Bharat Ratna માટે વધુ ત્રણ નામોની કરાઈ જાહેરાત, જાણો કોને આપવામાં આવશે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ?


  • Published By :
  • Published Date : 2024-02-09 20:59:20

થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતના પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી છે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. જે નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં પૂર્વપ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ તેમજ પી.વી નરસિંમ્હા રાવનો સમાવેશ થાય છે. ત્રીજા મહાનુભાવ જેમને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તે છે વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાય બીજા ચાર મહાનુભાવોને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે. 


ચૌધરી ચરણસિંહને કરાશે ભારત રત્નથી સન્માનિત

પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને કિસાનોના તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતના પાંચમાં વડાપ્રધાન હતા. તેમણે પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી સંભાળ્યો હતો. તે જનતા પાર્ટીના સદસ્ય  હતા અને તે ઉપરાંત તેમની ગણતરી દેશના મોટા કિસાન નેતા તરીકે કરવામાં આવતી હતી.       


નરસિંહા રાવને કરાશે ભારત રત્નથી સન્માનિત 

ચૌધરી ચરણસિંહ ઉપરાંત ભારતના પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નરસિંહા રાવ દેશના 10માં વડાપ્રધાન હતા. તેમના કાર્યકાળના દરમિયાન ભારતમાં ઘણા આર્થિક સુધારા થયા હતા. 21 જૂન 1991થી 16 મે 1996 સુધી પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ તેમણે સંભાળ્યો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઈન્ડસ્ટ્રિયલ પોલીસી લાગુ કરી હતી જેને કારણે ભારતના બજાર દુનિયા ભર માટે ખુલ્લા મૂકાયા... તે સિવાય વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથન દેશના મોટા કૃષિવૈજ્ઞાનિક હતા.      



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.