જે નેતાઓને ભાજપમાં જોડાવું હોય તે જતા રહો- કમલનાથનું નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 10:25:40

રાહુલ ગાંધી એક તરફ ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને એક કરવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી ભાજપમાં જઈ રહ્યા છે તે બધા વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટિપટ્ટણી કરી છે. તેમણે કહ્યું કે જેને પણ કોંગ્રેસ છોડીને જવું હોય તેઓ જઈ શકે છે. જો કોઈ ભાજપમાં જવા માગતો હોય તો બિલકુલ જાય. અમે કોઈને રોકવા માગતા નથી. જો કોઈના વિચાર ભાજપ સાથે મેચ થતા હોય તો તેમના જવા માટે હું મારી ગાડી આપીશ. વધુમાં તેમણે કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય.

  

અનેક દિગ્ગજ નેતાઓ ધારણ કર્યો છે કેસરિયો

કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગોવા કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તો કેપ્ટન અમરિંદર, કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સિંધ્યા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી અલગ થયા છે. અનેક ભાજપમાં જોડાયા છે તો અમુક લોકોએ પોતાની નવી પાર્ટી બનાવી છે. 

35% of MPs/MLAs who switched parties between 2014-2021 joined BJP; most  defectors from Congress: ADR report

Offered to resign 3 weeks ago: Captain Amarinder Singh - Hindustan Times

શું છે નિષ્ણાંતોનું માનવું

જ્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક જૂથ રાખવાના પ્રયાસો કરાવા જોઈએ ત્યારે કમલનાથના આ નિવેદનથી કોંગ્રેસને મોટુ નુકસાન થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.