જામનગર બિલ્ડીંગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા, ગામમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-06-24 18:57:23

રાજ્યમાં થોડા સમય બાદ ચોમાસુ સત્તાવાર રીતે બેસી જવાનું છે. પરંતુ તે પહેલા જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાની સિઝન દરમિયાન અનેક બિલ્ડીંગો પડી જવાની ઘટનાઓ આવતી હોય  છે. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. ત્યારે શુક્રવારે જામનગરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.આ ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે હાઉસિંગ બોર્ડના અનેક એવા ઘરો છે જ્યાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. 


એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા 

વરસાદની સિઝનમાં અનેક વખત એવા સમાચારો આવતા હોય છે જેમાં મકાન તેમજ દિવાલ ધરાશાયી થતી હોય છે જેને કારણે માસુમ લોકોના જીવ જતા રહે છે. ત્યારે શુક્રવાર સાંજે જામનગરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. એક સાથે ત્રણ સભ્યોની અંતિમ યાત્રા નિકળી હતી. એક સાથે ત્રણ મૃતદેહો નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયોો હતો. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.      

મકાનોમાં લોખંડના સળિયા નીકળી ગયા છે.


છતની દીવાલો, સીડી સહિત ચારે તરફથી પોપડાં પડી રહ્યાં છે, ઘણી દીવાલો તો તૂટી પડી છે.

અનેક મકાનો પણ છે જર્જરિત 

મહત્વનું છે કે એવા અનેક બિલ્ડીંગ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. અનેક કોલોની એવી છે જ્યાં છતના પોપડા ઉખડી ગયા છે. બિલ્ડીંગની એવી હાલત છે કે તે ગમે ત્યારે પડી શકે છે. અનેક વખત તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે પરંતુ ત્યાં રહેતા લોકો પોતાના ઘરને છોડતા નથી.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.