Bharat Ratna માટે વધુ ત્રણ નામોની કરાઈ જાહેરાત, જાણો કોને આપવામાં આવશે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ?


  • Published By :
  • Published Date : 2024-02-09 20:59:20

થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતના પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી છે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. જે નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં પૂર્વપ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ તેમજ પી.વી નરસિંમ્હા રાવનો સમાવેશ થાય છે. ત્રીજા મહાનુભાવ જેમને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તે છે વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાય બીજા ચાર મહાનુભાવોને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે. 


ચૌધરી ચરણસિંહને કરાશે ભારત રત્નથી સન્માનિત

પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને કિસાનોના તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતના પાંચમાં વડાપ્રધાન હતા. તેમણે પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી સંભાળ્યો હતો. તે જનતા પાર્ટીના સદસ્ય  હતા અને તે ઉપરાંત તેમની ગણતરી દેશના મોટા કિસાન નેતા તરીકે કરવામાં આવતી હતી.       


નરસિંહા રાવને કરાશે ભારત રત્નથી સન્માનિત 

ચૌધરી ચરણસિંહ ઉપરાંત ભારતના પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નરસિંહા રાવ દેશના 10માં વડાપ્રધાન હતા. તેમના કાર્યકાળના દરમિયાન ભારતમાં ઘણા આર્થિક સુધારા થયા હતા. 21 જૂન 1991થી 16 મે 1996 સુધી પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ તેમણે સંભાળ્યો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઈન્ડસ્ટ્રિયલ પોલીસી લાગુ કરી હતી જેને કારણે ભારતના બજાર દુનિયા ભર માટે ખુલ્લા મૂકાયા... તે સિવાય વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથન દેશના મોટા કૃષિવૈજ્ઞાનિક હતા.      



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.