પાટણના આ યુવાને કરી બતાવ્યું કે કોઈ ધંધા છોટા નહિ હોતા, અને ગધેડાનું ફાર્મ ખોલી દીધું


  • Published By :
  • Published Date : 2023-10-10 06:05:22

કોઈને ગધેડો કહેવું એ એક પ્રકારે મૂરખ કહેવા સમાન માનવામાં આવે છે. એના સિવાય ઘણા લોકો સામાન્ય વાતચીતમાં સતત કામ કરનારાને 'ગધેડાની જેમ કામ કરનાર' પણ કહે છે. 

ભારતમાં ગધેડાનો ઉપયોગ મોટાભાગે ભાર વહન કરવા માટે થતો રહ્યો છે પરંતુ વાહનો આવ્યા બાદ ગધેડાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે...જોકે, હવે એવી વાત સામે આવી રહી છે જેના કારણે કદાચ તેની સંખ્યા વધારવામાં લોકોની દિલચસ્પી વધે. 

પાટણ જિલ્લાના મણુંદ ગામે અમે ડોન્કી ફાર્મ જોયું જે જોઈને અમે પણ વિચારમાં પડી ગયા કે શું ડોન્કી ફાર્મ પણ હોય ? તો અમે ત્યાં હાજર ધીરેન સોલંકી નામના યુવાનને મળ્યા જે આ ડોન્કી ફાર્મના માલિક છે. તેમણે જે વાત અમને કરી તે સાંભળી આપ પણ વિચારમાં પડી જશો, ધીરેન ભાઇએ અમને જણાવ્યું કે આ ગધેડીનો ઉછેર કરી તેના દૂધ અને મળ મૂત્રથી અમે મહિને લાખો રૂપિયા કમાઈ લઈએ છીએ. આ સાંભળી અમે ધીરેન ભાઈ સાથે આગળ વાત કરી જાણ્યું કે આ ડોન્કી ફાર્મ ખોલવાનું વિચાર કેવી રીતે આવ્યો, 

અધધ.. ગધેડીનું દૂધ 7,000 રૂપિયા લીટર ? એક કિલો દૂધના પાવડરના 70,000 રૂપિયા !

ગધેડીના દૂધમાં અનેક પોષક તત્વો હોય છે જેના કારણે માર્કેટમાં તેનો ભાવ પણ વધુ હોય છે આ દૂધ સૌથી વધુ સાઉથ ઇન્ડિયામાં અને આ દૂધનો પાવડર વિદેશોમાં જતો હોય છે. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ તત્વો ખુબ મળી આવે છે. જ્યારે દૂધમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે. આ સિવાય જો સ્વાસ્થ્યના રૂપે જોવામાં આવે તો ગધેડીનું દૂધ આંતરડાનું સંક્રમણ કરે છે. માથાના દુઃખાવા માટે સારું છે. તેમાં લેક્ટોજ ઇંટોલેરેન્ટસ હોય છે. તે ઓસ્ટીયોપોરોસીસ માટે ઉપયોગી છે. તેમજ પ્રતિરક્ષા પ્રણાલી વધારે છે. તેમજ વાળ અને સૌંદર્ય માટે ફાયદાકારક છે. સિવાય એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, આર્જેન્ટીમાં પોતાના બાળપણમાં “માં”ના દુધના વિકલ્પમાં ગધેડીના દુધ આપવામાં આવતું હતું. સાથે જ ઉત્પાદન ઓછું હોવાથી તે ખુબ જ મોઘું મળે છે. ભારતના અને વિશ્વના બજારોમાં ગધેડીનું દૂધ લિટરે 5,000થી 7,000ની કિંમતમાં વેચાય છે અને દૂધમાંથી બનેલું પાવડર 70,000 રૂપિયા કિલો વેચાય છે

હલારી નસ્લની ખાસિયત

આ પ્રજાતિ ગુજરાતમાં મળી આવે છે. જેના દૂધને દવાનો ખજાનો ગણવામાં આવે છે. હલારી પ્રજાતિની ગધેડીમાં કેન્સર, મોટાપો, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની પુષ્કળ ક્ષમતા હોય છે. અનેકવાર ગાય કે ભેંસના દૂધથી નાના બાળકોને એલર્જી થાય છે પરંતુ હલારી પ્રજાતિની ગધેડીના દૂધથી ક્યારેય એલર્જી થતી નથી. હલારી નસ્લના ગધેડા સફેદ હોય છે. તેનું કદ કાઠી મજબુત અને સામાન્ય હોય છે. હરિયાણાના કરનાલ સ્થિત રાષ્ટ્રીય પશુ અનુવાંશિક સંસાધન બ્યુરો એ પણ તેના પર રીસર્ચ કરીને તેને ખાસ પ્રકારના ગધેડા જણાવ્યા છે. આ સિવાય જો સ્વાસ્થ્યના રૂપે જોવામાં આવે તો ગધેડીનું દૂધ આંતરડાનું સંક્રમણ કરે છે. માથાના દુઃખાવા માટે સારું છે. તેમાં લેક્ટોજ ઇંટોલેરેન્ટસ હોય છે. તે ઓસ્ટીયોપોરોસીસ માટે ઉપયોગી છે. તેમજ પ્રતિરક્ષા પ્રણાલી વધારે છે. તેમજ વાળ અને સૌંદર્ય માટે ફાયદાકારક છે

 

ડોન્કી ફાર્મ આખાય ગુજરાતમાં ક્યાંય નથી !

ગધેડાઓનો ઉછેર કરતા ધીરેન ભાઇએ એમને જણાવ્યું કે તેમનું ડોન્કી ફાર્મ આખા ગુજરાતમાં નહિ પરંતુ આખાય નોર્થ ઈન્ડિયાનું પહેલું ફાર્મ છે. તેમણે ઓનલાઇન જોઈને આ ધંધાની શરૂઆત કરી હતી અને તેમને એ પણ વિચાર આવ્યો હતો કે ગધેડા તો લાવીશું પણ, એનું દૂધ ક્યાં વેચિશું ? તેનો રસ્તો કાઢવા મટે તેમણે ઓનલાઇન સર્ચ કરી સંશોધન કર્યું અને તેમણે સાઉથની કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યા અને તેમને દૂધ મોકલવાનું શરૂ કર્યું. પણ આ દૂધ જો કોલકત્તા અને સાઉથના અન્ય શહેરોમાં હજારો કિલોમીટર દૂર જાય તો બગડવાની શક્યતાઓ રહે ! પણ તેનો રસ્તો પણ ધીરેન ભાઈએ કાઢી લીધો, આમ તો ગધેડીનું દૂધ ત્રણ મહિના સુધી નથી બગડતું પણ જો તે ડીપ ફ્રીજમાં રહે તો જ..માઈન્સ ચાર ડિગ્રીમાં દૂધની બોટલો પહોચાડવા માટે તેઓ આઇસ બોક્ષનો વિચાર કર્યો અને બોટલોની ઉપર નીચે બરફના થર મૂકી એક્ષપોર્ટ કરવાનું શરૂ કરી દીધું અને પછી શું...ધીરેન ભાઈની ગાડી ચાલી પડી અને ડોન્કી ફાર્મના ધંધામાં ધીરે ધીરે સફળ થતા ગયા. આજે તેઓ TDS ડોન્કી ફાર્મની પોતાની વેબસાઈટ પણ ધરાવે છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.