RTIના નામે તોડબાજી કરનારાઓ હવે ચેતી જજો, રાજ્ય સરકારે આપ્યા આવા આદેશ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-01 16:31:42

RTI એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન...RTIથી તમે કોઈ પણ સરકારી સત્તામંડળની માહિતી અને તેના કામની માહિતી માંગી શકો છે. પણ RTIના આ કાયદાનો કેટલાક લોકો ખોટો ઉપયોગ કરી તોડબાજી કરતા હોય છે. જે બાબતે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જો RTIનો દુરુપયોગ કર્યો તો હવે ખેર નથી કારણ કે આવા તોડબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે! 

તોડબાજી કરનાર વિરૂદ્ધ અપનાવાયું કડક વલણ!

RTI હેઠળ સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે. RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આરટીઆઈનો દુરઉપયોગ કરી ગાંધીનગરમાં શાળા સંચાકલોને બ્લેક મેઈલ કરી કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રી દ્વારા કડક વલણ અપનાવ્યું છે. સાથે જ તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવી. તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે પણ કાર્યવાહીની સૂચના આપી હતી. 



શાળા સંચાલકોને ધમકાવી પડાવ્યા કરોડો રૂપિયા!

મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા.જેમાં મહેન્દ્ર પટેલે 18 શાળાનાં સંચાલકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે આ બાબતે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અને આવું નહિ ચલાવી લેવાય તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે.



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.