વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઓઢી મોતની ચાદર, કર્યો સામૂહિક આપઘાત


  • Published By :
  • Published Date : 2023-01-09 17:04:26

આપઘાતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા અનેક સમાચારો સામે આવે છે જેમાં આપઘાત કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. પારિવારિક, આર્થિક કારણોસર લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના ડભોઈ રિંગ રોડ ખાતે આવેલા દર્શનમ ડુપ્લેક્સમાં રહેતા પરિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.


માસુમ પુત્રએ પણ માતા-પિતા સાથે ટૂંકાવ્યું જીવન  

છેલ્લા અનેક દિવસોથી આપઘાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. નાની નાની વાતમાં લોકો પોતાનો જીવ આપી રહ્યા છે. વડોદરામાં એક નાના પરિવારે પોતાના ઘરમાં સામૂહિક આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈ સભ્યોએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. મળતી માહિતી અનુસાર મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતા. શેરબજારવા કામકાજ સાથે  સંકળાયેલા મિસ્ત્રી પરિવારે સાત વર્ષના માસુમ પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 



સુસાઈડ નોટ લખી દુનિયાને કહ્યું અલવિદા 

મળતી માહિતી અનુસાર દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ મોતને વ્હાલું કર્યું છે. પ્રિતેશભાઈએ પોતાની પત્ની સ્નેહા અને સાત વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર યુવકે પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી તે બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી હતી જેમાં કયા કારણોસર આ પગલું ભરી રહ્યા છે તે જાણી શકાયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.