ગુજરાતના વિકાસ મોડલને પડકારતું આ ગામ... 75 વર્ષ બાદ ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોએ કાઢી શોભાયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:45:13

ઓગસ્ટ મહિનામાં દેશે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલી ઉજવણી સૌએ જોઈ પરંતુ અનેક ભારતના તો ઠીક ગુજરાતમાં પણ એવા અનેક ગામો છે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. આજે એવા જ એક ગામની વાત કરવી છે જ્યાં 75 વર્ષ પછી સરકારી બસની સેવા શરૂ થઈ. શહેરના લોકોની સામે જ્યારે સરકારી બસ સુવિધાની વાત એકદમ સામાન્ય લાગે. પરંતુ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસ.ટી બસ આવતા લોકોના ઉત્સાહનો પાર ન રહ્યો. 

બસને દુલ્હનની જેમ શણગારી ગ્રામજનોએ શોભાયાત્રા કાઢી 

શહેરમાં રહેતા લોકો માટે ગામમાં રહેતા લોકોની તકલીફ સમજવી ઘણી મુશ્કીલ હોય છે. શહેરના લોકોને જે સુવિધા મળે છે તેવી સુવિધા મેળવવા ગ્રામજનોએ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સરકારી બસની સુવિધા શહેરના લોકો માટે એકદમ સામાન્ય વાત હોય છે જ્યારે એ જ સરકારી બસને પોતાના ગામમાં આવતી જોઈ ગ્રામજનોની ખુશીનો પાર નથી રહેતો. બસ આવવાની ખુશીમાં ગામના લોકોએ બસને શણગારી બસની શોભાયાત્રા કાઢે છે. 

બસ

બસ

અનેક સરકાર બદલાઈ પરંતુ તેમની સમસ્યા ત્યાંની ત્યાં જ

આઝાદીના 75 વર્ષ વીત્યા પછી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોને લાગ્યું કે તેમનો સંઘર્ષ પૂરો થયો છે. કારણ કે બસની સુવિધા ગામમાં પહોચાડવા ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆતનો હજી સુધી કોઈ ઉકેલ ન આવ્યો હતો. પરંતુ જ્યારે એસટી બસ તેમના ગામમાં આવી ત્યારે ખુશ થઈ બસને દુલ્હનની જેમ શણગારી હતી અને સેંકડો બાઈકસવારોએ સરઘસ કાઢી, બસ આવવાની ઉજવણી કરી હતી. તેમજ બસ આગળ કુંવારી કન્યાઓ માથે કળશ મુકીને ચાલતી હતી. 

બસ

બાળકોની ખુશી

આટલા વર્ષો બાદ પણ વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે અનેક ગામ  

જો આપણે આઝાદીના વર્ષોને ન ગણીએ તો પણ આ ગામને એસટી બસ સેવાનો લાભ મેળવવામાં ઘણો વિલંબ થયો છે. ગુજરાતની સ્થાપના થયા બાદ તે સમયે ગુજરાત સરકાર પાસે કુલ 1767 બસો હતી જે આજે 8703 થઈ ગઈ છે. આ આંકડા જીએસઆરટીસી વેબસાઈટ અનુસાર છે. ગુજરાતનું વિકાસ મોડલ બતાવી ભાજપ સરકાર એક તરફ આ વાત પર ગૌરવ અનુભવી રહી છે ત્યારે શું તાપીનું આ ગામ ગુજરાતમાં નથી આવતું? આવા તો અનેક ગામો હશે જ્યાં આવી મુસીબતનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે. આટલા વર્ષોથી આવા ગામો  વિકાસથી કેમ વંચિત છે તે એક મોટો પ્રશ્ન છે.              

 



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.