અકસ્માતથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-20 13:52:51

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણાના ખેરાલુ પાસે લોડીંગ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા, પુત્ર અને માતાનું મોત થયું છે. ખેરાલુના ખેરપુર ગામનો પરિવાર બાઈક પર સવાર થઈ દાસજ ગોગા મહારાજના દર્શને કરી પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો

એક જ પરિવારના ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળી

ગઈકાલે ખેરાલુ પાસે પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આજે મૃતકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ખેરાલુના ખેરપુર ગામે રહેતા 35 વર્ષીય બળવંતજી શંભૂજી ઠાકોર પાંચમ હોવાથી પોતાની પત્ની અને દીકરા કિશન સાથે બાઈક લઈને મંદિરે દર્શન કરવા ગયા જ્યાંથી પરત ફરતા છોટા હાથી વાહન સાથે તેમનું અકસ્માત સર્જાયો હતો.



આ અક્સ્માત જોતા જ ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેમાં લોકોએ પરિવારના ત્રણેય સભ્યોને લોહીલુહાણ હાલતમાં જોયા હતા જે જોઈને ત્યાં હાજર લોકો એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, રસ્તામાં વચ્ચે જ એકનું મોત થયું હતું. તેમજ સારવાર દરમ્યાન બે લોકોના મોત નીપજ્યા હતા. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ત્રણેય સભ્યોના પીએમ કરી મૃતદેહ ગામમાં લાવ્યા હતા. નવરાત્રિના માહોલ વચ્ચે મૃતદેહો જોઈ ગામના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.