જે નેતાઓને ભાજપમાં જોડાવું હોય તે જતા રહો- કમલનાથનું નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 10:25:40

રાહુલ ગાંધી એક તરફ ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને એક કરવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી ભાજપમાં જઈ રહ્યા છે તે બધા વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટિપટ્ટણી કરી છે. તેમણે કહ્યું કે જેને પણ કોંગ્રેસ છોડીને જવું હોય તેઓ જઈ શકે છે. જો કોઈ ભાજપમાં જવા માગતો હોય તો બિલકુલ જાય. અમે કોઈને રોકવા માગતા નથી. જો કોઈના વિચાર ભાજપ સાથે મેચ થતા હોય તો તેમના જવા માટે હું મારી ગાડી આપીશ. વધુમાં તેમણે કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય.

  

અનેક દિગ્ગજ નેતાઓ ધારણ કર્યો છે કેસરિયો

કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગોવા કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તો કેપ્ટન અમરિંદર, કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સિંધ્યા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી અલગ થયા છે. અનેક ભાજપમાં જોડાયા છે તો અમુક લોકોએ પોતાની નવી પાર્ટી બનાવી છે. 

35% of MPs/MLAs who switched parties between 2014-2021 joined BJP; most  defectors from Congress: ADR report

Offered to resign 3 weeks ago: Captain Amarinder Singh - Hindustan Times

શું છે નિષ્ણાંતોનું માનવું

જ્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક જૂથ રાખવાના પ્રયાસો કરાવા જોઈએ ત્યારે કમલનાથના આ નિવેદનથી કોંગ્રેસને મોટુ નુકસાન થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.