અકસ્માતથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-20 13:52:51

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણાના ખેરાલુ પાસે લોડીંગ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા, પુત્ર અને માતાનું મોત થયું છે. ખેરાલુના ખેરપુર ગામનો પરિવાર બાઈક પર સવાર થઈ દાસજ ગોગા મહારાજના દર્શને કરી પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો

એક જ પરિવારના ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળી

ગઈકાલે ખેરાલુ પાસે પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આજે મૃતકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ખેરાલુના ખેરપુર ગામે રહેતા 35 વર્ષીય બળવંતજી શંભૂજી ઠાકોર પાંચમ હોવાથી પોતાની પત્ની અને દીકરા કિશન સાથે બાઈક લઈને મંદિરે દર્શન કરવા ગયા જ્યાંથી પરત ફરતા છોટા હાથી વાહન સાથે તેમનું અકસ્માત સર્જાયો હતો.



આ અક્સ્માત જોતા જ ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેમાં લોકોએ પરિવારના ત્રણેય સભ્યોને લોહીલુહાણ હાલતમાં જોયા હતા જે જોઈને ત્યાં હાજર લોકો એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, રસ્તામાં વચ્ચે જ એકનું મોત થયું હતું. તેમજ સારવાર દરમ્યાન બે લોકોના મોત નીપજ્યા હતા. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ત્રણેય સભ્યોના પીએમ કરી મૃતદેહ ગામમાં લાવ્યા હતા. નવરાત્રિના માહોલ વચ્ચે મૃતદેહો જોઈ ગામના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.