India-Pak મેચ પહેલા Narendra Modi સ્ટેડિયમને મળી ઉડાવવાની ધમકી, પૂછપરછ દરમિયાન ખબર પડી કે ધમકી આપનાર તો....


  • Published By :
  • Published Date : 2023-10-12 12:02:38

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ યોજાવાની હોય ત્યારે મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ઘણી વાર એવા પણ દર્શકો હોય છે જેમને મેચમાં વધારે ખબર ન પડતી હોય પરંતુ ભારત અને પાકિસ્તાનની મેચ છે તે માટે તેઓ જોવા આવતા હોય છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. મેચને લઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી ભરેલો ઈ-મેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આરોપીને પકડી પણ લેવામાં આવ્યો છે. 

ipl 2023 narendra modi stadium parking free shuttle service - નરેન્દ્ર મોદી  ક્રિકેટ સ્ટેડિયમમાં IPL દૂરના પાર્કિંગથી ગેટ સુધી લઈ જવા 'ફ્રી શટલ સર્વિસ'  News18 Gujarati

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની આપી હતી ધમકી 

આવતી 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ છે તેના પહેલા સમાચાર આવ્યા કે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ કર્યો છે. મામલો અતિ ગંભીર હોવાના કારણે પોલીસે તપાસ કરી અને આરોપીને પકડી લીધો. તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આરોપી તો માનસીક રીતે બીમાર છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ધમકી મળતા જ અમદાવાદ પોલીસે જબરદસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાના કારણે મામલો ગંભીર હતો. આથી ગુજરાત પોલીસ સહિત કેન્દ્રની એજન્સીની પણ વોચ બેસાડી દેવામાં આવી હતી. 

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL-14ની આ ધુરંધર ટીમો લેશે ટક્કર - BBC  News ગુજરાતી

તપાસ દરમિયાન પોલીસને મળી ચોંકાવનારી માહિતી

ધમકી કોણે આપી તે મામલે પોલીસે તપાસ આરંભી. અને અંતે ગુજરાત પોલીસે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. રાજકોટથી કરણ માળી નામના વ્યક્તિને ગુજરાત પોલીસે ઉઠાવી લીધો હતો. કરણ માળીએ જ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે કરણ માળીને ઉઠાવ્યો અને પૂછપરછ કરી તો મહત્વની વિગતો સામે આવી છે. કરણ માળી મૂળ મધ્યપ્રદેશનો છે અને પોતે વીડિયો બ્લોગિંગ કરે છે. હાલ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પણ પૂછપરછ દરમિયાન એવી વિગતો સામે આવી છે જે તમને ચોંકાવી દે તેવી છે. 

ફરી ભારત-પાકિસ્તાન મેચ પર વિવાદના વંટોળ! જો મેચ રદ્દ નહીં થાય તો પીચ ખોદી  નાંખીશું, આ નેતાએ આપી ધમકી


હતાશા દૂર કરવા સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી!

ધમકી આપનાર કરણ માળી માનસીક રીતે બીમાર હતો એવી માહિતી હાલ મળી રહી છે. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કરણ માળીની પ્રેમિકા તેના મિત્ર સાથે ભાગી ગઈ હતી એટલે તે માનસીક રીતે તણાવમાં હતો. હતાશા દૂર કરવા તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવા ફોન કર્યો હતો. મહત્વનું છે કે આવા ધમકી ભર્યા ફોન અનેક વખત પોલીસને અથવા તો સુરક્ષાબળોન મળતા હોય છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.