Christmas Vacationને લઈ હજારો પર્યટકો Hill Station પહોંચ્યા, Manaliમાં એટલી બધી ભીડ છે કે... જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-12-26 12:11:05

ક્રિસમસ વેકેશનમાં અનેક લોકો બહાર ફરવા જતા હોય છે. હિલ સ્ટેશનમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં લાંબી લાઈનો વાહનોની જોવા મળી. કલાકો સુધી વાહનો ખસે નહીં તેવી પરિસ્થિતિ હતી. હિલસ્ટેશનથી અનેક ફોટા સામે આવ્યા છે જેને જોઈ ચિંતા વધી જશે કોરોનાને કારણે... એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો બહારગામ જઈ રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી શકે છે.

 તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસમાં લગભગ 40,000 વાહનો અટલ ટનલને પાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત 23મી ડિસેમ્બરે કુલ્લુ જિલ્લામાં લગભગ 14,000 વાહનો આવ્યા છે, જ્યારે 24મી ડિસેમ્બરે 15,000થી વધુ વાહનો આવ્યા છે, જ્યારે સોમવારે સાંજે 5 વાગ્યા સુધી કુલ્લુમાં લગભગ 13,000 વાહનો આવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે કુલ્લુ જિલ્લામાં લગભગ 400 પોલીસ કર્મચારીઓ ટ્રાફિક ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા છે.

 મનાલીમાં પ્રવાસીઓના ધસારાને કારણે મોલ રોડ પ્રવાસીઓથી ભરચક છે. બીજી તરફ માર્ગો પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. મનાલી પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે કટિબદ્ધ છે.

હિલસ્ટેશન પર્યટકોથી ઉભરાયું! 

દિવાળીના સમયે અને ક્રિસમસના સમયે અનેક લોકો ફરવા જતા હોય છે. આ સમય દરમિયાન હોટલો ફૂલ થઈ જતી હોય છે. સહેલાણીઓ ઉમટી પડતા હોય છે જેને કારણે હોટલના ભાવમાં પણ તોતિંગ વધારો થતો હોય છે. ત્યારે આ વખતે ક્રિસમસ વેકેશનને ધ્યાનમાં રાખી લોકો હિલસ્ટેશનમાં ફરવા નિકળ્યા છે. અનેક હિલસ્ટેશનો એવા છે જ્યાં એટલા બધા લોકો ભેગા થયા થઈ ગયા છે કે પડે તેવા કકડા થઈ જાય તેવી હાલત છે. હિમાચલ પ્રદેશના મનાલીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે. 

 ASP કુલ્લુ સંજીવ ચૌહાણે જણાવ્યું કે મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા વધારાના પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

 પ્રશાસને મનાલીના મોલ રોડ પર પ્રવાસીઓ માટે ક્રિસમસ અને નવા વર્ષ પર ડીજેની પણ વ્યવસ્થા કરી છે. સોમવારે સાંજે અહીં પ્રવાસીઓ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ ભીડ કોરોનાને આમંત્રણ આપી શકે છે!

મહત્વનું છે કે ન માત્ર મનાલીમાં પરંતુ અનેક હિલ સ્ટેશનો એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ હાલ જોવા મળી હશે. અનેક ટ્રેનો ફૂલ છે તો જ્યારે અનેક વાહનોને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. મહત્વનું છે એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ લોકો બિન્દાસ્ત બની ફરી રહ્યા છે. આવનાર દિવસોમાં  કોરોનાના કેસ વધી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સમાચાર ડરાવવા માટે નથી પરંતુ જાગૃતિ આવે તે માટે છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.