Christmas Vacationને લઈ હજારો પર્યટકો Hill Station પહોંચ્યા, Manaliમાં એટલી બધી ભીડ છે કે... જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-12-26 12:11:05

ક્રિસમસ વેકેશનમાં અનેક લોકો બહાર ફરવા જતા હોય છે. હિલ સ્ટેશનમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં લાંબી લાઈનો વાહનોની જોવા મળી. કલાકો સુધી વાહનો ખસે નહીં તેવી પરિસ્થિતિ હતી. હિલસ્ટેશનથી અનેક ફોટા સામે આવ્યા છે જેને જોઈ ચિંતા વધી જશે કોરોનાને કારણે... એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો બહારગામ જઈ રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી શકે છે.

 તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસમાં લગભગ 40,000 વાહનો અટલ ટનલને પાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત 23મી ડિસેમ્બરે કુલ્લુ જિલ્લામાં લગભગ 14,000 વાહનો આવ્યા છે, જ્યારે 24મી ડિસેમ્બરે 15,000થી વધુ વાહનો આવ્યા છે, જ્યારે સોમવારે સાંજે 5 વાગ્યા સુધી કુલ્લુમાં લગભગ 13,000 વાહનો આવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે કુલ્લુ જિલ્લામાં લગભગ 400 પોલીસ કર્મચારીઓ ટ્રાફિક ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા છે.

 મનાલીમાં પ્રવાસીઓના ધસારાને કારણે મોલ રોડ પ્રવાસીઓથી ભરચક છે. બીજી તરફ માર્ગો પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. મનાલી પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે કટિબદ્ધ છે.

હિલસ્ટેશન પર્યટકોથી ઉભરાયું! 

દિવાળીના સમયે અને ક્રિસમસના સમયે અનેક લોકો ફરવા જતા હોય છે. આ સમય દરમિયાન હોટલો ફૂલ થઈ જતી હોય છે. સહેલાણીઓ ઉમટી પડતા હોય છે જેને કારણે હોટલના ભાવમાં પણ તોતિંગ વધારો થતો હોય છે. ત્યારે આ વખતે ક્રિસમસ વેકેશનને ધ્યાનમાં રાખી લોકો હિલસ્ટેશનમાં ફરવા નિકળ્યા છે. અનેક હિલસ્ટેશનો એવા છે જ્યાં એટલા બધા લોકો ભેગા થયા થઈ ગયા છે કે પડે તેવા કકડા થઈ જાય તેવી હાલત છે. હિમાચલ પ્રદેશના મનાલીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે. 

 ASP કુલ્લુ સંજીવ ચૌહાણે જણાવ્યું કે મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા વધારાના પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

 પ્રશાસને મનાલીના મોલ રોડ પર પ્રવાસીઓ માટે ક્રિસમસ અને નવા વર્ષ પર ડીજેની પણ વ્યવસ્થા કરી છે. સોમવારે સાંજે અહીં પ્રવાસીઓ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ ભીડ કોરોનાને આમંત્રણ આપી શકે છે!

મહત્વનું છે કે ન માત્ર મનાલીમાં પરંતુ અનેક હિલ સ્ટેશનો એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ હાલ જોવા મળી હશે. અનેક ટ્રેનો ફૂલ છે તો જ્યારે અનેક વાહનોને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. મહત્વનું છે એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ લોકો બિન્દાસ્ત બની ફરી રહ્યા છે. આવનાર દિવસોમાં  કોરોનાના કેસ વધી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સમાચાર ડરાવવા માટે નથી પરંતુ જાગૃતિ આવે તે માટે છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.