વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઓઢી મોતની ચાદર, કર્યો સામૂહિક આપઘાત


  • Published By :
  • Published Date : 2023-01-09 17:04:26

આપઘાતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા અનેક સમાચારો સામે આવે છે જેમાં આપઘાત કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. પારિવારિક, આર્થિક કારણોસર લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના ડભોઈ રિંગ રોડ ખાતે આવેલા દર્શનમ ડુપ્લેક્સમાં રહેતા પરિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.


માસુમ પુત્રએ પણ માતા-પિતા સાથે ટૂંકાવ્યું જીવન  

છેલ્લા અનેક દિવસોથી આપઘાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. નાની નાની વાતમાં લોકો પોતાનો જીવ આપી રહ્યા છે. વડોદરામાં એક નાના પરિવારે પોતાના ઘરમાં સામૂહિક આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈ સભ્યોએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. મળતી માહિતી અનુસાર મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતા. શેરબજારવા કામકાજ સાથે  સંકળાયેલા મિસ્ત્રી પરિવારે સાત વર્ષના માસુમ પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 



સુસાઈડ નોટ લખી દુનિયાને કહ્યું અલવિદા 

મળતી માહિતી અનુસાર દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ મોતને વ્હાલું કર્યું છે. પ્રિતેશભાઈએ પોતાની પત્ની સ્નેહા અને સાત વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર યુવકે પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી તે બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી હતી જેમાં કયા કારણોસર આ પગલું ભરી રહ્યા છે તે જાણી શકાયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.