વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઓઢી મોતની ચાદર, કર્યો સામૂહિક આપઘાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-09 17:04:26

આપઘાતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા અનેક સમાચારો સામે આવે છે જેમાં આપઘાત કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. પારિવારિક, આર્થિક કારણોસર લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના ડભોઈ રિંગ રોડ ખાતે આવેલા દર્શનમ ડુપ્લેક્સમાં રહેતા પરિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.


માસુમ પુત્રએ પણ માતા-પિતા સાથે ટૂંકાવ્યું જીવન  

છેલ્લા અનેક દિવસોથી આપઘાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. નાની નાની વાતમાં લોકો પોતાનો જીવ આપી રહ્યા છે. વડોદરામાં એક નાના પરિવારે પોતાના ઘરમાં સામૂહિક આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈ સભ્યોએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. મળતી માહિતી અનુસાર મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતા. શેરબજારવા કામકાજ સાથે  સંકળાયેલા મિસ્ત્રી પરિવારે સાત વર્ષના માસુમ પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 



સુસાઈડ નોટ લખી દુનિયાને કહ્યું અલવિદા 

મળતી માહિતી અનુસાર દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ મોતને વ્હાલું કર્યું છે. પ્રિતેશભાઈએ પોતાની પત્ની સ્નેહા અને સાત વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર યુવકે પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી તે બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી હતી જેમાં કયા કારણોસર આ પગલું ભરી રહ્યા છે તે જાણી શકાયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.    



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.