ભારતના ગૌરવમાં થયો વધારો, UNESCOની લિસ્ટમાં હોયસલાના ત્રણ મંદિરનો સમાવેશ, જાણો મંદિર સાથે જોડાયેલા ઈતિહાસ વિશે...


  • Published By :
  • Published Date : 2023-09-20 17:00:33

ભારતના અનેક સ્થાપત્યો છે જેમને હેરિટેઝ સાઈટનો દરજ્જો મળ્યો છે. ત્યારે કર્ણાટકમાં આવેલા ભારતના ભવ્ય સ્થાપત્ય વારસાનું ઉદાહરણ એવા હોયસાલાના 3 મંદિરોને યુનેસ્કોમાં વૈશ્વિક ધરોહર તરીકે સ્થાન મળ્યું છે- એટલે આ મંદિરો હવે ફક્ત ભારતની નહિ પણ દુનિયા આખાની ધરોહર બની ચુકી છે. આ પહેલા શાંતિનીકેતનને પણ વૈશ્વિક ધરોહરની યાદીમાં જોડવામાં આવ્યું હતું, પણ આજે વાત કરીયે આપણા વારસાના એક ભવ્ય અને સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન કલાકૃતિ એવા હોયસલા મંદિરો વિષે કેમ અન્ય મંદિરો કરતા અલગ છે? શું છે તે મંદિરોની વિશેષતા જેને કારણે તે અલગ તરી આવે છે... .

Hoysala Empire - Wikipedia

कर्नाटक के होयसला मंदिर समूह UNESCO की वर्ल्ड हेरिटेज लिस्ट में शामिल, क्या  है इसका इतिहास! | Hoysala Temple of Karnataka included in UNESCO's World  Heritage List, what is its history! -

યુવાને સિંહની સાથે કરી લડાઈ  

સાલ નામનો એક જુવાનિયો 10મી સદીના તે સમયના કર્ણાટકના જંગલોમાં પોતાના ગુરુ સાથે મુસાફરી કરી રહ્યો હતો, રાની પશુથી ભરેલા જંગલમાં સિંહે હુમલો કર્યો અને આ સાલને ગુરુએ આદેશ આપ્યો કે માર આ સિંહને- જોશમાં યુવાન સિંહની સામે થયો અને સિંહનો તેણે વધ કર્યો. તે લડાઇ દરમિયાન ગુરુ તેને જોશ ચઢાવતા કન્નડમાં બોલતા ''હોય- સાલ..'' જેનો મતલબ થતો હતો કે સાલ હુમલો કર. સમય જતા આ જુવાન રાજા બન્યો જેનો સમય હોયસલા તરીકે જાણીતો થયો - જેની ગાથા ત્યાં બનાવાયેલા દરેક મંદિરમાં સિંહ સાથે લડતી મૂર્તિના રૂપે જોવા મળે છે. 

હોયસલા મંદિરોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ

હવે વાત કરીએ આ મંદિરોની વિશેષતાઓની...


જે 3 મંદિરોને વિશ્વસ્તરે નામના મળી છે તે ત્રણેય કર્ણાટકમાં આવેલા છે, ચેન્નકેશવા મંદિર- બેલુર, હોયનશાલેશ્વર-હેલિબિડ, સોમનાથપુરાના કેશવ મંદિર, પણ હોયસલા સમયમાં લગભગ દોઢ હજારથી વધારે આવા ઉત્કૃષ્ટ મંદિરો બનાવાયા હતા, પણ જેમ અન્ય સ્થાપત્ય સાથે થયું તેમ તેને તોડી પડયા હતાં, આમાના મોટા ભાગના મંદિરોને બનાવડાવાની શરૂઆત કરી હતી હોયસલાના પરાક્રમી રાજા વિષ્ણુવર્ધનના સમયમાં જેને તેનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે.



આ મંદિરોને બનતા 100 વર્ષથી પણ વધુનો સમય થયો હતો- તો શું ખાસ છે આ મંદીરમાં- ચેન્નકેશવ મંદિર વિષ્ણુને માટે જ બનાવડાવામાં આવ્યું છે, જેમાં એટલી બારીક કોતરણી થઇ છે કે પથ્થરો પરની કોતરણીને નરી આંખે જોઈ પણ નહિ શકો, અમુક પથ્થરની મૂર્તિઓની કોતરણી એ રીતે કરાઈ છે કે પ્રકાશ પણ આરપાર જઈ શકે છે,  11મીથી 12મી સદીમાં બનેલા મંદિરમાં રામાયણ- મહાભારતના પૌરાણિક પાત્રો,સમુદ્ર મંથનનું દ્રશ્ય, વિષ્ણુના વરાહ અવતારનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં મંદિરની દિવાલો પર શિવ ઉપરાંત વિષ્ણુ, બ્રહ્મા, દેવી લક્ષ્મી, સરસ્વતી, કૃષ્ણ, ગણેશ, અર્જુન અને મહિષાસુરની તાદ્રશ્ય કોતરણી કરવામાં આવી છે. અહીં ભીષ્મ પિતામહને પણ તેમની મૃત્યુશૈયા પર બતાવવામાં આવ્યા છે.



ચેન્નકેશવ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. હોયસાલા વંશના રાજા વિષ્ણુવર્ધને આ મંદિરનું નિર્માણ 1104-17 વચ્ચે કરાવ્યું હતું. તે કર્ણાટકના બૈલુરમાં છે. કેશવ મંદિર કર્ણાટકના મૈસુરમાં આવેલું છે. તે 1268માં હોયસલા વંશના રાજા નરસિમ્હા ત્રીજાના મંત્રી સોમદનનાયક દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ હોયસાલા સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. આ શૈલી ન તો નાગર હતી નહિ દ્રવિડ. એટલે તેના કલાકૃતિને જોયા બાદ પણ પોતાને કોઈ આર્કિટેક્ટ તરીકે ઓળખાવતું હોય તો તે વિચારમાં પડી જ જશે. 

These 31 New Sites Got UNESCO World Heritage Status

11મી સદીમાં બનેલા સ્થાપત્યોને મળ્યું વૈશ્વિક ધરોહરમાં સ્થાન

મંદિરમાં આવેલા કલાત્મક વિશાળ સ્તંભની કોતરણી જોઈ લોકો અચંબામાં પડી જાય છે, 11મી સદીમાં બનેલા આ મંદિરમાં કઈ રીતે કોઈ આધુનિક મશીનો વગર આ બન્યા હશે તેનો જવાબ મેળવવો જ મુશ્કેલ છે. અને એટલે જ 45મી UNSCO બેઠક જે રિયાધમાં મળી હતી તેમાં ભારતની આ ધરોહરને વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો- આ સાથે તે દેશનું 42મું સ્થાપત્ય બની ગયું છે. 

Karnataka's Hoysala temples inscribed on Unesco World Heritage List

Hoysala साम्राज्य के मंदिर UNESCO की वर्ल्ड हेरिटेज की लिस्ट में शामिल



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.