RTIના નામે તોડબાજી કરનારાઓ હવે ચેતી જજો, રાજ્ય સરકારે આપ્યા આવા આદેશ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 16:31:42

RTI એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન...RTIથી તમે કોઈ પણ સરકારી સત્તામંડળની માહિતી અને તેના કામની માહિતી માંગી શકો છે. પણ RTIના આ કાયદાનો કેટલાક લોકો ખોટો ઉપયોગ કરી તોડબાજી કરતા હોય છે. જે બાબતે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જો RTIનો દુરુપયોગ કર્યો તો હવે ખેર નથી કારણ કે આવા તોડબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે! 

તોડબાજી કરનાર વિરૂદ્ધ અપનાવાયું કડક વલણ!

RTI હેઠળ સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે. RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આરટીઆઈનો દુરઉપયોગ કરી ગાંધીનગરમાં શાળા સંચાકલોને બ્લેક મેઈલ કરી કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રી દ્વારા કડક વલણ અપનાવ્યું છે. સાથે જ તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવી. તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે પણ કાર્યવાહીની સૂચના આપી હતી. 



શાળા સંચાલકોને ધમકાવી પડાવ્યા કરોડો રૂપિયા!

મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા.જેમાં મહેન્દ્ર પટેલે 18 શાળાનાં સંચાલકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે આ બાબતે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અને આવું નહિ ચલાવી લેવાય તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે