India-Pak મેચ પહેલા Narendra Modi સ્ટેડિયમને મળી ઉડાવવાની ધમકી, પૂછપરછ દરમિયાન ખબર પડી કે ધમકી આપનાર તો....


  • Published By :
  • Published Date : 2023-10-12 12:02:38

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ યોજાવાની હોય ત્યારે મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ઘણી વાર એવા પણ દર્શકો હોય છે જેમને મેચમાં વધારે ખબર ન પડતી હોય પરંતુ ભારત અને પાકિસ્તાનની મેચ છે તે માટે તેઓ જોવા આવતા હોય છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. મેચને લઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી ભરેલો ઈ-મેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આરોપીને પકડી પણ લેવામાં આવ્યો છે. 

ipl 2023 narendra modi stadium parking free shuttle service - નરેન્દ્ર મોદી  ક્રિકેટ સ્ટેડિયમમાં IPL દૂરના પાર્કિંગથી ગેટ સુધી લઈ જવા 'ફ્રી શટલ સર્વિસ'  News18 Gujarati

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની આપી હતી ધમકી 

આવતી 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ છે તેના પહેલા સમાચાર આવ્યા કે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ કર્યો છે. મામલો અતિ ગંભીર હોવાના કારણે પોલીસે તપાસ કરી અને આરોપીને પકડી લીધો. તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આરોપી તો માનસીક રીતે બીમાર છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ધમકી મળતા જ અમદાવાદ પોલીસે જબરદસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાના કારણે મામલો ગંભીર હતો. આથી ગુજરાત પોલીસ સહિત કેન્દ્રની એજન્સીની પણ વોચ બેસાડી દેવામાં આવી હતી. 

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL-14ની આ ધુરંધર ટીમો લેશે ટક્કર - BBC  News ગુજરાતી

તપાસ દરમિયાન પોલીસને મળી ચોંકાવનારી માહિતી

ધમકી કોણે આપી તે મામલે પોલીસે તપાસ આરંભી. અને અંતે ગુજરાત પોલીસે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. રાજકોટથી કરણ માળી નામના વ્યક્તિને ગુજરાત પોલીસે ઉઠાવી લીધો હતો. કરણ માળીએ જ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે કરણ માળીને ઉઠાવ્યો અને પૂછપરછ કરી તો મહત્વની વિગતો સામે આવી છે. કરણ માળી મૂળ મધ્યપ્રદેશનો છે અને પોતે વીડિયો બ્લોગિંગ કરે છે. હાલ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પણ પૂછપરછ દરમિયાન એવી વિગતો સામે આવી છે જે તમને ચોંકાવી દે તેવી છે. 

ફરી ભારત-પાકિસ્તાન મેચ પર વિવાદના વંટોળ! જો મેચ રદ્દ નહીં થાય તો પીચ ખોદી  નાંખીશું, આ નેતાએ આપી ધમકી


હતાશા દૂર કરવા સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી!

ધમકી આપનાર કરણ માળી માનસીક રીતે બીમાર હતો એવી માહિતી હાલ મળી રહી છે. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કરણ માળીની પ્રેમિકા તેના મિત્ર સાથે ભાગી ગઈ હતી એટલે તે માનસીક રીતે તણાવમાં હતો. હતાશા દૂર કરવા તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવા ફોન કર્યો હતો. મહત્વનું છે કે આવા ધમકી ભર્યા ફોન અનેક વખત પોલીસને અથવા તો સુરક્ષાબળોન મળતા હોય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.