જે નેતાઓને ભાજપમાં જોડાવું હોય તે જતા રહો- કમલનાથનું નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 10:25:40

રાહુલ ગાંધી એક તરફ ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને એક કરવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી ભાજપમાં જઈ રહ્યા છે તે બધા વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટિપટ્ટણી કરી છે. તેમણે કહ્યું કે જેને પણ કોંગ્રેસ છોડીને જવું હોય તેઓ જઈ શકે છે. જો કોઈ ભાજપમાં જવા માગતો હોય તો બિલકુલ જાય. અમે કોઈને રોકવા માગતા નથી. જો કોઈના વિચાર ભાજપ સાથે મેચ થતા હોય તો તેમના જવા માટે હું મારી ગાડી આપીશ. વધુમાં તેમણે કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય.

  

અનેક દિગ્ગજ નેતાઓ ધારણ કર્યો છે કેસરિયો

કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગોવા કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તો કેપ્ટન અમરિંદર, કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સિંધ્યા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી અલગ થયા છે. અનેક ભાજપમાં જોડાયા છે તો અમુક લોકોએ પોતાની નવી પાર્ટી બનાવી છે. 

35% of MPs/MLAs who switched parties between 2014-2021 joined BJP; most  defectors from Congress: ADR report

Offered to resign 3 weeks ago: Captain Amarinder Singh - Hindustan Times

શું છે નિષ્ણાંતોનું માનવું

જ્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક જૂથ રાખવાના પ્રયાસો કરાવા જોઈએ ત્યારે કમલનાથના આ નિવેદનથી કોંગ્રેસને મોટુ નુકસાન થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.