અકસ્માતથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-20 13:52:51

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણાના ખેરાલુ પાસે લોડીંગ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા, પુત્ર અને માતાનું મોત થયું છે. ખેરાલુના ખેરપુર ગામનો પરિવાર બાઈક પર સવાર થઈ દાસજ ગોગા મહારાજના દર્શને કરી પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો

એક જ પરિવારના ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળી

ગઈકાલે ખેરાલુ પાસે પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આજે મૃતકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ખેરાલુના ખેરપુર ગામે રહેતા 35 વર્ષીય બળવંતજી શંભૂજી ઠાકોર પાંચમ હોવાથી પોતાની પત્ની અને દીકરા કિશન સાથે બાઈક લઈને મંદિરે દર્શન કરવા ગયા જ્યાંથી પરત ફરતા છોટા હાથી વાહન સાથે તેમનું અકસ્માત સર્જાયો હતો.



આ અક્સ્માત જોતા જ ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેમાં લોકોએ પરિવારના ત્રણેય સભ્યોને લોહીલુહાણ હાલતમાં જોયા હતા જે જોઈને ત્યાં હાજર લોકો એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, રસ્તામાં વચ્ચે જ એકનું મોત થયું હતું. તેમજ સારવાર દરમ્યાન બે લોકોના મોત નીપજ્યા હતા. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ત્રણેય સભ્યોના પીએમ કરી મૃતદેહ ગામમાં લાવ્યા હતા. નવરાત્રિના માહોલ વચ્ચે મૃતદેહો જોઈ ગામના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.