જામનગર બિલ્ડીંગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા, ગામમાં છવાયો માતમ


  • Published By :
  • Published Date : 2023-06-24 18:57:23

રાજ્યમાં થોડા સમય બાદ ચોમાસુ સત્તાવાર રીતે બેસી જવાનું છે. પરંતુ તે પહેલા જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાની સિઝન દરમિયાન અનેક બિલ્ડીંગો પડી જવાની ઘટનાઓ આવતી હોય  છે. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. ત્યારે શુક્રવારે જામનગરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.આ ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે હાઉસિંગ બોર્ડના અનેક એવા ઘરો છે જ્યાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. 


એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા 

વરસાદની સિઝનમાં અનેક વખત એવા સમાચારો આવતા હોય છે જેમાં મકાન તેમજ દિવાલ ધરાશાયી થતી હોય છે જેને કારણે માસુમ લોકોના જીવ જતા રહે છે. ત્યારે શુક્રવાર સાંજે જામનગરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. એક સાથે ત્રણ સભ્યોની અંતિમ યાત્રા નિકળી હતી. એક સાથે ત્રણ મૃતદેહો નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયોો હતો. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.      

મકાનોમાં લોખંડના સળિયા નીકળી ગયા છે.


છતની દીવાલો, સીડી સહિત ચારે તરફથી પોપડાં પડી રહ્યાં છે, ઘણી દીવાલો તો તૂટી પડી છે.

અનેક મકાનો પણ છે જર્જરિત 

મહત્વનું છે કે એવા અનેક બિલ્ડીંગ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. અનેક કોલોની એવી છે જ્યાં છતના પોપડા ઉખડી ગયા છે. બિલ્ડીંગની એવી હાલત છે કે તે ગમે ત્યારે પડી શકે છે. અનેક વખત તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે પરંતુ ત્યાં રહેતા લોકો પોતાના ઘરને છોડતા નથી.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.