India-Pak મેચ પહેલા Narendra Modi સ્ટેડિયમને મળી ઉડાવવાની ધમકી, પૂછપરછ દરમિયાન ખબર પડી કે ધમકી આપનાર તો....


  • Published By :
  • Published Date : 2023-10-12 12:02:38

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ યોજાવાની હોય ત્યારે મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ઘણી વાર એવા પણ દર્શકો હોય છે જેમને મેચમાં વધારે ખબર ન પડતી હોય પરંતુ ભારત અને પાકિસ્તાનની મેચ છે તે માટે તેઓ જોવા આવતા હોય છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 14 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. મેચને લઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી ભરેલો ઈ-મેલ મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આરોપીને પકડી પણ લેવામાં આવ્યો છે. 

ipl 2023 narendra modi stadium parking free shuttle service - નરેન્દ્ર મોદી  ક્રિકેટ સ્ટેડિયમમાં IPL દૂરના પાર્કિંગથી ગેટ સુધી લઈ જવા 'ફ્રી શટલ સર્વિસ'  News18 Gujarati

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની આપી હતી ધમકી 

આવતી 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ છે તેના પહેલા સમાચાર આવ્યા કે કોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ કર્યો છે. મામલો અતિ ગંભીર હોવાના કારણે પોલીસે તપાસ કરી અને આરોપીને પકડી લીધો. તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આરોપી તો માનસીક રીતે બીમાર છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ધમકી મળતા જ અમદાવાદ પોલીસે જબરદસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાના કારણે મામલો ગંભીર હતો. આથી ગુજરાત પોલીસ સહિત કેન્દ્રની એજન્સીની પણ વોચ બેસાડી દેવામાં આવી હતી. 

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL-14ની આ ધુરંધર ટીમો લેશે ટક્કર - BBC  News ગુજરાતી

તપાસ દરમિયાન પોલીસને મળી ચોંકાવનારી માહિતી

ધમકી કોણે આપી તે મામલે પોલીસે તપાસ આરંભી. અને અંતે ગુજરાત પોલીસે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. રાજકોટથી કરણ માળી નામના વ્યક્તિને ગુજરાત પોલીસે ઉઠાવી લીધો હતો. કરણ માળીએ જ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે કરણ માળીને ઉઠાવ્યો અને પૂછપરછ કરી તો મહત્વની વિગતો સામે આવી છે. કરણ માળી મૂળ મધ્યપ્રદેશનો છે અને પોતે વીડિયો બ્લોગિંગ કરે છે. હાલ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પણ પૂછપરછ દરમિયાન એવી વિગતો સામે આવી છે જે તમને ચોંકાવી દે તેવી છે. 

ફરી ભારત-પાકિસ્તાન મેચ પર વિવાદના વંટોળ! જો મેચ રદ્દ નહીં થાય તો પીચ ખોદી  નાંખીશું, આ નેતાએ આપી ધમકી


હતાશા દૂર કરવા સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી!

ધમકી આપનાર કરણ માળી માનસીક રીતે બીમાર હતો એવી માહિતી હાલ મળી રહી છે. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કરણ માળીની પ્રેમિકા તેના મિત્ર સાથે ભાગી ગઈ હતી એટલે તે માનસીક રીતે તણાવમાં હતો. હતાશા દૂર કરવા તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવા ફોન કર્યો હતો. મહત્વનું છે કે આવા ધમકી ભર્યા ફોન અનેક વખત પોલીસને અથવા તો સુરક્ષાબળોન મળતા હોય છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.