું કે તેમનો સંઘર્ષ પૂરો થયો છે. કારણ કે બસની સુવિધા ગામમાં પહોચાડવા ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆતનો હજી સુધી કોઈ ઉકેલ ન આવ્યો હતો. પરંતુ જ્યારે એસટી બસ તેમના ગામમાં આવી ત્યારે ખુશ થઈ બસને દુલ્હનની જેમ શણગારી હતી અને સેંકડો બાઈકસવારોએ સરઘસ કાઢી, બસ આવવાની ઉજવણી કરી હતી. તેમજ બસ આગળ કુંવારી કન્યાઓ માથે કળશ મુકીને ચાલતી હતી. 

બસ

બાળકોની ખુશી

આટલા વર્ષો બાદ પણ વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે અનેક ગામ  

જો આપણે આઝાદીના વર્ષોને ન ગણીએ તો પણ આ ગામને એસટી બસ સેવાનો લાભ મેળવવામાં ઘણો વિલંબ થયો છે. ગુજરાતની સ્થાપના થયા બાદ તે સમયે ગુજરાત સરકાર પાસે કુલ 1767 બસો હતી જે આજે 8703 થઈ ગઈ છે. આ આંકડા જીએસઆરટીસી વેબસાઈટ અનુસાર છે. ગુજરાતનું વિકાસ મોડલ બતાવી ભાજપ સરકાર એક તરફ આ વાત પર ગૌરવ અનુભવી રહી છે ત્યારે શું તાપીનું આ ગામ ગુજરાતમાં નથી આવતું? આવા તો અનેક ગામો હશે જ્યાં આવી મુસીબતનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે. આટલા વર્ષોથી આવા ગામો  વિકાસથી કેમ વંચિત છે તે એક મોટો પ્રશ્ન છે.              

 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"